Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અકોટામાં ઘરના મંદિરમાંથી 800 ગ્રામ વજનની મૂર્તિઓની ચોરી:ઘરના દરવાજાના તાળા તૂટેલા ન હોવાથી ચોરીનું રહસ્ય ઘેરાયું

    2 days ago

    વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં આવેલા ઘરના મંદિરમાંથી 800 ગ્રામ વજનની મૂર્તિઓની ચોરી થઈ છે. ઘરના દરવાજાના તાળા તૂટેલા ન હોવાથી ચોરીનું રહસ્ય ઘેરાયું છે. આ મામલે અકોટા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. મંદિરમાં પૂજા કરવા ગયા ને જોયું તો ચાંદીની મૂર્તિઓ ગાયબ વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં આવેલી કૃષ્ણા શાંતિ સોસાયટી વિસ્તારમાં રહેતા પ્રતિકભાઈ રામમનોહર તિવારીએ નોંધાવેલી ફરીયાદ મુજબ, તેઓ સિવિલ કામ કરે છે. ગત. 13 માર્ચ 2026ના રોજ પ્રતિકભાઈ તથા તેમના ભાઈ સાથે કામકાજ અર્થે ભરૂચ ગયા હતાં. દરમિયાન સાંજે આશરે 7:30 વાગ્યાની આસપાસ તેમની પત્ની દિવ્યાબેનનો ફોન આવ્યો હતો. ફોનમાં તેમણે જણાવ્યું કે તેઓ ઘરે આવેલા મંદિરમાં પૂજા કરવા ગયા હતા, ત્યારે મંદિરમાં રાખેલી ચાંદીની મૂર્તિઓ ગાયબ જોવા મળી હતી. ઘરના તાળા તૂટેલા નથી, તો ચોરી કેવી રીતે થઈ? પ્રતિકભાઈ અને તેમના ભાઈ તાત્કાલિક ઘરે પરત ફર્યા અને તપાસ કરતા મંદિરની બંને ચાંદીની મૂર્તિઓ ગુમ હોવાનું જાણવા મળ્યું હતું. ચોરી થયેલી મૂર્તિઓમાં લક્ષ્મીમાતાજીની મૂર્તિ, ગણેશજીની બેઠેલી મૂર્તિનો સમાવેશ થાય છે. બન્ને મૂર્તિઓનું કુલ વજન આશરે 800 ગ્રામ હોવાનું અને તેની અંદાજિત કિંમત રૂપિયા 1.30 લાખ જેટલી હોવાનું જણાવાયું છે. ખાસ વાત એ છે કે, ઘરના તાળા તૂટેલા નથી, જેના કારણે ચોરી કેવી રીતે થઈ તે અંગે રહસ્ય ઊભું થયું છે. બપોરે મંદિરેથી મૂર્તિઓ ચોરાયાની આશંકા અજાણ્યા ચોર દ્વારા તા. 13 માર્ચના બપોરે 3 વાગ્યાથી સાંજે 6 વાગ્યાની વચ્ચે મંદિરેથી મૂર્તિઓ ચોરી કરવામાં આવી છે. આ મામલે અકોટા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસે સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે વધુ તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ક્રિકેટર કુલદીપ યાદવ દુલ્હન સાથે વિન્ટેજ કારમાં પહોંચ્યો:CM યોગીને પગે લાગ્યો, રિસેપ્શનમાં ગંભીર-ધવન અને જાડેજા પણ પહોંચ્યા
    Next Article
    પોરબંદરમાં 57 કરોડના ખર્ચે નવા રસ્તાનું નિર્માણ થશે:માર્ગ અને મકાન વિભાગ દ્વારા 11.5 કિલોમીટર લાંબા રસ્તાનું કામ મંજૂર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment