Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાણીની લૂંટ ને પોલીસનો લાઠીચાર્જ, ઉધના રેલવે સ્ટે. પર અફરાતફરી:મહિલાઓ અણીદાર બેરીકેડ કુદી અને લોકો બેભાન થયા, બાળકોની ચીસો નીકળી, 8000થી વધુ મુસાફરો સામે બે ટ્રેન

    4 days ago

    ઉનાળાના વેકેશનની શરૂઆત થતા જ સુરતમાં વસતા પરપ્રાંતીયોએ વતન તરફ દોટ મૂકી છે, જેના કારણે ઉધના રેલવે સ્ટેશન પર ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો છે. મુસાફરો છેલ્લા 16 કલાકથી ભૂખ્યા-તરસ્યા 2 કિલોમીટરથી વધુ લાંબી લાઈનોમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે. ભીડ એટલી હદે વધી ગઈ છે કે તેને કાબૂમાં લેવામાં પોલીસના પણ પરસેવા છૂટી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે, 8000થી વધુ મુસાફરોની સામે માત્ર બે ટ્રેનની સુવિધા ઉપલબ્ધ હોવાથી આ સ્થિતિ સર્જાઈ છે. અસહ્ય ગરમી અને ગૂંગળામણને કારણે લાઈનમાં ઊભેલા બે મુસાફરો બેભાન થઈ ગયા હોવાના અહેવાલ છે. તંત્ર દ્વારા પૂરતી વ્યવસ્થા ન હોવાને કારણે મુસાફરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પીવાના પાણીની તીવ્ર અછત વચ્ચે જ્યારે પાણીની વ્યવસ્થા કરવામાં આવી, ત્યારે લોકો એકબીજાના હાથમાંથી પાણીની બોટલો લૂંટતા હોય તેવા ભયાનક દૃશ્યો સામે આવ્યા હતા. આ ભીડમાં એક હૃદયદ્રાવક કિસ્સો પણ જોવા મળ્યો હતો, જેમાં એક યુવક પોતાની પત્નીની અસ્થિઓ હાથમાં લઈ કલાકો સુધી ટ્રેનમાં ચઢવા માટે આમતેમ રઝળતો રહ્યો હતો. હાલમાં પણ રેલવે સ્ટેશન પર મુસાફરોનું કીડિયારું ઉભરાયું હોય તેવી સ્થિતિ છે. રેલવે સ્ટેશનની ભયાનક સ્થિતિ દર્શાવતી તસવીરો
    Click here to Read More
    Previous Article
    ચારધામ યાત્રા શરૂ, ગંગોત્રી-યમુનોત્રીના કપાટ ખુલ્યા:માતા ગંગાના દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ; બાબા કેદારની પાલખી પણ ઉખીમઠથી રવાના
    Next Article
    અખાત્રીજે સાબરકાંઠાના ખેડૂતોએ ખેડાણનું મુહૂર્ત કર્યું:હિંમતનગર સહિત જિલ્લામાં પરંપરાગત રીતે કૃષિ કાર્યનો પ્રારંભ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment