Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નજીકના 80 ગામો માટે પર્યાવરણીય લોક સુનવણી:નવસારીના અષ્ટગામની ફર્ટિલાઇઝર કંપનીના વિસ્તૃતિકરણ સામે નજીકના ગામોમાં વિરોધ શરૂ

    4 days ago

    નવસારીના અષ્ટગામમાં ચાલતી રસાયણિક ખાતર બનાવતી કંપનીના વિસ્તૃતિકરણ મામલે વિરોધ શરૂ થયો છે. જીપીસીબીની પર્યાવરણીય સુનવણીમાં અસરગ્રસ્ત ગામના લોકોએ વિરોધ કરવા સાથે પૂરતી જાણકારી નહી આપવાનો પણ આક્ષેપ કર્યો છે. નવસારીના અષ્ટગામ ખાતે ઇન્ડિયન પોટાશ લિમિટેડની રાસાયણિક ખાતર વિગેરે બનાવટી ફેક્ટરી ચાલે છે. તેઓ કેમિકલ ફર્ટિલાઇઝરના ઉત્પાદન માટે વિસ્તરણ કરવાનો એક પ્રોજેક્ટ બનાવી રહી છે. જેની દરખાસ્ત થતા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (જીપીસીબી ) દ્વારા લોક સુનવણી ખડસુપા ખાતે અગાઉ 9 જૂને રખાઈ જે મોકૂફ રહેતા હાલ મંગળવારે રખાઈ હતી. આ સુનવણી માટે નવસારી,ગણદેવી તાલુકાના 80 ગામોમાં તલાટી, સરપંચ અને અખબાર મારફત કરાઇ હોવાનું કહેવાય છે. સુનવણીમાં નજીકના અસરગ્રસ્ત ગામના જે લોકો હાજર રહ્યા તેઓએ પર્યાવરણને હાનિકારક પ્રોજેક્ટ હોય વિરોધ કર્યો હતો. વધુમાં સુનવણી જે રીતે હાથ ધરાઈ તે પ્રક્રિયા સામે પણ વિરોધ કર્યો કારણકે અસરગ્રસ્ત 80 ગામના લોકોને પૂરતી જાણકારી સમયસર નહી અપાય તેવો આક્ષેપ કરાયો. મળતી માહિતી મુજબ અસરગ્રસ્ત ગામના લોકો કંપની અને તંત્ર સામે આગામી દિવસોમાં ઉચ્ચસ્તરે રજૂઆત કરવાનું વિચારી રહ્યાં છે. પ્રદૂષણની વિપરીત અસર, સુનવણીમાં કંપનીના માણસો બેસાડ્યા હાલ પણ ફેક્ટરીમાં જે ઉત્પાદન થાય છે તેની વિપરીત અસર નજીકમાં દેખાય છે. પીળો કલર ચોંટેલ જોવા મળે છે. જીપીસીબી દ્વારા પર્યાવરણીય સુનવણી જે ખડસુપા રખાઈ હતી. તેમાં 80 અસરગ્રસ્ત ગામોમાં પૂરતી જાણ કરાઈ ન હતી. બીજુ કે કંપનીના માણસો પણ સુનવણીમાં બેસાડી દેવાયા હતા. અમે કલેક્ટરને આ બાબતની રજૂઆત કરીશું. > મેહુલ પટેલ, એડવોકેટ, નિયમાનુસાર પૂરતી જાણકારી અપાઈ અસરગ્રસ્ત વિસ્તારમાં નિયમાનુસારની જાણકારી પર્યાવરણીય સુનવણી અંગે અપાઈ હતી. સુનવણી દરમિયાન પ્રશ્નો લેવાયા હતા. સુનવણીમાં કંપનીના માણસો નહી આવે શકે એવું નથી, આવી શકે છે પણ સવાલ નહી પૂછી શકે.> એન ડી પટેલ, અધિકારી, જીપીસીબી, નવસારી અષ્ટગામ ઉત્પાદનમાં તકેદારી નહીં રખાય તો આ નુકસાની -અષ્ટગામની કંપનીમાં સિંગલ સુપર ફોસફેટ પાઉડર, એન.પી.કે. ગ્રેન્યુલેટેડ ફર્ટિલાઇઝરનું વિસ્તૃતિકરણની દરખાસ્ત છે. -ઝેરી વાયુ હવામાં ભળે તો વનસ્પતિ વિગેરેને નુકસાન. -હવામાં ખાતરની બારીક રઝકણ ઉડે અને પ્રદૂષણ -ટ્રીટમેન્ટ વિના પાણી છોડાય તો માછલી જળચરને નુકસાની -જમીનમાં લિકેજથી પાણી જાય તો નુકસાની. -જમીનની ફળદુતતાને પણ નુકસાની થાય. નોંધ : ઉત્પાદન વેળા કંપનીએ નુકસાની અને પ્રદૂષણ ન ફેલય તે માટે ચુસ્ત પ્રબંધન અને તકેદારી રાખવી પડે.
    Click here to Read More
    Previous Article
    પ્રવેશોત્સવ:રાજ્યની 37,211 શાળામાં 16.35 લાખ વિદ્યાર્થીનું નામાંકન કરાયું
    Next Article
    ધનોરી ગામે રહેણાંક‎વિસ્તારમાં ભર દિવસે તસ્કરોનો હાથફેરો‎:મહિલા ઘર બંધ કરી નવસારી મંદિરે દર્શન કરવા આવ્યા અને...

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment