Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ક્રિકેટ ગ્રાઉન્ડ બહારથી એક્ટિવા-મોબાઈલની ચોરી:મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા તસ્કર સામે ફરિયાદ, રૂ.90 હજારના મુદ્દામાલની ઉઠાંતરી

    1 day ago

    મહેસાણા શહેરના ટી.બી. રોડ પર આવેલી સરસ્વતી સોસાયટીમાં રહેતા અને છૂટક મજૂરી કરતા વિશાલભાઈ દિનેશભાઈ ઠાકોરે મહેસાણા તાલુકા પોલીસ મથકમાં પોતાના વાહન અને મોબાઈલ ચોરી અંગે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં એક્ટિવા-મોબાઈલ ચોરીની ફરિયાદ પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ ગત તા. 16 મે 2026 ના રોજ બપોરે આશરે બારેક વાગ્યાના સુમારે વિશાલભાઈ તેમના માસીના દીકરા અજય લક્ષ્મણજી ઠાકોર સાથે ક્રિકેટ રમવા માટે ગયા હતા. તેઓ પોતાની મોટી બહેન પિંકીબેનના નામનું સફેદ કલરનું હીરો કંપનીનું એક્ટિવા-6G નંબર GJ-02-DQ-0703 લઈને પાંચોટ ગામથી હરદેસણ જતા રોડ પર આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડ પર પહોંચ્યા હતા. રમવા જતાં પહેલાં અજયભાઈએ પોતાનો ગ્લેઝિયર બ્લુ કલરનો વીવો વાય-29 5G મોબાઈલ ફોન એક્ટિવાની અંદર મૂક્યો હતો અને વાહન ગ્રાઉન્ડની બહાર પાર્કિંગમાં લોક કરીને મૂક્યું હતું. એક્ટિવાની કોઈ ભાળ ન મળતા અંતે પોલીસનો સંપર્ક કર્યો બપોરે એકથી બે વાગ્યાના સમયગાળા દરમિયાન ક્રિકેટ રમીને જ્યારે બંને ભાઈઓ પરત આવ્યા ત્યારે પાર્કિંગ કરેલું એક્ટિવા ત્યાં જોવા મળ્યું ન હતું. આસપાસના લોકોની પૂછપરછ કરવા છતાં વાહનનો કોઈ પત્તો લાગ્યો ન હતો. કોઈ પરિચિત વ્યક્તિ ભૂલથી વાહન લઈ ગઈ હશે તેમ સમજીને અત્યાર સુધી શોધખોળ ચાલુ રાખી હતી, પરંતુ કોઈ ભાળ ન મળતા આખરે પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો. 90 હજારના મુદ્દામાલની અજાણ્યો તસ્કર ચોરી કરી નાસી છૂટ્યો ચોરાયેલા સફેદ એક્ટિવાની કિંમત આશરે રૂ.80 હજાર અને મોબાઈલ ફોનની કિંમત રૂ.10 હજાર મળીને કુલ રૂ.90 હજારના મુદ્દામાલની કોઈ અજાણ્યો તસ્કર ચોરી કરી નાસી છૂટ્યો છે. મહેસાણા તાલુકા પોલીસે આ મામલે કાયદેસરનો ગુનો નોંધી આર.સી. બુક અને મોબાઈલ બિલના આધારે અજાણ્યા ચોરની શોધખોળ અને વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    સુરત ભૂતિયા ડિમોલિશનમાં મોટો ઘટસ્ફોટ:ઉપરથી સૂચના આવી ને મનપાના કર્મચારીએ જ ટોરેન્ટને નાસીરનગરમાં પાવર કટ કરવા ફોન કર્યો, ભાસ્કર સમક્ષ કબૂલાત
    Next Article
    દાંતીવાડા ITI ખાતે રોજગાર ભરતી મેળો યોજાયો:236 ઉમેદવારોમાંથી 166ને વિવિધ કંપનીઓમાં નોકરી માટે પસંદ કરાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment