Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મનપાની કડક કાર્યવાહી:મહેસાણા નાગલપુર હાઈવે ઉપરની એસ-9 કોમ્પલેક્ષની 29 દુકાનો સીલ

    4 days ago

    મહેસાણા શહેરના નાગલપુર હાઈવે પર આસોપાલવ પાર્ટી પ્લોટની બાજુમાં આવેલ એસ-9 કોમ્પલેક્ષમાં બાકી વેરા ભરપાઇ ન થતાં મનપા દ્વારા 29 દુકાનો સીલ કરાઈ છે. આ દુકાનો મેસર્સ શિલ્પવેડા ઈન્ફ્રાસ્ટ્રક્ચર નામની ભાગીદારી પેઢીના ભાગીદારો પટેલ કુલદીપ જયંતીલાલ વગેરે 8ના નામે નોંધાયેલ છે. આ કોમ્પલેક્ષમાં ગ્રાઉન્ડ ફ્લોર સહિત ત્રણ માળમાં આવેલી દુકાનો પર છેલ્લા લગભગ દસ વર્ષથી કુલ રૂ.9,50,728નો મિલકત વેરો બાકી હોઇ કાર્યવાહી કરાઇ છે. જેમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં નં. 10, 11, 12, 13, 14, 15, 15, 17, 19, 20, 23, 24 એ, 24 બી, 26, 27, 28, 30 મળીને 17 દુકાન. ફર્સ્ટ ફ્લોરમાં નં. 107, 109, 110, 114, 123 એ, 124, 125, 129, 130 મળીને 9‎દુકાન. સેકન્ડ ફ્લોરમાં નં. 205,‎206 અને 207 મળીને 3 દુકાનનો‎સમાવેશ થાય છે. મનપાએ ચેતવણી‎આપી છે કે, જો સીલ કરેલી દુકાનોના‎માલિકો દ્વારા બાકી વેરાની ભરપાઈ‎નહીં કરવામાં આવે તો મિલકતની‎હરાજી કરીને વેરો વસૂલ કરવામાં‎આવશે. તેમજ સક્ષમ અધિકારીની‎મંજૂરી વગર સીલ તોડવામાં આવશે‎તો કાયદેસરની કાર્યવાહી કરવામાં‎આવશે. મનપાએ સ્પષ્ટ જણાવ્યું છે‎કે, 31 માર્ચ સુધી વેરાની ભરપાઈ‎નહીં કરવામાં આવે તો મિલકત સીલ‎કરવી, બેંક એકાઉન્ટ સીઝ કરવું,‎કનેક્શન કાપવું સહિત કાયદેસર‎કાર્યવાહી કરાશે.‎ 31 માર્ચ સુધી વ્યાજ-પેનલ્ટી માફી યોજના મહેસાણા મહાનગરપાલિકા દ્વારા 6 માર્ચથી શરૂ કરાયેલી વ્યાજ-પેનલ્ટી માફી યોજનામાં 16 દિવસમાં 1,053 મિલકતદારો દ્વારા કુલ રૂ. 1,26,51,635નો બાકી વેરો ભરાયો છે. જેમાં રહેણાક મિલકતોને 100% વ્યાજ-પેનલ્ટી માફી અને કોમર્શિયલ મિલકતોને 50% વ્યાજ-પેનલ્ટી માફીનો સમાવેશ છે. વ્યવસાય વેરાની માફી યોજનામાં 16 દિવસમાં 1,675 કરદાતાઓએ રૂ. 1,45,47,733 ભરપાઈ કરી છે અને આર્થિક રાહત મેળવી છે.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર એક્સક્લુસિવ:GCE એક્ટમાં રજિસ્ટ્રેશન ફરજિયાત પણ મિક્સોપેથી પ્રેક્ટિશનર માટે વિકલ્પ જ નથી
    Next Article
    ચાર્જિસમાં 50%નું ડિસ્કાઉન્ટ:વૈશ્વિક સંકટ વચ્ચે મુન્દ્રા પોર્ટ પર જગ્યા: કંડલા બંદરે આપી 50%ની જંગી રાહત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment