Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પરણીતા પર ઘરકામ અને દહેજ માટે શારીરિક-માનસિક ત્રાસ:8 વર્ષના લગ્નજીવન બાદ પરિણીતા પર ત્રાસ, પતિ સહિત 6 સાસરિયાં વિરુદ્ધ ફરિયાદ

    5 days ago

    ઉમરાળામાં રહેતી એક પરિણીતાએ પોતાના પતિ અને સાસરિયાંઓ વિરુદ્ધ દહેજ અને ઘરેલું હિંસાની ફરિયાદ નોંધાવી હતી, આઠ વર્ષના લગ્નજીવન બાદ પરણીતાએ જણાવ્યું હતું કે,સાસરિયાંઓ ઘરકામ અને કરિયાવર બાબતે અવારનવાર શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા, પતિ દ્વારા ચારિત્ર્ય પર શંકા રાખીને કરવામાં આવતી મારઝૂડથી કંટાળીને આખરે પીડિતાએ પતિ, સસરા, જેઠ, જેઠાણીઓ સહીત સાસરિયાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, આ બનાવ અંગે ઉમરાળા પોલીસ મથકેથી મળતી માહિતી અનુસાર ફરિયાદી કિંજલ અજયભાઈ ડાવરા જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી તેમને ઘરકામ અને કરિયાવર બાબતે સાસરિયાંઓ દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો, કિંજલબેનના લગ્ન 8 વર્ષ પહેલાં અજયભાઈ રવજીભાઈ ડાવરા સાથે થયા હતા અને તેમને બે સંતાનો એક દીકરી અને એક દીકરો છે, શરૂઆતના સમયમાં બધું સારું હતું, પરંતુ ત્યારબાદ પતિ અજય, સસરા રવજીભાઈ, જેઠ અશ્વિન અને નીતિન તેમજ જેઠાણીઓ શીતલ અને દિશા દ્વારા ઘરકામ અને કરિયાવર મુદ્દે વારંવાર માથાકૂટ કરતા હતા, પીડિતાનો આક્ષેપ છે કે, પતિ અજય તેમના ચારિત્ર્ય પર ખોટી શંકા કરી તેમને મારઝૂડ કરતા હતા આ ત્રાસ એટલો વધી ગયો હતો કે દોઢેક વર્ષ પહેલાં પરિણીતાએ કંટાળીને ફિનાઈલ પી લીધું હતું, આઠેક મહિના પહેલાં પણ પતિએ શંકા રાખીને તેમને ઘરમાંથી કાઢી મૂક્યા હતા, ત્યારબાદ તેઓ સુરત ખાતે રહેતા પોતાના ભાઈના ઘરે ગયા હતા અને હાલ પોતાના પિયર લીમડા ગામ ખાતે માતા-પિતા સાથે રહે છે,​પીડિતાએ પોતાની માતા ગીતાબેન સાથે મળીને ઉમરાળા પોલીસ મથકે પહોંચી, પતિ અને સાસરિયાં પક્ષના છ સભ્યો સામે દહેજ પ્રતિબંધ અધિનિયમ ની કલમ 4, બી.એન.એસ.ની કલમ 85, 115(2), તથા 54 મુજબ ફરિયાદ નોંધાવી હતી.
    Click here to Read More
    Previous Article
    ટેલિગ્રામ NEET-UG રી-એક્ઝામ સુધીના પ્રતિબંધ વિરુદ્ધ દિલ્હી HC પહોંચી:CEOએ કહ્યું- પેપર લીક કરનારાઓને બદલે ભારતના 15 કરોડ યુઝર્સને સજા મળી
    Next Article
    'મોદીજીનો નારો હતો ઘર ઘર શૌચાલય,15 દિવસથી કોઈ આવતું નથી':સુરતમાં ભૂતિયા ડિમોલિશન બાદ ખુલ્લામાં શૌચ માટે મહિલાઓ સહિત પીડિતો મજબૂર, મોબાઈલ ટોઈલેટની વ્યવસ્થાની માગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment