Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાતળા હોવા છતાં પેટ બહાર નીકળી ગયું છે?:હળવાશથી લેશો તો ફેટી લિવરના ભરડામાં આવી જશો, 9 ખોટી આદતોને સુધારવા 8 ટિપ્સ અપનાવો

    4 days ago

    શું તમારું આખું શરીર તો પાતળું છે, પણ પેટ પર ચરબી જામી રહી છે? ગરદનની જાડાઈ વધી રહી છે અને દરેક સમયે થાક અનુભવાય છે? આને હળવાશથી ન લો. શરીરમાં થઈ રહેલા આ બધા ફેરફારો ફેટી લિવરના સંકેત હોઈ શકે છે. હવે તમે એવી દલીલ કરી શકો છો કે, ફેટી લિવર તો દારૂ પીવાથી થાય છે અને હું આલ્કોહોલને હાથ પણ નથી લગાવતો/લગાવતી. તો તેનો સીધો જવાબ એ છે કે, ફેટી લિવર ફક્ત દારૂ પીવાથી થતું નથી. જંક ફૂડ ખાવું, કોલ્ડ ડ્રિંક પીવું અને એક જગ્યાએ બેસી રહેવા જેવી રોજિંદા જીવનની નાની-નાની ખરાબ ટેવો પણ આ બીમારીને જન્મ આપી શકે છે. ‘ધ લેન્સેટ રિજનલ હેલ્થ યુરોપ’માં પ્રકાશિત થયેલા સંશોધન મુજબ અમેરિકા, બ્રિટન, જર્મની અને ફ્રાન્સમાં લગભગ 2 કરોડ લોકો નોન-આલ્કોહોલિક ફેટી લિવરથી પીડાઈ રહ્યા છે, પરંતુ 75% લોકોને ખબર જ નથી કે તેઓ જોખમમાં છે. ફેટી લિવર ડિસીઝ હવે યુવાનોને પણ ઝડપથી પોતાની ઝપેટમાં લઈ રહી છે. ‘જર્નલ ઑફ હેપેટોલોજી’ અનુસાર, દુનિયાની લગભગ 38% વસ્તી ફેટી લિવરથી પ્રભાવિત છે, જેમાં લગભગ 25% લોકો દારૂ પીતા નથી. હેલ્થ સ્ટડીઝ મુજબ, શહેરી ભારતના 30-40% લોકો કોઈને કોઈ સ્તરની ફેટી લિવર સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે. યુનિવર્સિટી ઑફ કેલિફોર્નિયાના પ્રોફેસર ડૉ. રોબર્ટ લસ્ટિગ પોતાના પુસ્તક ‘ફેટ ચાન્સ’માં લખે છે કે, ફેટી લિવર 50 વર્ષ પહેલાં લગભગ અસ્તિત્વમાં જ નહોતું. પરંતુ આજે તે ખૂબ સામાન્ય બની ગયું છે. તેથી આજે ફિઝિકલ હેલ્થમાં નોન-આલ્કોહોલિક લિવર ડિઝીઝની વાત કરીશું. સાથે જ જાણીશું કે- નિષ્ણાતઃ ડૉ. સંજય ગોજા, ડિરેક્ટર, લિવર ટ્રાન્સપ્લાન્ટ એન્ડ HPB સર્જરી (હેપ્ટો-પેન્ક્રિએટો-બિલિયરી), નારાયણા હૉસ્પિટલ, ગુરુગ્રામ પ્રશ્ન- નોન-આલ્કોહોલિક ફેટી લિવર ડિઝીઝ શું છે? જવાબ- નોન-આલ્કોહોલિક ફેટી લિવર ડિઝીઝ (NAFLD) એવી સ્થિતિ છે, જેમાં લિવરમાં જરૂરિયાત કરતાં વધુ ચરબી જમા થઈ જાય છે. આમાં વ્યક્તિ દારૂ પીતી નથી, છતાં લિવરમાં ચરબી જમા થઈ જાય છે. આ દુનિયાની સૌથી સામાન્ય ક્રોનિક લિવર ડિઝીઝ છે. આ સમસ્યા ઘણીવાર મેટાબોલિક ગડબડીઓ સાથે સંકળાયેલી હોય છે, જેમ કે- પ્રશ્ન- આલ્કોહોલિક ફેટી લિવર અને નોન-આલ્કોહોલિક ફેટી લિવર વચ્ચે શું તફાવત છે? જવાબ- આલ્કોહોલિક અને નોન-આલ્કોહોલિક ફેટી લિવર, બંનેમાં લિવરના કોષોમાં ચરબી જમા થાય છે, પરંતુ બંનેના કારણો અલગ-અલગ હોય છે. આલ્કોહોલિક ફેટી લિવર ડિઝીઝ આ સમસ્યા વધુ પડતો દારૂ પીવાથી થાય છે. દારૂ લિવરના મેટાબોલિઝમને નુકસાન પહોંચાડે છે, જેના કારણે શરીર ચરબી પચાવી શકતું નથી અથવા ખૂબ ધીમે પચાવે છે. આ ચરબી લિવરમાં જમા થવા લાગે છે. નોન-આલ્કોહોલિક ફેટી લિવર ડિઝીઝ આમાં વ્યક્તિ દારૂ પીતો નથી, છતાં પણ લિવરમાં ચરબી જમા થઈ જાય છે. તેના મુખ્ય કારણો આ મુજબ છે- જો બંનેમાંથી કોઈપણ સ્થિતિને સમયસર નિયંત્રિત ન કરવામાં આવે, તો લિવરમાં સોજો, ફાઇબ્રોસિસ અને આગળ જતાં સિરોસિસનું જોખમ વધી જાય છે. પ્રશ્ન- નોન-આલ્કોહોલિક ફેટી લિવર ડિઝીઝના લક્ષણો શું હોય છે? જવાબ- નોન-આલ્કોહોલિક ફેટી લિવર ડિઝીઝને ‘સાયલન્ટ ડિઝીઝ’ પણ કહેવાય છે. વાસ્તવમાં, તેના લક્ષણો ઘણીવાર શરૂઆતના તબક્કામાં દેખાતા નથી. પરંતુ જેમ જેમ સમસ્યા વધે છે, શરીર કેટલાક સંકેતો આપવા લાગે છે, જેને અવગણવા નુકસાનકારક હોઈ શકે છે. તેને નીચે આપેલા ગ્રાફિકમાં જુઓ- નોન-આલ્કોહોલિક ફેટી લિવર ડિઝીઝના લક્ષણો ગંભીર બને ત્યારે ‘સિરોસિસ’નું જોખમ થઈ શકે છે. આવી સ્થિતિમાં આ લક્ષણો દેખાઈ શકે છે- પ્રશ્ન- યુવાનોમાં નોન-આલ્કોહોલિક ફેટી લિવરનું જોખમ શા માટે વધી રહ્યું છે? જવાબ- એનું સૌથી મોટું કારણ લાઇફસ્ટાઇલ છે. આજકાલ જીવનમાં શારીરિક મહેનત ઓછી છે અને ખાણી-પીણીની આદતો ખરાબ છે. યુવાનો બહારનું ખાવાનું કે પેકેજ્ડ ફૂડ વધારે ખાય છે, જેમાં અનહેલ્ધી ફેટ, શુગર અને કેલરી ખૂબ જ વધારે માત્રામાં હોય છે. પ્રશ્ન- કઈ આદતો નોન-આલ્કોહોલિક ફેટી લિવર ડિઝીઝના જોખમને વધારે છે? જવાબ- નોન-આલ્કોહોલિક ફેટી લિવર ડિઝીઝ અચાનક થતું નથી, પરંતુ તે આપણી રોજિંદી કેટલીક ખોટી આદતોનું પરિણામ હોય છે. ખાણી-પીણીથી લઈને લાઇફસ્ટાઇલ સુધીની કેટલીક ખરાબ આદતો ધીમે ધીમે ફેટી લિવરનું જોખમ વધારી દે છે. ગ્રાફિકમાં જોઈએ- પ્રશ્ન- નોન-આલ્કોહોલિક ફેટી લિવર કેવી રીતે ડાયગ્નોઝ થાય છે? એના માટે કયા ટેસ્ટ કરવામાં આવે છે? જવાબ- આ બીમારી ઘણીવાર રૂટિન બ્લડ ટેસ્ટ અથવા ઇમેજિંગ તપાસ દરમિયાન સામે આવે છે. ડોક્ટર બીમારીની ઓળખ માટે કેટલાક ખાસ ટેસ્ટ કરાવે છે. આ તમામ તપાસના રિપોર્ટ્સના આધારે ડોક્ટર ફેટી લિવરની સ્થિતિ અને તેની ગંભીરતાનું મૂલ્યાંકન કરે છે. પ્રશ્ન- શું નોન-આલ્કોહોલિક ફેટી લિવરને રિવર્સ કરી શકાય છે? જવાબ- હા, શરૂઆતી સ્ટેજમાં તે સંપૂર્ણપણે રિવર્સ થઈ શકે છે. તેનો સૌથી અસરકારક ઇલાજ લાઇફસ્ટાઇલમાં ફેરફાર છે. વજન ઘટાડીને, હેલ્ધી ડાયટ લઈને અને નિયમિત કસરત કરીને લિવરમાંથી ચરબી ઓછી કરી શકાય છે. પ્રશ્ન- પોતાના લિવરને સ્વસ્થ રાખવા માટે શું કરવું? જવાબ- લિવર આપણા શરીરનું સૌથી મહેનતુ અંગ છે, જે ડિટોક્સથી લઈને મેટાબોલિઝમ સુધીના ઘણા મહત્વપૂર્ણ કાર્યો કરે છે. જો રોજિંદા જીવનમાં થોડી સાવચેતી રાખવામાં આવે, તો લિવરને લાંબા સમય સુધી સ્વસ્થ રાખી શકાય છે અને ફેટી લિવર જેવી સમસ્યાઓથી બચી શકાય છે. લિવરના સ્વાસ્થ્યને અવગણવું ભવિષ્યમાં ગંભીર બીમારીઓને આમંત્રણ આપી શકે છે. તેથી જરૂરી છે કે, આપણે આજે જ સાવચેત રહીએ, કારણ કે જો લિવર સ્વસ્થ છે, તો આખું શરીર સ્વસ્થ છે.
    Click here to Read More
    Previous Article
    કાળું લસણ સ્વાસ્થ્ય માટે 'ઊજળું':વધુ એન્ટીઑકિસડન્ટ, પચવામાં સરળ સહિતના અઢળક હેલ્થ બેનિફિટ્સ, જાણો કોણે ન ખાવું જોઈએ
    Next Article
    'આઈટેલ ઝેનો 100' સ્માર્ટફોન લોન્ચ:ઊંચાઈથી પડશે તો પણ ફોન તૂટશે નહીં, નેટવર્ક વિના કોલ કરી શકાશે; કિંમત ₹6,866થી શરૂ

    Related લાઈફ સ્ટાઈલ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment