Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:મોદીએ કહ્યું- પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ ઓછો કરો, સોનું પણ ઓછું ખરીદો; 45 ડિગ્રીએ ગુજરાત ભઠ્ઠી બન્યું

    7 hours ago

    નમસ્તે, આવતીકાલના મોટા સમાચારમાં મોદીએ દેશવાસીઓને મોંઘવારી અંગે ચેતવણી આપી છે. તેમણે વિદેશ પ્રવાસ ટાળવા અને વર્ક ફ્રોમ હોમ જેવા નિર્ણયો લેવા અંગે સલાહ આપી છે. જેથી પેટ્રોલ-ડીઝલના ભાવ કાબૂમાં રાખી શકાય. આ ઉપરાંત મધ્યપ્રદેશમાંથી પાકિસ્તાનની જાસુસી સંસ્થા ISI માટે કામ કરનારા ત્રણ યુવકોની ધરપકડ થઈ છે. તમિલનાડુના 9મા મુખ્યમંત્રી તરીકે એક્ટર થલાપતિ વિજયે શપથ લીધા છે અને શપથ લીધાની સાથે કેટલાક મહત્વના નિર્ણયો પણ લીધા છે, જેમાં 200 યુનિટ વીજળી ફ્રી આપવાની જાહેરાત કરવામાં આવી છે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, સોમનાથ અને વડોદરામાં કાર્યક્રમમાં આપશે હાજરી 2. અમિત શાહ પર ટિપ્પણી કરવાના કેસમાં રાહુલ ગાંધી વિરુદ્ધ દાખલ કરાયેલા માનહાનિ કેસની સુનાવણી યુપીની સુલતાનપુર કોર્ટમાં થશે 📰 કાલના મોટા સમાચારો 1. PM મોદી બોલ્યા, 'પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ ઓછો કરો':ભારતમાં તેલના કૂવા નથી, આજે વર્ક ફ્રોમ હોમની જરૂરિયાત છે, એક વર્ષ સુધી સોનું ન ખરીદો પીએમ નરેન્દ્ર મોદીએ રવિવારે કહ્યું કે આજના સમયમાં પેટ્રોલ, ગેસ અને ડીઝલનો ઉપયોગ ઓછો કરવો પડશે. પડોશમાં ચાલી રહેલા યુદ્ધની અસરથી દુનિયાભરમાં પેટ્રોલ-ડીઝલના ભાવ અનેક ગણા વધી ગયા છે. પીએમએ હૈદરાબાદમાં કહ્યું- ભારત પર આ વૈશ્વિક સંકટની અસર વધુ છે, આપણી પાસે તેલના મોટા કૂવા નથી. તેમણે કહ્યું કે જે શહેરોમાં મેટ્રો છે, ત્યાં લોકો મેટ્રોનો ઉપયોગ કરે. કારપુલિંગ કરે. આજે વર્ક ફ્રોમ હોમ જેવા ઉપાયોની જરૂર છે. આ પહેલા પીએમએ બેંગલુરુમાં કહ્યું કે DMKએ હંમેશા કોંગ્રેસના હિતમાં કામ કર્યું, પરંતુ સત્તાનું સમીકરણ બદલાતા જ કોંગ્રેસે પહેલી જ તકે DMKની પીઠમાં છરો ભોંકી દીધો. વાંચો સંપૂર્ણ સમાચાર 2. ISI સાથે સંકળાયેલા MPના 3 યુવકોની ધરપકડ: દિલ્હી પોલીસે ખુલાસો કર્યો - મંદિર, ઢાબા અને મિલિટરી કેમ્પ ઉડાવવાના હતા; પાકિસ્તાન મોકલ્યા હતા ફોટા દિલ્હી પોલીસે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI સાથે સંકળાયેલા હોવાનો દાવો કરીને એમપીના ત્રણ યુવકોની ધરપકડ કરી છે. પોલીસનું કહેવું છે કે આ લોકો દિલ્હીનું ઐતિહાસિક મંદિર, દિલ્હી-સોનીપત હાઈવે પર આવેલો એક ઢાબો અને હરિયાણાનો સૈન્ય કેમ્પ ઉડાવવાના હતા. તેમની ઓળખ ટીકમગઢ, નેગુવાં (પૃથ્વીપુર પોલીસ સ્ટેશન) નિવાસી અનમોલ રાય (ઉંમર 24), ગ્વાલિયર, ડબરા નિવાસી રાજવીર (ઉંમર 21) અને વિવેક બંજારા (ઉંમર 19) તરીકે કરવામાં આવી છે. ત્રણેયને દિલ્હી પોલીસે તેમના ગામમાંથી ધરપકડ કરી અને પોતાની સાથે લઈ ગઈ. વાંચો સંપૂર્ણ સમાચાર 3. યોગી મંત્રીમંડળમાં 6 નવા મંત્રી, 2નું પ્રમોશન: ભૂપેન્દ્ર ચૌધરી, મનોજ પાંડે કેબિનેટ મંત્રી બન્યા; કૃષ્ણા પાસવાને જય શ્રી રામના નારા લગાવ્યા યોગી કેબિનેટનું આજે રવિવારે બીજી વખત વિસ્તરણ થયું. 2 કેબિનેટ, 4 રાજ્યમંત્રી અને 2 રાજ્યમંત્રીઓને પ્રમોશન આપીને રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) બનાવવામાં આવ્યા છે. રાજભવનમાં સૌથી પહેલા ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરીએ શપથ લીધા. ત્યારબાદ સપામાંથી બળવો કરનાર ધારાસભ્ય મનોજ પાંડેએ શપથ લીધા. બંનેને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે. ત્રીજા નંબરે અજીત પાલ અને પછી સોમેન્દ્ર તોમરે શપથ લીધા. બંને ધારાસભ્યો પહેલા રાજ્યમંત્રી હતા, હવે તેમને રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) બનાવવામાં આવ્યા છે. ત્યારબાદ કૃષ્ણા પાસવાન, કૈલાશ રાજપૂત, સુરેન્દ્ર દિલેર અને હંસરાજ વિશ્વકર્માએ શપથ લીધા. ચારેયને રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. વિજય તમિલનાડુના 9મા મુખ્યમંત્રી બન્યા:શપથ લેતી વખતે ભાષણ આપવા લાગ્યા તો રાજ્યપાલે રોક્યા, 200 યુનિટ મફત વીજળીનો પહેલો ઓર્ડર કર્યો તમિલગા વેત્રી કઝગમ (TVK) ના વડા અને અભિનેતામાંથી નેતા બનેલા સી જોસેફ વિજય તમિલનાડુના નવા મુખ્યમંત્રી બન્યા છે. તેમણે રવિવારે સવારે 10.15 વાગ્યે તમિલમાં શપથ લીધા. આ દરમિયાન રાહુલ ગાંધી પણ હાજર રહ્યા. વિજય શપથ લેતી વખતે નિર્ધારિત લાઈન સિવાય અન્ય વાતો બોલવા લાગ્યા. તેના પર રાજ્યપાલ અર્લેકરે તેમને રોક્યા અને કહ્યું કે જે લખીને આપ્યું છે તે જ વાંચો. CM વિજયની સાથે 9 અન્ય મંત્રીઓએ પણ શપથ લીધા. તેમાં એન આનંદ, આધવ અર્જુન, ડો. કેજી અરુણરાજ, કેએ સેંગોટ્ટૈયન, પી વેંકટરમણન, આર નિર્મલકુમાર, રાજમોહન, ડો. ટીકે પ્રભુ, સેલ્વી એસ કીર્તનાનો સમાવેશ થાય છે. વાંચો સંપૂર્ણ સમાચાર 5. કિમ જોંગની હત્યા થશે તો નોર્થ-કોરિયા પરમાણુ હુમલો કરશે:બંધારણમાં નવી જોગવાઈ ઉમેરવામાં આવી, હુમલામાં ઈરાની સુપ્રીમ લીડરના મૃત્યુ બાદ નિર્ણય ઉત્તર કોરિયાએ તેના બંધારણ અને પરમાણુ નીતિમાં મોટો ફેરફાર કરીને નવી જોગવાઈ ઉમેરી છે. હવે જો દેશના સુપ્રીમ લીડર કિમ જોંગ-ઉન (Kim Jong-un)ની હત્યા થાય છે અથવા કોઈ વિદેશી હુમલા દરમિયાન તેઓ નેતૃત્વ કરવાની સ્થિતિમાં ન હોય, તો ઉત્તર કોરિયા તરત જ પરમાણુ હુમલો કરશે. બ્રિટિશ અખબાર ધ ટેલિગ્રાફના અહેવાલ મુજબ, આ ફેરફાર માર્ચમાં તેહરાન પર અમેરિકા અને ઇઝરાયેલના હુમલાઓ પછી કરવામાં આવ્યો હતો. આ હુમલાઓમાં ઇરાનના સુપ્રીમ લીડર અલી ખામેની અને ઘણા વરિષ્ઠ ઇરાની અધિકારીઓના મોત થયા હતા. વાંચો સંપૂર્ણ સમાચાર 6. ગુજરાત બન્યું અગનભઠ્ઠી, 6 શહેરોનું તાપમાન 43 ડિગ્રીને પાર:કંડલા એરપોર્ટનું સૌથી વધુ 44.4 ડિગ્રી, સુરત-પોરબંદરમાં હીટવેવની અસર ગુજરાતમાં આકરી ગરમી અને હિટવેવની આગાહી વચ્ચે આજે 6 શહેરોમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર પહોંચી જતા લોકો બરાબરના અકળાયા છે. કંડલા એરપોર્ટ પર સૌથી વધુ 44.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગ દ્વારા હજુ ગરમીનો કહેર વધવાની આગાહી કરવામાં આવી છે. આગામી સાત દિવસ માટે વિવિધ જિલ્લામાં હીટવેવની સાથે યલો એલર્ટ જાહેર કર્યું છે. અમદાવાદમાં આજથી છ દિવસ માટે ઓરેન્જ એલર્ટ અપાયું છે. આગામી 7 દિવસ સુધી સમગ્ર ગુજરાત, દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં હવામાન સૂકું રહેવાની શક્યતા છે. નોર્થ ઈસ્ટ રાજસ્થાન વિસ્તારમાં સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સક્રિય બનતા આગામી 3 દિવસમાં મહત્તમ તાપમાનમાં 2-3°Cનો વધારો થઈ શકે છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં તાપમાન 41°Cથી 44°Cની વચ્ચે રહેવાની સંભાવના છે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. હર્ષ સંઘવીએ નવા કોર્પોરેટરોને કહ્યું- 5 વર્ષ પછી હિસાબ થશે:‘મારા જેવા અનેક લોકો પદ પર આવ્યા અને ગયા, કોર્પોરેટરનો ભાર મગજમાં રાખી નાગરિકો સાથે તોછડાઈભર્યું વર્તન ન કરતા’ સુરતના રાજકારણમાં સેવા અને નમ્રતાનો આજે એક અનોખો કિસ્સો જોવા મળ્યો છે. મજૂરા વિધાનસભા વિસ્તારમાં આયોજિત જનસેવા સાથે ઉપહાર વિતરણ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જનતા અને કાર્યકર્તાઓ તરફથી મળેલા તમામ સન્માન અને ભેટ-સોગાદો ફરી જનતાના ચરણોમાં અર્પણ કરી દીધી હતી. આ વિતરણ માટે તેમણે 'ડ્રો સિસ્ટમ' અપનાવી હતી જેથી કોઈ પક્ષપાત ન થાય અને સૌને સમાન તક મળે. આ પ્રસંગે તેમણે ચૂંટાયેલા પ્રતિનિધિઓને સત્તાના અહંકારથી દૂર રહી લોકસેવા કરવા પર ભાર મૂક્યો હતો. સાથે જ કહ્યું કે, કોર્પોરેટર બન્યાનો ભાર મગજમાંથી ઉતારી નાખજો, જનતા અને સંગઠન પાંચ વર્ષ પછી હિસાબ કરશે. વાંચો સંપૂર્ણ સમાચાર 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : હિમંતા સરમા બીજી વખત આસામના મુખ્યમંત્રી બનશે:ધારાસભ્ય દળની બેઠકમાં નેતા તરીકે ચૂંટાયા, 12 મેના રોજ શપથ લેશે વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : પ્લેનના પંખામાં ઘૂસેલા માણસનું 'કચૂંબર' બની ગયું:ડેનવર એરપોર્ટ પર વિચિત્ર ઘટના; એરપોર્ટની દીવાલ કૂદીને પ્લેન તરફ દોડ મૂકી વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : પાકિસ્તાને ગુજરાતથી કાશ્મીર સુધી 900 ડ્રોનથી હુમલા કર્યા:ઓપરેશન સિંદૂરમાં બધું તબાહ, પાક-ચીન-તુર્કીયેની ત્રિપુટીના 4 પ્લાન નિષ્ફળ વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : પાકિસ્તાનમાં પોલીસ ચોકી પર આત્મઘાતી હુમલો:15 પોલીસ કર્મચારીનાં મોતની શંકા; અનેક ઘાયલ વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : આ અઠવાડિયે ઈરાન-અમેરિકા તણાવ પર રોકાણકારોની નજર રહેશે:ચોથા ક્વાર્ટરના પરિણામો સહિત 5 પરિબળો ગતિ નક્કી કરશે વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : નેહરાનો ઈશારો ને સુર્યવંશીને ક્લીન બોલ્ડ:સિરાજે વૈભવની ગિલ્લીઓ ઉડાવી; તલવારબાજી બાદ જાડેજાનું આ સેલિબ્રેશન વાયરલ વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : આ સપ્તાહ કેવું રહેશે?:મેષ રાશિના લોકોને મહેનતનું પરિણામ મળશે, કર્ક રાશિના જાતકો માટે ‘ગોલ્ડન વિક’ વાંચો સંપૂર્ણ સમાચાર 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ પરિવારજનો મૃત સમજી છોડી ગયા, જીવતી પાછી ફરી યુવતી ગોરખપુર એઈમ્સમાં ડોકટરોએ 20 વર્ષની યુવતીનો 98 દિવસ સુધી મફત ઇલાજ કર્યો. ઝેર ખાધા પછી પરિવારજનો તેને હોસ્પિટલમાં જ છોડીને ભાગી ગયા હતા, પરંતુ ડોકટરોએ ઇલાજ ચાલુ રાખ્યો. 48 દિવસ વેન્ટિલેટર પર રહ્યા પછી યુવતી સંપૂર્ણપણે સ્વસ્થ થઈને ઘરે પાછી ફરી. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. MATCH મસાલા : જાડેજાને કઈ ભૂલ ભારે પડી?:ઉપરથી ઓર્ડર આવ્યો, હવે અર્શદીપની દુકાન બંધ; અશ્વિને આર્મી ઓફિસરની મજાક ઉડાવી! 2. સન્ડે બિગ સ્ટોરી : ઓનલાઇન શોપિંગનું ખાલી ખોખું પણ તમને કંગાળ કરી શકે:ડસ્ટબિનમાં ફેંકતા પહેલા આ વાંચો, શું તમારો સ્માર્ટ ફોન જ કરી રહ્યો છે તમારી જાસૂસી? 3. ખાખી કવર : ઐયાશ રાજાની લાશ ચિતા પરથી ગાયબ થઈ:બાર વર્ષે નાગા સાધુ બનીને પાછો આવ્યો! શું રાજાનો પુનર્જન્મ થયો હતો કે તે કોઈ બહુરૂપિયો હતો? 4. 58 અશ્લીલ વીડિયો, અનેક મહિલાઓ સાથે સંબંધ બાંધ્યા:કેપ્ટન બાબાએ કહ્યું- બધું દૈવી શક્તિએ કરાવ્યું, ભક્તોના નામે 100 બેંક ખાતા ખોલાવી કરોડોની હેરાફેરી 5. સન્ડે જઝબાતઃ ‘સાથે નહીં નાચું’ કહેતા રિવોલ્વર તાકીને નચાવી:એકે કમર પર હાથ મૂકીને પૂછ્યું- કેટલા લેશો? ડાન્સર છું, શરીર વેચનારી નહીં 6. ફરવાની મજા ક્યાંક સ્વાસ્થ્ય માટે સજા ન બની જાય!:ઉનાળામાં મુસાફરી દરમિયાન આ 11 સામાન્ય ભૂલો ન કરો; સાથે આ 'સેફ્ટી કિટ' રાખવાનું પણ ના ભૂલતા 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 🌦️ મોસમનો મિજાજ સોમવારનું રાશિફળ : કર્ક રાશિના જાતકોના ઘરે કિલકારી ગુંજશે, વૃશ્ચિક જાતકોના કાર્યો નિર્વિઘ્ન પૂરાં થશે વાંચો સંપૂર્ણ રાશિફળ
    Click here to Read More
    Previous Article
    MEA makes a new push for database on students abroad
    Next Article
    Rescued from Myanmar cyber scam compound, three men ‘regrouped to run fraud racket in India’

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment