Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોડાસાની કલરવ સ્કૂલમાં જગન્નાથ રથયાત્રા:800 બાળકોએ પોતાના હાથે બનાવેલા રથમાં ભગવાનને બિરાજમાન કર્યા

    17 hours ago

    મોડાસાની કલરવ શિશુ વિકાસ કેન્દ્રમાં અષાઢી સુદ બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રાની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં ધોરણ 1 થી 5 ના આશરે 800 વિદ્યાર્થીઓ અને 40 શિક્ષકો જોડાયા હતા. વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ પોતાના હાથે ભગવાન જગન્નાથની પ્રતિમાઓ અને આકર્ષક રથ તૈયાર કર્યા હતા. આ રથયાત્રા મોડાસા કેળવણી મંડળ સંચાલિત કલરવ શિશુ વિકાસ કેન્દ્ર દ્વારા આયોજિત કરવામાં આવી હતી. કાર્યક્રમનું પ્રસ્થાન મંડળના પ્રમુખ બીપીનભાઈ શાહના હસ્તે કરવામાં આવ્યું હતું. ભગવાન જગન્નાથના જયઘોષ સાથે સમગ્ર શાળા પરિસર ગુંજી ઉઠ્યું હતું. સુંદર રીતે શણગારાયેલા રથ સાથે શાળા પરિસરમાં રથયાત્રા નીકળી હતી, જેમાં નાના બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. 'જય જગન્નાથ' અને 'જય રણછોડ, માખણ ચોર'ના નાદ વચ્ચે અબીલ-ગુલાલની છોળો ઉડી રહી હતી. સંગીતના તાલે ભજન-કીર્તન અને રાસ-ગરબામાં બાળકો ઝૂમ્યા હતા. સંસ્થાના હોદ્દેદારો, શિક્ષકો અને મહેમાનોએ પણ ભગવાન જગન્નાથના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. ઉજવણીના અંતે તમામ મહેમાનો, વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ફણગાવેલા મગ અને જાંબુનો પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો. આ રથયાત્રાએ વિદ્યાર્થીઓમાં ધાર્મિક મૂલ્યો અને એકતાનો સંદેશ પ્રસરાવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ચીખલી સ્વામિનારાયણ સ્કૂલમાં ઇન્વેસ્ટિચર સમારંભ યોજાયો:સાયબર ક્રાઇમ ઇન્સ્પેક્ટર ઉમંગ મોદીએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું
    Next Article
    ભાવનગરમાં 41મી વિધિવત રથયાત્રાનો આસ્થાભેર પ્રારંભ:કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાએ "છેડાપોરા" અને "પહિન્દ" વિધિ કરી કરાવ્યું પ્રસ્થાન, હાથી ઘોડા પાલખી જય કનૈયાલાલ કી ના નાદ સાથે ભાવેણું ગુંજયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment