Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં બીજા દિવસે પણ વરસાદ, લખતરમાં ડેમનો પાળો તૂટ્યો:સુરતમાં ખાડીપુરથી લોકો ત્રસ્ત, દુકાનો-ઘરોમાં પાણી; આજે 8 જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ

    2 days ago

    24 કલાકમાં 257 તાલુકામાં સૌથી વધુ મોરબીમાં 8.78 ઇંચ, ટંકારમાં 7.64 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે સુરેન્દ્રનગરના ધાંગધ્રા 7, મોરબીના હળવદમાં સાડા છ ઈંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત 25 તાલુકામાં 3થી 6 ઈંચ તો 102 તાલુકામાં 1થી 2 ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે બાકીના તાલુકામાં 1 ઈંચ કરતા ઓછો વરસાદ પડ્યો છે. આજે (2 ઓગસ્ટ) સવારના 6થી 8 વાગ્યા સુધીમાં કપરાડા, ઉમરપાડા, માણાવદર, જેતપુર પાવી સહિત 44 તાલુકામાં 1 મિમીથી લઈને અડધા ઇંચ સુધીનો વરસાદ નોંઘાયો છે. શનિવારે ખાબકેલા વરસાદથી સૌરાષ્ટ્ર, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં તારાજી સર્જાઈ હતી. સૌથી વધુ મેઘરાજાએ મોરબી અને સુરેન્દ્રનગરને ધમરોળ્યું છે. સુરેન્દ્રનગરના લખતર સહિતના વિસ્તારોમાં પાણી ભરાવાથી ગામો સંપર્ક વિહોણા બન્યા હતા. વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ થયો હતો. વઢવાણ ભોગાવો-2 (ધોળીધજા) ડેમ અને ધ્રાંગધ્રાનું રણમલ તળાવ ઓવરફ્લો થયું હતું. સુરતમાં ફરી ખાડીપૂરથી સણીયા હેમાદમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. નવસારી બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, ઊંઝા, વડોદરા સહિતના જિલ્લામાં ભારે વરસાદથી પાણી ભરાયા હતા. રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે. આજે 8 જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને લઈ ‘યલો એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. લખતરના ભાથરીયા ગામનો ડેમનો પાળો તૂટતાં ઊભા પાકને નુકસાન સુરેન્દ્રનગર જિલ્લાના લખતર પંથકમાં ગઈકાલે નોંધાયેલા 8 ઈંચથી વધુ અનરાધાર વરસાદને કારણે ભાથરીયા ગામનો ડેમ પાણીની ભારે આવક સહન ન કરી શકતાં આજે સવારે તૂટી ગયો છે. ડેમ તૂટવાના કારણે ધસી આવેલા પાણીના ચંડ પ્રવાહને લીધે ભાથરીયા ગામની સીમમાં ચારેય તરફ જળબંબાકાર સર્જાયો હતો, જેનાથી ખેતરોમાં ઊભો પાક તારાજ થઈ ગયો છે અને મોટા પાયે જમીનનું ધોવાણ પણ થયું છે. ગામ પહેલાથી જ સંપર્કવિહોણું બન્યું હોવાથી સ્થાનિક યુવા સરપંચ અને તાલુકા ભાજપ મહામંત્રીએ વરસાદ વચ્ચે જ નીચાણવાળા વિસ્તારોની મુલાકાત લઈ રાહત કામગીરી હાથ ધરી હતી. હળવદના જૂના માલણીયાદમાં ફસાયેલા તમામ 12 લોકોનો આબાદ બચાવ મોરબીના હળવદ તાલુકામાં સાડા છ ઇંચ વરસાદ બાદ કંકાવટી નદીમાં ઘોડાપૂર આવતાં જૂના માલણીયાદ ગામ પાસે ખેતર-વાડીઓમાં કામ કરતા શ્રમજીવી પરિવારના બાળકો અને મહિલાઓ સહિત 12 લોકો ફસાઈ ગયા હતા. સ્થાનિક તંત્ર, ફાયર અને SDRF બાદ કલેક્ટરની સૂચનાથી કચ્છથી આવેલી NDRF ની ટીમે રવિવારે વહેલી સવારે સફળ ઓપરેશન પાર પાડી 2 મહિલા સહિત 5 લોકોને સલામત રીતે બહાર કાઢ્યા હતા, જ્યારે સામા કાંઠે ફસાયેલા બાળકો સહિતના અન્ય 7 લોકો પરિવારજનોની મદદથી સુરક્ષિત રીતે જાતે બહાર આવી જતાં તંત્રે રાહતનો શ્વાસ લીધો છે. ચાર સિસ્ટમ સક્રિય, બંદરો પર નંબર-3નું સિગ્નલ હાલ રાજ્ય પર વેલમાર્ક લો પ્રેશર, મોનસૂન ટ્રફ, શિયર ઝોન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિત કુલ ચાર હવામાન પ્રણાલીઓ સક્રિય હોવાથી વરસાદી માહોલ સર્જાયો છે. દરિયાઈ સ્થિતિ ઉગ્ર બનતા 2 ઓગસ્ટ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે અને રાજ્યના તમામ બંદરો પર નંબર-3નું ચેતવણી સિગ્નલ લગાવવામાં આવ્યું છે. બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં 149.6 મીમી વરસાદ સાથે પાંચમી વખત રેકોર્ડબ્રેક વરસાદ નોંધાયો છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 439.9 મીમી વરસાદ નોંધાયો છે, જ્યારે સામાન્ય રીતે આ સમયગાળા દરમિયાન 380.9 મીમી વરસાદ થવો જોઈએ. એટલે કે રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ કરતાં 16 ટકા વધુ વરસાદ નોંધાયો છે. 1 ઓગસ્ટના વરસાદની પળેપળની અપડેટ 1 ઓગસ્ટના વરસાદની તસવીરો…
    Click here to Read More
    Previous Article
    પીએમ આજે નશા મુક્ત યુવા અભિયાન લોન્ચ કરશે:વર્ચ્યુઅલ કાર્યક્રમમાં 10 હજારથી વધુ સ્થળોએથી જોડાયા યુવાનો; 100 અઠવાડિયા સુધી દર રવિવારે કાર્યક્રમ યોજાશે
    Next Article
    બે વર્ગોની ગ્રાન્ટેડ સ્કૂલના અસ્તિત્વને ટકાવવા શિક્ષણમંત્રીને રજૂઆત:સરાસરી હાજરીના નિયમમાં ફેરફાર કરવા શાળા સંચાલક મહામંડળની માંગ, ધો-9 અને 10ની સ્કૂલ ચાલુ રહે તે માટે રજૂઆત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment