Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    80 લાખ સામાન્યમુસાફરોની સુરક્ષા પર સવાલ:લોકલ હત્યા કેસ ગૃહમાં ગાજ્યોઃ સ્પીકરનો નિવેદન આપવા નિર્દેશ

    6 दिन पहले

    ઉપનગરીય લોકલ ટ્રેનમાં 22 વર્ષીય યુવાન મયંક લોહારની હત્યાનો મુદ્દો ગુરુવારે (25 જૂન) મહારાષ્ટ્ર વિધાનસભામાં જોરશોરથી ઊઠ્યો હતો. વિપક્ષે આ ઘટનાને સામાન્ય મુસાફરોની સુરક્ષા સાથે જોડાયેલો અત્યંત ગંભીર મુદ્દો ગણાવી સરકાર પાસે સ્પષ્ટતા માગી હતી. સમગ્ર ઘટનાની ગંભીરતા ધ્યાનમાં લઈને વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે રાજ્ય સરકારને 29 જૂને ગૃહમાં વિગતવાર નિવેદન રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. કોંગ્રેસના વિધાનસભ્ય નાના પટોલેએ જણાવ્યું હતું કે, દરરોજ આશરે 80 લાખ મુસાફરો મુંબઈની ઉપનગરીય ટ્રેનોમાં મુસાફરી કરે છે, ત્યારે આવી હત્યાની ઘટના ચિંતાજનક છે. તેમણે કહ્યું કે સુરક્ષાના અનેક દાવા છતાં ટ્રેનમાં યુવાનની હત્યા થવી દુર્ભાગ્યપૂર્ણ છે. પીડિત પરિવારને ઝડપથી ન્યાય મળે અને મુસાફરોની સુરક્ષા માટે અસરકારક પગલાં લેવામાં આવે તે જરૂરી છે. તેમણે ટ્રેન સુરક્ષા અંગે ગૃહમાં વિસ્તૃત ચર્ચાની પણ માંગ કરી હતી. સભ્યોની ચિંતાનો જવાબ આપતા અધ્યક્ષ રાહુલ નાર્વેકરે સરકારને ઘટનાના તમામ તથ્યો, તપાસની હાલની સ્થિતિ અને આગળ લેવામાં આવનારા પગલાં અંગે 29 જૂને ગૃહમાં નિવેદન રજૂ કરવા જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે મંગળવારે રાત્રે અંધેરી અને બોરીવલી વચ્ચે દોડતી પશ્ચિમ રેલવેની લોકલ ટ્રેનના ફર્સ્ટ ક્લાસ ડબ્બામાં દરવાજો ખુલ્લો રાખવા મુદ્દે થયેલા વિવાદ બાદ આરોપી રોશન (સચિન) રમેશ સુવર્ણાએ 22 વર્ષીય મયંક લોહાર પર ચાકુ વડે જીવલેણ હુમલો કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    આરોપીનો લોકલ ટ્રેનમાં હત્યા કરવાનો ચોક્કસ હેતુ:ટ્રેનમાં ચાકુ મારીને યુવાનની હત્યા કરનાર આરોપીને 5 દિવસ કસ્ટડી
    Next Article
    પિતા પર હત્યાનો ઢાંકપિછોડો કરવાનો આરોપ:18 મહિનાની નવજાતની હત્યારી માતાને જન્મટીપ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment