Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હર્ષ સંઘવીએ નવા કોર્પોરેટરોને કહ્યું- 5 વર્ષ પછી હિસાબ થશે:‘મારા જેવા અનેક લોકો પદ પર આવ્યા અને ગયા, કોર્પોરેટરનો ભાર મગજમાં રાખી નાગરિકો સાથે તોછડાઈભર્યું વર્તન ન કરતા’

    7 hours ago

    સુરતના રાજકારણમાં સેવા અને નમ્રતાનો એક અનોખો કિસ્સો જોવા મળ્યો છે. મજૂરા વિધાનસભા વિસ્તારમાં આયોજિત એક ભવ્ય કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જનતા અને કાર્યકર્તાઓ તરફથી મળેલા તમામ સન્માન અને ભેટ-સોગાદો ફરી જનતાના ચરણોમાં અર્પણ કરી દીધી હતી. આ પ્રસંગે તેમણે ચૂંટાયેલા પ્રતિનિધિઓને સત્તાના અહંકારથી દૂર રહી લોકસેવા કરવા પર ભાર મૂક્યો હતો. વડીલોના હસ્તે પારદર્શક રીતે ભેટની વહેંચણી કાર્યક્રમની શરૂઆત અત્યંત લાગણીસભર રહી હતી. નાયબ મુખ્યમંત્રીએ પ્રોટોકોલ બાજુ પર મૂકીને સમાજના વડીલોને સર્વોપરી સ્થાન આપ્યું હતું. કૈલાશજી સહિતના પાંચ વડીલોના હસ્તે ડ્રો સિસ્ટમ દ્વારા વિજેતાઓના નામ નક્કી કરવામાં આવ્યા હતા. આ પારદર્શક પદ્ધતિ દ્વારા વડીલોએ ઉઠાવેલી ચિઠ્ઠીમાં જે ટોકન નંબર નીકળ્યો, તે ભાગ્યશાળી કાર્યકર્તાઓને હર્ષ સંઘવીના હસ્તે સ્મૃતિ ચિન્હ કે ઉપહાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કોર્પોરેટર હોવાનો મગજ પર ભાર લઈને ન ફરોઃ સંઘવી હર્ષ સંઘવીએ પોતાના સંબોધનમાં ચૂંટાયેલા કોર્પોરેટરો અને હોદ્દેદારોને ટકોર કરતા જણાવ્યું હતું કે, તમારા મગજમાં જે ભાર છે કે હું કોર્પોરેટર બન્યો છું, તે ઉતારી નાખો. આ પદ જનતાની સેવા કરવાનો અવસર છે. મારા જેવા અનેક લોકો પદ પર આવ્યા અને ગયા, પણ જો જનતા સાથે ગેરવર્તન થશે તો તે સૌથી મોટું નુકસાન સાબિત થશે. તેમણે વધુમાં ઉમેર્યું કે, જ્યારે સામાન્ય નાગરિક પોતાની સમસ્યા લઈને આવે કે ફોન કરે, ત્યારે તેની સાથે તોછડાઈભર્યું વર્તન કરવું તે પાપ સમાન છે. કાર્યકર્તાઓ રાત-દિવસ એક કરીને નેતાને જીતાડે છે, પરંતુ જો નેતાનો વ્યવહાર ખરાબ હશે તો કાર્યકર્તાની મહેનત એળે જશે. ‘સંગઠન અને જનતા પાંચ વર્ષે હિસાબ લેશે’ કાર્યકર્તાઓના મહત્વને સમજાવતા તેમણે કહ્યું કે, કોઈપણ પ્રતિનિધિની જીત પાછળ પાયાના કાર્યકર્તાઓનો પરસેવો હોય છે. તેમણે સ્પષ્ટ ચેતવણી આપી હતી કે, પાંચ વર્ષનો સમય ઝડપથી પૂરો થઈ જશે. પાંચ વર્ષ પછી જનતા અને સંગઠન બંને હિસાબ કરશે. જો વ્યવહાર બગાડશો તો તે છૂપો નહીં રહે. યુવાનોને શીખ આપતા તેમણે કહ્યું કે, વડીલોના માર્ગદર્શન વગર લપસી જવાની પૂરેપૂરી શક્યતા છે. જાહેરમાં માફી માંગી નમ્રતાનો પરિચય આપ્યો પોતાના વ્યસ્ત શિડ્યુલને કારણે ક્યારેક કાર્યકર્તાઓને મળી ન શકવા બદલ હર્ષ સંઘવીએ જાહેરમાં માફી માંગી હતી. તેમણે જણાવ્યું કે, મને મળેલી ભેટનું ભૌતિક મૂલ્ય નહીં, પણ તેની સાથે જોડાયેલો તમારો પ્રેમ કિંમતી છે. આ બધું તમારું જ છે અને તે તમારા સુધી પહોંચાડવાનો મેં એક નાનો પ્રયાસ કર્યો છે. આ કાર્યક્રમમાં ભાજપના અનેક હોદ્દેદારો, નગરસેવકો અને મોટી સંખ્યામાં પાયાના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમની ચર્ચા સમગ્ર સુરતમાં લોકસેવા અને નમ્રતાના ઉદાહરણ તરીકે થઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    હિંમતનગરમાં આવતીકાલે પાંચ ફીડરમાં વીજ પુરવઠો બંધ:બળવંતપુરા સબસ્ટેશનના સમારકામથી સવારે 7 થી 12 વાગ્યા સુધી અસર, મહેતાપુરામાં પાણી વહેલું
    Next Article
    પોઈચા બ્રિજ પરથી મહીસાગર નદીમાં યુવકની છલાંગ:ફાયર વિભાગને બે કલાકની ભારે જહેમત બાદ મૃતદેહ મળ્યો, સાવલીના જવેરીપુરામાં તળાવમાં છોકરો ડૂબ્યો હોવાનો કોલ મળતા શોધખોળ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment