Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બે વર્ગોની ગ્રાન્ટેડ સ્કૂલના અસ્તિત્વને ટકાવવા શિક્ષણમંત્રીને રજૂઆત:સરાસરી હાજરીના નિયમમાં ફેરફાર કરવા શાળા સંચાલક મહામંડળની માંગ, ધો-9 અને 10ની સ્કૂલ ચાલુ રહે તે માટે રજૂઆત

    2 दिन पहले

    રાજ્યની બે વર્ગોની ગ્રાન્ટેડ સ્કૂલના અસ્તિત્વને ટકાવવા રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા શિક્ષણમંત્રીને રજૂઆત કરવામાં આવી છે. એક વર્ગમાં વિદ્યાર્થીઓની સરાસરી હાજરી ગ્રામ્ય વિસ્તારમાં 23 અને શહેરી વિસ્તારમાં 36 રાખવામાં આવી છે. જેથી આ નિયમના કારણે ગ્રાન્ટેડ શાળાઓ બંધ થતી હોવાથી સરાસરી હાજરીમાં ફેરફાર કરવા શિક્ષણમંત્રી પાસે માંગ કરવામાં આવી છે. તેમજ વર્ગો ઘટાડવાના નિયમમાં પણ ફેરફાર કરવામાં આવે તેવી શિક્ષણમંત્રી પાસે માંગ કરવામાં આવી છે. ગ્રાન્ટેડ માધ્યમિક સ્કૂલના અસ્તિત્વ પર જોખમ રાજ્યમાં માત્ર બે વર્ગો ધરાવતી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલના અસ્તિત્વ પર સંકટ ઊભું થયું છે. વિદ્યાર્થીઓની સંખ્યા ઘટતાં વર્ગો પણ બંધ કરવાની ફરજ પડી રહી છે. જેના પરિણામે અનેક જૂની ગ્રાન્ટેડ શાળા બંધ થવાની કગાર પર પહોંચી રહી છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખી સરકારે વર્ગોની મંજૂરી અને ઘટાડા સંબંધિત નીતિમાં તાત્કાલિક સુધારો કરવો જોઇએ તેવી માંગ કરવામાં આવી છે. 'ગ્રામ્ય વિસ્તારમાં બાળક ધો. 10 સુધી અભ્યાસ કરી શકે' રાજ્ય શાળા સંચાલક મહામંડળના અધ્યક્ષ ભાસ્કર પટેલે જણાવ્યું હતું કે, બે વર્ગોની 4700 માધ્યમિક સ્કૂલ છે. બે વર્ગ એટલે ધોરણ 9 અને ધોરણ 10. આ શાળા અમારા માટે એટલા માટે વિશેષ પ્રકારની છે કે કારણ કે ગામડાઓમાં બાળક ઓછામાં ઓછું ધોરણ 10 સુધી તો અભ્યાસ કરી શકે. જેથી બે વર્ગની શાળાઓ ચાલુ રહે તે માટે શિક્ષણમંત્રીને રજૂઆત કરવામાં આવી છે. રાજ્યમાં ગ્રાન્ટેડ શાળાઓ ચાલુ રહે તેવી અમારી રજૂઆત છે. જો એકપણ ગ્રાન્ટેડ શાળા બંધ થતી હોય તો સ્થાનિક ટ્રસ્ટ અથવા સ્થાનિક મંડળ બનાવીને પણ તે શાળા ચાલુ રાખવા માટેની રાજ્ય સરકાર પ્રયાસ કરે તેવી રજૂઆત કરવામાં આવી છે. બે વર્ગોની સ્કૂલમાં સરાસરી હાજરી ઘટાડવા માંગ ભાસ્કર પટેલે વધુમાં જણાવ્યું હતું કે, અગાઉ રાજ્ય સરકારે પણ સ્વીકાર્યું છે કે, વર્ષો પહેલા જ્યારે બે પ્રકારની સ્કૂલ ચાલતી હતી. સાર્વજનિક સ્કૂલ અને સરકારી સ્કૂલ, ત્યારે ટ્રસ્ટ સંચાલિત સ્કૂલ જ શિક્ષણમાં મોટું યોગદાન આપ્યું છે. સરાસરી હાજરી ઘટાડવાની માંગ પણ શિક્ષણમંત્રી પાસે કરવામાં આવી છે. તેમજ ગ્રાન્ટમાં ટેકો કરી સ્લેબમાં સુધારો કરવાની માંગ પણ કરવામાં આવી છે. જેથી આગામી સમયમાં શિક્ષકોની જે ભરતી છે તેમાં જે નાની શાળાઓ છે કે જે બે વર્ગની તેને ફાળવવામાં આવે. સામાન્ય રીતે રેશિયો એક આચાર્ય અને ત્રણ શિક્ષક એમ કુલ ચારનો સ્ટાફ આપવાની બાબત છે તેને પૂર્ણ કરવા માટેની પણ રજૂઆત કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં બીજા દિવસે પણ વરસાદ, લખતરમાં ડેમનો પાળો તૂટ્યો:સુરતમાં ખાડીપુરથી લોકો ત્રસ્ત, દુકાનો-ઘરોમાં પાણી; આજે 8 જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ
    Next Article
    ચતુર્થી અને રવિવારનો યોગ!:ગણપતિ સાથે સૂર્યદેવની પૂજા કરો, ગ્રહોના રાજાને જળ ચઢાવો અને ગોળનું દાન કરો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment