Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યંગ જાયન્ટ્સ બોટાદે રખડતી ગાયોને ઘાસચારો આપ્યો:ઉનાળાની ગરમીમાં 800 કિલો લીલો ઘાસચારો વિતરણ કરાયો

    2 days ago

    યંગ જાયન્ટ્સ બોટાદ દ્વારા રવિવારે રખડતી ગાયોને 800 કિલો (40 મણ) લીલો ઘાસચારો ખવડાવવામાં આવ્યો. ઉનાળાની કાળઝાળ ગરમીમાં અબોલ જીવોને રાહત આપવાના હેતુથી આ જીવદયા પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી. આ સેવાકાર્ય આંતરરાષ્ટ્રીય સેવા સંસ્થા જાયન્ટ્સ વેલ્ફેર ફાઉન્ડેશન સાથે સંલગ્ન યંગ જાયન્ટ્સ બોટાદ દ્વારા કરાયું હતું. સંસ્થા માનવ સેવા, જીવદયા, પર્યાવરણ, શૈક્ષણિક અને આરોગ્ય વિષયક અનેક પ્રવૃત્તિઓ નિયમિતપણે કરે છે. આ ગૌ-સેવા યજ્ઞમાં યંગ જાયન્ટ્સના પ્રમુખ અમન દોશી, ઉપપ્રમુખ બ્રીજ દાણી, સેક્રેટરી અક્ષત રાણપુરા, મનીષ મકવાણા અને વિશાલ વસાણી સહિતના સભ્યો જોડાયા હતા. તેમણે સક્રિયપણે ઘાસચારાનું વિતરણ કર્યું હતું.જાયન્ટ્સ ફેડરેશનના પદાધિકારીઓ ગ્રીન મેન સી.એલ. ભીકડીયા અને નિલેશભાઈ કોઠારીએ આ ઉમદા પ્રવૃત્તિને બિરદાવી હતી. તેમણે યુવાનોના જીવદયાના સેવા યજ્ઞની સરાહના કરી હતી.
    Click here to Read More
    Previous Article
    વલસાડના ગુંદલાવમાં ‘મન કી બાત’ કાર્યક્રમ યોજાયો:ધારાસભ્ય ભરત પટેલની હાજરી, મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટ્યા
    Next Article
    મણિનગર રેલવે સ્ટેશન પર છુટ્ટા હાથની મારામારી, CCTV:ઈડલીની લારી પર નાસ્તો કરીને અજાણ્યા શખસોની લારીચાલક સાથે દાદાગીરી, નાસ્તાના પૈસા માગતા ઢોરમાર માર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment