Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચાર્જિસમાં 50%નું ડિસ્કાઉન્ટ:વૈશ્વિક સંકટ વચ્ચે મુન્દ્રા પોર્ટ પર જગ્યા: કંડલા બંદરે આપી 50%ની જંગી રાહત

    4 days ago

    પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ અને દરિયાઈ સુરક્ષાના સતત વધતા જોખમો વચ્ચે વૈશ્વિક સપ્લાય ચેઈનમાં મોટી અનિશ્ચિતતા સર્જાઈ છે. જોકે, ભારત માટે રાહતના સમાચાર એ છે કે દેશના બંદરો પર માલસામાનની કોઈ જ ભીડ જોવા મળી નથી. શિપિંગ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ગુજરાતના અગ્રણી મુન્દ્રા પોર્ટ પર ક્ષમતા કરતા ઘણો ઓછો ટ્રાફિક હોવાથી તે કોઈપણ અણધાર્યા કાર્ગો ઉછાળાને પહોંચી વળવા માટે સંપૂર્ણ સજ્જ છે, જ્યારે કંડલા બંદરે વેપારીઓને આકર્ષવા જંગી રાહતો જાહેર કરી છે. કેન્દ્રીય શિપિંગ મંત્રાલય દ્વારા મુન્દ્રા બંદરને એક ઉદાહરણ તરીકે ટાંકવામાં આવ્યું છે. મંત્રાલયના એડિશનલ સેક્રેટરીએ જણાવ્યું હતું કે, મુન્દ્રા પોર્ટની કુલ કન્ટેનર હેન્ડલિંગ ક્ષમતા આશરે 4 લાખ TEUs ની છે. આટલી વિશાળ ક્ષમતાની સામે હાલમાં ત્યાં માત્ર 25% જેટલી જ ઓક્યુપન્સી (વપરાશ) છે. આનો સીધો અર્થ એ છે કે, જો યુદ્ધ કે અન્ય કોઈ કારણસર માલસામાનનો પ્રવાહ અચાનક વધે, તો પણ મુન્દ્રા પોર્ટ તેને સરળતાથી અને ઝડપથી હેન્ડલ કરવા સક્ષમ છે અને ભારતના આ સૌથી મોટા ખાનગી બંદર પર ‘ટ્રાફિક જામ’ ની કોઈ શક્યતા નથી. શિપિંગ મંત્રાલયના સ્પેશિયલ સેક્રેટરી રાજેશ કુમાર સિન્હાએ દીનદયાળ પોર્ટ ઓથોરિટી (કંડલા) ની સક્રિય કામગીરી અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, સંભવિત કાર્ગોના વધારાને પહોંચી વળવા કંડલા પોર્ટ દ્વારા વધારાની 54 એકર જમીન સ્ટોરેજ સ્પેસ તરીકે ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ ઉપરાંત, 17 માર્ચના પરિપત્ર દ્વારા દીનદયાળ પોર્ટે તેના યુઝર્સને 50% ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરી છે. જેમાં કાર્ગો હેન્ડલિંગ માટે વપરાતી હાર્બર મોબાઈલ ક્રેન સહિતના ચાર્જિસમાં 50% ની સીધી રાહત આપવામાં આવી છે. જહાજોના ‘વોર રિસ્ક વીમા પ્રીમિયમ’માં ઉછાળો આંતર-મંત્રાલય બ્રીફિંગમાં સિન્હાએ જણાવ્યું હતું કે, સંવેદનશીલ દરિયાઈ વિસ્તારોમાં સુરક્ષાની ચિંતાઓને કારણે જહાજો માટેના યુદ્ધ જોખમ વીમા પ્રીમિયમમાં નોંધપાત્ર વધારો થયો છે. સામાન્ય સંજોગોમાં આ પ્રીમિયમ માત્ર ૦.૦1% થી ૦.૦2% જેટલું જ હોય છે. પરંતુ જ્યારે કોઈ જહાજ યુદ્ધગ્રસ્ત અથવા ઉચ્ચ-જોખમવાળા ક્ષેત્રમાંથી પસાર થાય છે, ત્યારે વીમા કંપનીઓ તેમના સુરક્ષા જોખમના આકલનના આધારે આ પ્રીમિયમમાં તોતિંગ વધારો કરી દે છે.
    Click here to Read More
    Previous Article
    મનપાની કડક કાર્યવાહી:મહેસાણા નાગલપુર હાઈવે ઉપરની એસ-9 કોમ્પલેક્ષની 29 દુકાનો સીલ
    Next Article
    આકસ્મિક ચેકિંગ:પત્રી-ગુંદાલા રોડ પર ખનીજ માફિયા સામે કાર્યવાહી, ત્રણ ડમ્પર જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment