Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માંડવીમાં 18 શિક્ષકોને 'નિપુણ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ':ગુણવત્તાયુક્ત શિક્ષણને પ્રોત્સાહન, ધોરણ-2ના વિદ્યાર્થીઓને નિપુણ બનાવવામાં યોગદાન

    2 days ago

    માંડવી તાલુકામાં પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા સુધારવાના હેતુથી વિરાયતન વિદ્યાપીઠ સ્થિત બી.આર.સી. ભવન ખાતે ‘નિપુણ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ’ સન્માન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે ધોરણ-2ના તમામ વિદ્યાર્થીઓને વાંચન, લેખન અને ગણિતમાં સંપૂર્ણ નિપુણ બનાવવામાં નોંધપાત્ર યોગદાન આપનારા 18 શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ટાટા પાવર કોમ્યુનિટી ટ્રસ્ટના આર્થિક સહયોગ અને બી.આર.સી. કો-ઓર્ડિનેટર મેહુલભાઈ શાહના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. કાર્યક્રમના મુખ્ય અતિથિ અને અધ્યક્ષ જિલ્લા શિક્ષણાધિકારી સંજયભાઈ પરમારે વિજેતા શિક્ષકોને શિલ્ડ અને સ્મૃતિચિહ્ન અર્પણ કરી તેમની કામગીરીને બિરદાવી હતી. આ ઉપરાંત, બે પ્રોજેક્ટ સાથે જોડાયેલા શિક્ષકો અને શિક્ષણક્ષેત્રે સહયોગ આપનારા ત્રણ દાતાશ્રીઓનું પણ સન્માન કરાયું હતું. કાર્યક્રમમાં નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કમલેશભાઈ ખટારીયા, વિરાયતન સંસ્થાના ટ્રસ્ટીઓ, શિક્ષણવિદો, ટાટા પાવર કોમ્યુનિટી ટ્રસ્ટના પ્રતિનિધિઓ, ભારત વિકાસ પરિષદના હોદ્દેદારો અને અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સન્માનિત થયેલા શિક્ષકોમાં પદ્માબેન પટેલ, નેહાબેન ગઢવી, માણશીભાઈ ગઢવી, નિશાબેન છત્રાળા, સુમનકુમાર પટેલ, ગુલાબભાઈ અદેપાલ, કુસુમબેન પટેલ, જુગનીબેન નાથાણી, વલુબેન રબારી, સંગીતાબેન રાજગોર, મહેશ્વરીબેન રાવળ, લતાબેન પ્રજાપતિ, સોનલબેન ગઢવી, ભરતકુમાર પટેલ, મૃદુલાબેન રાજગોર, તેજસ પુરોહિત, કોમલબેન ગઢવી અને અજયકુમાર ગોકુલગાંધીનો સમાવેશ થાય છે. શિક્ષક સમાજ માંડવીના પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજાએ પણ શિક્ષકોને આર્થિક પ્રોત્સાહન આપી તેમની સેવાભાવનાને બિરદાવી હતી. જિલ્લા શિક્ષણાધિકારી સંજયભાઈ પરમારે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, પ્રાથમિક કક્ષાએ વિદ્યાર્થીઓમાં વાંચન, લેખન અને ગણિતની મજબૂત પાયાની રચના અત્યંત આવશ્યક છે. તેમણે દરેક શિક્ષકને આ દિશામાં સમર્પિત પ્રયાસો કરવા આહ્વાન કર્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે સરકારી શાળાઓમાં શિક્ષણની ગુણવત્તામાં સુધારાના પરિણામે ખાનગી શાળાઓમાંથી પણ વિદ્યાર્થીઓ સરકારી શાળાઓમાં પ્રવેશ લઈ રહ્યા છે. તેમણે રાજ્યમાં આવી પહેલ કરનાર માંડવી તાલુકાની ટીમને અભિનંદન પાઠવી અન્ય તાલુકાઓ માટે પણ પ્રેરણારૂપ બનવા શુભેચ્છા વ્યક્ત કરી હતી. સમારોહ દરમિયાન પ્રોજેક્ટ મેનેજર જ્યોત્સનાબેન ભેદા અને કાનજીભાઈ મહેશ્વરીનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા મેહુલભાઈ શાહ, સંજયભાઈ પટેલ, બિપીનભાઈ પટેલ, જતીનભાઈ પેથાણી અને ગૌરાંગભાઈ સોમૈયા સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન યોગેશભાઈ ભટ્ટે કર્યું હતું, જ્યારે અંતે જ્યોત્સનાબેન ભેદાએ આભારવિધિ વ્યક્ત કરી હતી.
    Click here to Read More
    Previous Article
    અભયમે પરિવારનું કાઉન્સિલિંગ કરીને સમાધાન કરાવ્યું:વડોદરામાં સાવકા પિતાએ મારપીટ કરતા યુવતીએ ઘર છોડીને પોલીસ સ્ટેશન પહોંચી ગઈ, અભયમની ટીમે માતા પિતા અને દીકરીનું કાઉન્સેલિંગ કર્યું
    Next Article
    'પેપર લીક સરકાર નહીં ચલેગી':BAMSનું પેપર લીક થયાના આક્ષેપ સાથે શહેરમાં યૂથ કોંગ્રેસનો વિરોધ, કાર્યકર્તાઓની ટીંગાટોળી કરી અટકાયત; શિક્ષણમંત્રીના રાજીનામાની માગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment