Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આ વર્ષે રથયાત્રામાં દરેક હાથી પર CCTV-ડેસિબલ મીટર લગાવાશે:કંટ્રોલ રૂમથી ગતિવિધિ પર નજર રખાશે, ગયા વર્ષે હાથી ભડકવાના કારણે નાસભાગ મચી હતી

    2 days ago

    16મી જુલાઈએ અમદાવાદમાં નીકળનારી 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવાની શરૂઆત કરી દેવામાં આવી છે. ગયા વર્ષે ખાડિયા વિસ્તારમાંથી રથયાત્રા પસાર થઈ રહી હતી ત્યારે ડીજે અને સિસોટીના અવાજથી એક હાથી ભડકતા ભારે નાસભાગ મચી હતી. મહામહેનતે હાથી કાબૂમાં આવ્યો હતો. આ પ્રકારની ઘટનાનું આ વર્ષે પુનરાવર્તન ન થાય તે માટે તંત્રએ તૈયારીઓ શરૂ કરી છે. રથયાત્રામાં સામેલ થતા તમામ 18 હાથી અને તેની આસપાસની ગતિવિધિ પર નજર રહી શકે તે માટે તમામ પર સીસીટીવી લગાવવાનો નિર્ણય કરાયો છે. આ ઉપરાંત હાથીની આસપાસ થતો ઘોંઘાટ કેટલો છે તે જાણવા માટે ડેસિબલ મીટર પણ લગાવવાનો નિર્ણય કરાયો છે. રથયાત્રા દરમિયાન તમામ 18 હાથીની મુવમેન્ટ પર કંટ્રોલરૂમથી નજર રખાશે. અમદાવાદની રથયાત્રામાં પ્રથમવાર હાથી માટે હાઈટેક સુરક્ષા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તૈયાર કરાયેલા આયોજન મુજબ દરેક હાથી પર એક સીસીટીવી કેમેરો લગાવવામાં આવશે. આ કેમેરા હાથીની આસપાસની ભીડ, લોકોની હિલચાલ અને કોઈ શંકાસ્પદ સ્થિતિ પર સતત નજર રાખશે. કેમેરામાંથી મળતા દૃશ્યો કંટ્રોલ રૂમ સુધી પહોંચશે, જેથી કોઈ પણ અસામાન્ય પરિસ્થિતિ સર્જાય તો પોલીસ તાત્કાલિક કાર્યવાહી કરી શકે. આ ઉપરાંત તમામ હાથી પર ડેસિબલ મીટર પણ લગાવવામાં આવશે. આ સાધન હાથીની આસપાસના અવાજની તીવ્રતા માપશે. જો અવાજ નિર્ધારિત મર્યાદાથી વધુ હશે તો પોલીસ અને આયોજકોને તાત્કાલિક જાણ થશે, જેથી ડીજે, બેન્ડ કે અન્ય ઘોંઘાટ બંધ કરાવી શકાય.ગત વર્ષે વધુ પડતા અવાજના કારણે હાથી ભડકવાની ઘટના સામે આવી હતી. તે ઘટનામાંથી બોધપાઠ લઈને આ વર્ષે સુરક્ષા વ્યવસ્થામાં આ ફેરફારો કરવામાં આવ્યા છે. ટ્રાફિક્, લાઈટીંગ અને ભીડ નિયંત્રણ માટે વિશેષ આયોજન રથયાત્રાને લઈને યોજાયેલી બેઠકમાં ગત વર્ષની રથયાત્રાના અનુભવના આધારે સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે સ્પષ્ટ સૂચના આપી છે કે જ્યારે રથયાત્રામાં હાથી પસાર થાય ત્યારે ડીજે, ઊંચા અવાજના સ્પીકર અથવા અન્ય ઘોંઘાટ થાય નહીં તેની ખાસ તકેદારી રાખવામાં આવશે. ખાસ કરીને સાંજે રથયાત્રા જમાલપુર મંદિર પરત ફરે ત્યારે મોટી સંખ્યામાં ઉમટતા શ્રદ્ધાળુઓને ધ્યાનમાં રાખીને ટ્રાફિક, લાઇટિંગ અને ભીડ નિયંત્રણ માટે વિશેષ આયોજન કરવામાં આવશે. 2025માં હાથી ભડકતા રથયાત્રામાં નાસભાગ મચી હતી 2025માં જ્યારે રથયાત્રા નીકળી અને ખાડિયા વિસ્તારમાં પહોંચી ત્યારે ખાડિયા ચાર રસ્તા પાસે એક હાથી બેકાબૂ બની દોડધામ કરવા લાગ્યો હતો. જેની પાછળ અન્ય પણ બે થી ત્રણ હા્થી દોડવા લાગ્યા હતા. નર હાથી બેકાબૂ થતાં બે માદા હાથીએ એને કાબૂ કર્યો હતો. હાથી બેકાબૂ થવાના કારણ અંગે જે તે સમયે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઝૂ વિભાગના અધિકારી આર.કે.સાહુએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે વધુપડતી સિસોટી વાગતાં અને ડીજેના અવાજથી હાથી બેકાબૂ થઈ ગયો હતો.
    Click here to Read More
    Previous Article
    સરીગામમાં 4 પરપ્રાંતીય જુગાર રમતા ઝડપાયા:પોલીસ દરોડામાં ₹10,390નો મુદ્દામાલ જપ્ત
    Next Article
    'દાન બંગલા બનાવવામાં જતું ન રહે તે વિચારીને આપીશું', VDEO:'રામને લાવ્યા છીએ એવું કહેનારા જ રામને ચોરી ગયા', રામ મંદિરમાં દાનચોરી અંગે અમદાવાદીઓ શું બોલ્યા?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment