Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગરમાં વસ્તીના ચોક્કસ આંકડા માટે તંત્રનો ધમધમાટ:મનપા દ્વારા વસ્તી ગણતરીનો એક્શન પ્લાન જાહેર, 1000 કર્મચારીઓ મોરચો સંભાળશે

    11 hours ago

    ગાંધીનગરમાં આગામી સમયમાં હાથ ધરાનાર વસ્તી ગણતરીની પ્રક્રિયાને લઈને વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. શહેરના વિકાસના આયોજન માટે અત્યંત મહત્વની એવી આ પ્રક્રિયાને ક્ષતિરહિત અને સમયસર રીતે પૂર્ણ કરવા માટે ગાંધીનગર મહાનગરપાલિકાએ કમર કસી છે. આજરોજ મહાનગરપાલિકાના કમિશનરની અધ્યક્ષતામાં યોજાયેલી હાઈલેવલ મીટિંગમાં વસ્તી ગણતરીના પ્રથમ તબક્કા એટલે કે ઘરયાદી તૈયાર કરવાની કામગીરી અંગેની રૂપરેખા ફાઈનલ કરવામાં આવી છે. 1 જૂનથી 30મી જૂન સુધી વસ્તી ગણતરી કામગીરી ગાંધીનગરમાં આગામી 1 જૂનથી 30મી જૂન સુધીના એક માસના સમયગાળા દરમિયાન વસ્તી ગણતરીની કામગીરી ચાલશે. આ ઝુંબેશ અંતર્ગત ગણતરીદારો શહેરના દરેક રહેણાંક અને વ્યાવસાયિક એકમોની મુલાકાત લઈ ડેટા એકત્રિત કરશે. કમિશનરની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર સહિત તમામ ઝોનના ચાર્જ ઓફિસર અને મદદનીશ ચાર્જ અધિકારીઓ સાથે કામગીરીના માળખા અંગે ચર્ચા કરવામાં આવી હતી. 1069 કર્મચારીઓની નિમણૂંક વહીવટી તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે કે દરેક નાગરિકની માહિતી સચોટ રીતે નોંધાય તે માટે કોઈ પણ વિસ્તાર બાકી ન રહી જાય તેની તકેદારી રાખવી. આ મહાઅભિયાનને સફળ બનાવવા માટે ગાંધીનગર મહાનગરપાલિકાએ આયોજન કર્યું છે. જે અન્વયે કુલ 925 ગણતરીદારો અને 144 સુપરવાઈઝરો મળીને 1069 કર્મચારીઓની નિમણૂંક કરી દેવામાં આવી છે. 25 મે સુધી ગણતરીદારો અને સુપરવાઈઝરોને તાલીમ આ આખી પ્રક્રિયા પર દેખરેખ રાખવા માટે 14 અનુભવી ફીલ્ડ ટ્રેનરોને જવાબદારી સોંપવામાં આવી છે. વસ્તી ગણતરી એ માત્ર આંકડાકીય માહિતી નથી, પરંતુ તે ભવિષ્યની યોજનાઓનો આધાર છે તેથી તેમાં કોઈ ભૂલ ન થાય તે હેતુથી સ્ટાફ માટે વિશેષ તાલીમ સત્રોનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા. 11થી 25 મે દરમિયાન તમામ ગણતરીદારો અને સુપરવાઈઝરોને સઘન તાલીમ આપવામાં આવશે. આધુનિક ટેકનોલોજીનો સહારો લેવાશે આ તાલીમમાં મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ, પ્રશ્નાવલી ભરવાની રીત અને ફિલ્ડ વર્ક દરમિયાન આવતી મુશ્કેલીઓના નિવારણ અંગે માર્ગદર્શન આપવામાં આવશે.કોર્પોરેશનના સૂત્રોના જણાવ્યા અનુસાર, ગાંધીનગરનું તંત્ર આ કામગીરી માટે સંપૂર્ણ રીતે સજ્જ છે. આંકડાકીય ચોકસાઈ જાળવવા માટે આધુનિક ટેકનોલોજીનો પણ સહારો લેવામાં આવશે. શહેરના નાગરિકોને પણ અપીલ છે કે જ્યારે ગણતરીદારો તેમના ઘરે આવે ત્યારે સાચી અને પૂરી માહિતી આપીને આ કાર્યમાં સહયોગ આપે.
    Click here to Read More
    Previous Article
    એક્ટર વિજય તમિલનાડુના CM બનશે:રાજ્યપાલને 118 ધારાસભ્યોનો સમર્થન પત્ર સોંપ્યો, સરકાર બનાવવાની મંજૂરી મળી; કાલે શપથ સંભવ
    Next Article
    વડોદરામાં સિક્યોરિટી ગાર્ડ સહિત 4 લોકોનો યુવક પર હુમલો:પોલીસે યોગ્ય કાર્યવાહી કરી ન હોવાના આક્ષેપ સાથે પરિવારે CPને રજૂઆત કરી, ઇજાગ્રસ્તના ભાઈએ કહ્યું: મારા ભાઈની હાલત ગંભીર, હત્યાના પ્રયાસની કલમ દાખલ કરો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment