Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડાળી ગામે પિતાએ ઠપકો આપતાં 18 વર્ષીય યુવતીનો આપઘાત:સવારે ઝાડા-ઉલટી થયા, બપોરે તબિયત લથડી અને સાંજે હોસ્પિટલમાં સગીરાનું શંકાસ્પદ મોત

    1 week ago

    રાજકોટના ભક્તિનગર સર્કલ પાસે આવેલી શ્રીજીનગર સોસાયટીમાં રહેતી પ્રિયા કિશોરભાઈ ઠેસિયા (ઉ.વ.17) ગઈકાલે સાંજે પોતાના ઘરે બેભાન અવસ્થામાં મળી આવી હતી જેથી તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જ્યાં ફરજ પરના તબીબોએ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો હતો. સગીરાનું મોત શંકાસ્પદ જણાતા હોસ્પિટલ તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું જેથી સગીરાના મોતનું ચોક્કસ કારણ જાણી શકાય. ભક્તિનગર પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક પ્રિયાએ આ વર્ષે ધોરણ 12ની પરીક્ષા પાસ કરી હતી અને આગળ બીકોમના અભ્યાસ માટે કોલેજમાં એડમિશન લીધું હોવાનું સમર આવ્યું છે તેના પિતા કાસ્ટિંગ કારખાનામાં નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. પ્રિયા બે બહેનોમાં નાની હતી. ગઈકાલે તેના પિતા રાબેતા મુજબ કારખાને નોકરી પર ગયા હતા અને માતા ધાર્મિક કથા સાંભળવા માટે બહાર ગયા હતા જેથી પ્રિયા ઘરે સાવ એકલી હતી. ​પ્રિયાની તબિયત બપોરના સમયથી જ અચાનક બગડી હતી અને તેણીને ગંભીર રીતે ઝાડા-ઉલ્ટીની તકલીફ શરૂ થઈ હતી. સાંજે જ્યારે માતા કથા સાંભળીને ઘરે પરત ફર્યા ત્યારે પ્રિયાએ શારીરિક અસ્વસ્થતા હોવાની વાત કરી હતી અને જણાવ્યું હતું કે તેને અસહ્ય ઝાડા-ઉલ્ટી થઈ ગયા છે જેથી તાત્કાલિક તેને ખાનગી ડોક્ટરના ક્લિનિક પર સારવાર માટે લઈ ગયા હતા. જો કે, ત્યાં હાજર ડોક્ટરે પ્રિયાની ગંભીર સ્થિતિ અને વધુ ખરાબ થતી તબિયતનો અંદાજ લગાવી પરિવારને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવાની સલાહ આપી હતી. પરિવાર પ્રિયાને લઈને હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ રસ્તામાં તેણીની શારીરિક સ્થિતિ વધુ વણસી ગઈ હતી અને તે સંપૂર્ણપણે બેભાન થઈ ગઈ હતી. જમી લીધા બાદ વાસણ સાફ કરવા બાબતે પિતાએ ઠપકો આપ્યો હતો રાજકોટ નજીક વડાળી ગામમાં આવેલ જયભાઈ ડાભીની વાડીએ રહેતા પરિવારની દીકરી આશાબેન બાલુભાઈ ઘોટ (ઉં.વ.18) ગઈકાલે સાંજે 6 વાગ્યાં આસપાસ વાડીએ હતી ત્યારે ઝેરી દવા પી જતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી અહીં ડોક્ટરે તેને જોઈ તપાસી મૃત જાહેર કરી હતી જેથી બનાવ અંગે જાણ આજીડેમ પોલીસને કરતા પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસમાં તેમનું મૂળ વતન અમદાવાદનું બાયડ ગામ છે. હાલ પરિવાર જયભાઈ ડાભીની વાડીએ રહીં ખેત મજૂરી કરે છે. પરિવારના સભ્યો બપોરે જમ્યા હતા પછી પિતાએ આશાને વાસણ સાફ કરી નાખવા કહ્યું હતું. તેણે વાસણ સાફ ન કરતા પિતાએ આ બાબતે ઠપકો આપ્યો હતો જેનું લાગી આવતા ઝેરી દવા પી આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે. RMCના ઢોર ડબ્બામાં રીપેરીંગ કામ કરતી વખતે શોક લાગતા ઇલેક્ટ્રીશીયનનું મોત સોની બજારમાં પ્રતાપ કુંવરબાર સ્કૂલ પાસે રહેતાં રાજુભાઇ મગનભાઇ શીંગાળા (ઉ.વ.37) નામના યુવાન સવારે 9 વાગ્યે અમુલ સર્કલ પાસે આવેલા RMCના ઢોર ડબ્બામાં રીનોવેશન ચાલુ હોઇ લાઇટને લગતું કામ કરતી વખતે ઇલેક્ટ્રીક ડ્રીલથી હોલ પાડતો હતો ત્યારે વિજકરંટ લાગતાં બેભાન થઇ ઢળી પડતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં પરંતુ અહિ તેનું મોત નિપજતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે બનાવ અંગે જાણ કરતાં થોરાળા પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક રાજુભાઇ ત્રણ બહેન અને ચાર ભાઈમાં નાના હતાં તેમને સંતાનમાં ત્રણ દિકાર અને ત્રણ દિકરી છે જેમને પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે. પોલીસ તપાસમાં મૃતક યુવાન મૂળ જાલોદનો વતની હોવાનું સામે આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    'મારા ભાઇની હત્યા થઈ છે, એને ન્યાય આપો':અગોરા સિટી સેન્ટરના બીજા માળેથી પટકાતા યુવકનો જીવ ગયો, મૃતકના ભાઇની CPને રજૂઆત; હત્યાનો ગુનો દાખલ કરવા માંગ
    Next Article
    હત્યાના ગુનામાં ચાર આરોપીઓને આજીવન કેદની સજા:કૃષ્ણાગરમાં જુની અદાવતમાં યુવકને મોતને ઘાટ ઉતાર્યો હતો, એક માતા અને બે પુત્રો દોષિત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment