Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વૃદ્ધાને આપઘાત માટે મજબૂર કરવાના કેસ:મોરબીમાં મહિલા સહિત 8 આરોપી જેલ હવાલે, મૃતક વૃદ્ધાની સુસાઈડ નોટના આધારે તપાસ

    11 hours ago

    મોરબીમાં વૃદ્ધાને આપઘાત કરવા મજબૂર કરવાના ગુનામાં મહિલા સહિત આઠ આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે. પોલીસે મૃતક વૃદ્ધાના ઘરમાંથી મળેલી સુસાઈડ નોટના આધારે કાર્યવાહી કરી હતી. આ ઘટના મોરબીના બાયપાસ રોડ પર આવેલા ડિવાઇન પાર્કના સત્ય બી એપાર્ટમેન્ટમાં બની હતી. ૭૫ વર્ષીય સવિતાબેન છગનભાઈ પાંચોટિયાએ ગત ૫ માર્ચ, ૨૦૨૫ ના રોજ એપાર્ટમેન્ટના ધાબા પર દોરડું બાંધી ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. મોરબી એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરતાં મૃતકના ઘરમાંથી એક સુસાઈડ નોટ મળી આવી હતી. નોટમાં વૃદ્ધાએ ઉલ્લેખ કર્યો હતો કે એપાર્ટમેન્ટમાં રહેતા એક મહિલા સહિત આઠ વ્યક્તિઓ તેમને ધમકીઓ આપી હેરાન-પરેશાન કરતા હતા, જેનાથી કંટાળીને તેમણે આ પગલું ભર્યું હતું. મૃતકના દીકરા નરેન્દ્રભાઈ છગનભાઈ પાંચોટિયાની ફરિયાદના આધારે પોલીસે મનોજભાઈ રમણીકભાઈ આદ્રોજા, વિશાલભાઈ અમરશીભાઈ ઘોડાસરા, નિલેશભાઈ પ્રભુભાઈ બારૈયા, ભાવિકભાઈ કાળુભાઈ વિરમગામ, કેવલ કાળુભાઈ વિરમગામ, રમણીકભાઈ ઉર્ફે ધામી આદ્રોજા, નાનજીભાઈ જીવાણી અને વિલાસબેન (તમામ રહે. સત્ય બી એપાર્ટમેન્ટ, મોરબી) સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી. સુસાઈડ નોટમાં સવિતાબેને લખ્યું હતું કે આરોપીઓ તેમને અને તેમના પરિવારને વારંવાર ધાકધમકીઓ આપતા હતા અને નુકસાન પહોંચાડવાની ધમકી આપતા હતા. ફરિયાદીએ વધુમાં જણાવ્યું કે, ૨૦૨૪ માં આરોપીઓએ પાર્કિંગની સફાઈ બાબતે તેમની માતા સાથે બોલાચાલી કરી હતી. આ બોલાચાલી બાદ સમાધાનના બહાને અગાસી પર બોલાવી ફરિયાદી અને તેમની માતાને માર મારવામાં આવ્યો હતો, જે અંગે ત્યારે પણ ફરિયાદ નોંધાઈ હતી. જોકે, આરોપીઓ દ્વારા હેરાનગતિ ચાલુ રહેતા સવિતાબેને આપઘાત કર્યો હતો. મોરબીના DYSP જે.એમ. આલે પત્રકાર પરિષદમાં આ માહિતી આપી હતી કે તમામ આરોપીઓને પકડી કોર્ટમાં રજૂ કરી જેલ હવાલે કરાયા છે.
    Click here to Read More
    Previous Article
    સુરત ફેમિલી કોર્ટમાં મહિલા પર એસિડ-એટેક:પતિ-પત્ની છૂટાછેડાના કેસ માટે જિલ્લા સેવા સદનમાં આવ્યા હતાં
    Next Article
    આણંદમાં રાંધણ ગેસની કાળાબજારી રોકવા તંત્ર સક્રિય:કલેક્ટરે સ્પેશિયલ ટીમ બનાવી, ગ્રાહકો સીધો સંપર્ક કરી શકશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment