Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેપારીને ધમકી આપનાર સામે ફરિયાદ:વડોદરામાં 18 લાખ રૂપિયાની છેતરપિંડીનો આક્ષેપ કરીને વેપારીને જાનથી મારી નાખવાની અને દીકરાનું અપહરણ કરવાની ધમકી આપી

    10 hours ago

    વડોદરા શહેરના નિઝામપુરા વિસ્તારમાં રહેતા વેપારીની ઓફિસ પર આવીને એક શખ્સે બુમાબુમ કરી તથા ફોન પર જાનથી મારી નાખવાની અને દીકરાનું અપહરણ કરવાની ધમકી આપી હતી. જેથી મામલો ફતેગંજ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે. આ મામલે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. વડોદરા શહેરના નિઝામપુરા વિસ્તારમાં નવદુર્ગા સોસાયટીમાં રહેતા ચંદ્રકાંતભાઈ લવજીભાઈ માંડણકા (ઉ.વ.51) કોન્ટ્રાક્શન તથા વેપારનો વ્યવસાય કરે છે. તેઓએ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, નિઝામપુરા સ્થિત સીવન એવન્યુ કોમ્પલેક્ષમાં તેમની 4 ઓફિસ છે, જેમાંથી એક ઓફિસ નંબર 206 યોગીનીબેન રાવળને ભાડે આપેલી છે. તા.12 માર્ચના રોજ બપોરે દોઢ વાગ્યે ચંદ્રકાંતભાઈ મધુનગર બ્રિજ નજીક હતા. ત્યારે ભાડુઆત યોગીનીબેન રાવળનો તેમના મોબાઇલ પર ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે અલ્તાફભાઈ ઉર્ફે સમીર મહેમુદભાઈ અજમેરી ઓફિસ નંબર 206 પાસે આવી જોરજોરથી બુમાબુમ કરી રહ્યા છે, ત્યારબાદ યોગીનીબેને ફોન સ્પીકર પર મૂકી ચંદ્રકાંતભાઈને સંભળાવતા અલ્તાફભાઈએ ચંદ્રકાંતભાઈ પર રૂપિયા 18 લાખની છેતરપિંડી કરવાનો આક્ષેપ કરી ગંદી ગાળો આપી હતી. ત્યારબાદ અલ્તાફભાઈએ ફોન પર ધમકી આપતાં કહ્યું હતું કે તેઓ ચંદ્રકાંતભાઈના દીકરાનું અપહરણ કરી લેશે તેમજ તેમના ઘરે જઈ પરિવારને જાનથી મારી નાખશે. ચંદ્રકાંતભાઈએ પોલીસને વધુમાં જણાવ્યું હતું કે, આ અગાઉ પણ અલ્તાફભાઈ દ્વારા તેમને અનેક વખત ધમકીઓ આપવામાં આવી ચૂકી છે. આ ઘટનાથી ડરી ગયેલા ચંદ્રકાંતભાઈએ અલ્તાફભાઈ ઉર્ફે સમીર મહેમુદભાઈ અજમેરી વિરુદ્ધ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
    Click here to Read More
    Previous Article
    ઈરાને કહ્યું- ભારત અમારો મિત્ર, તેમને સુરક્ષિત રસ્તો આપીશું:રાજદૂતે કહ્યું- 2-3 કલાકમાં આવું થતા જોઈ શકશો; ઓમાનમાં ડ્રોન હુમલામાં 2 ભારતીયોના મોત
    Next Article
    રાજકોટમાં પુરવઠા વિભાગના દરોડા:કૈલાશ ફરસાણ અને શ્રીહરી ફાસ્ટફૂડમાંથી 4 ઘરેલું ગેસ સિલિન્ડર જપ્ત, વેપાર-ધંધામાં કોમર્શિયલ સિલિન્ડરનો જ ઉપયોગ કરવા સૂચના

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment