Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પીડબ્લ્યુડી જાતે દબાણો હટાવશે‎:એરોમા સર્કલથી રેલવે ઓવરબ્રિજના છેડા સુધીનો માર્ગ આઇકોનિક 8 લેન રોડ બનશે

    4 days ago

    પાલનપુર શહેરના પ્રવેશદ્વાર સમાન એરોમા સર્કલથી રેલવે ઓવરબ્રિજના છેડા સુધીના માર્ગને આઇકોનિક 8 લેન રોડ બનનાર છે. જોકે નવા માર્ગના નિર્માણ પૂર્વે હવે સમયાંતરે પીડબ્લ્યુડી જાતે દબાણો હટાવશે. શુક્રવારે બાંધકામ શાખાની ટીમો એ બંને સર્વિસ રોડ પર જે હંગામી દબાણો હતા તે તમામ ખુલ્લા કરાવી દીધા હતા. તંત્રની દબાણ હટાવ ઝુંબેશને જોતા જ કેટલાક કેબિન માલિકો દોડી આવી રાત્રે ધંધા માટે મૂકેલા કેબીનો હટાવી દીધા હતા. આ ડ્રાઇવ દરમિયાન માર્ગ અને મકાન વિભાગના કર્મીઓએ લોકોને ચાલવાની ફૂટપાથો ખુલ્લી રખાશે. તંત્રે જણાવ્યું કે એક મહિના સુધી સમયાંતરે સતત આ પ્રકારની ડ્રાઇવ થશે. ડ્રાઇવનો મુખ્ય હેતુ ઉદ્દેશ્ય હાઈવે પરથી શહેરમાં પ્રવેશતા વાહનોને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ અપાવવાનો છે. મહિના પછી 8 લેન પ્રોજેક્ટ શરૂ થશે. રોડની બંને બાજુએ રાહદારીઓ માટે ફૂટપાથ, રાત્રિના સમયે પૂરતો પ્રકાશ મળી રહે તે માટે આકર્ષક એલઈડી લાઈટ્સ અને આધુનિક પોલ્સ લગાવાશે. ચોમાસા દરમિયાન રસ્તા પર પાણી ન ભરાય તે માટે ડ્રેનેજ સિસ્ટમની વ્યવસ્થા પણ આ પ્રોજેક્ટનો એક મહત્વનો ભાગ છે.
    Click here to Read More
    Previous Article
    અકસ્માત:ધ્રાંગધ્રા નારીચાણા રોડ પર બાઇકની‎આડે ભુંડ આવતા એએસઆઈનુ મોત‎
    Next Article
    મહિનાની વાતચીત:રોજગારવાંચ્છુ માટે મહિનામાં દર શુક્રવારે ભરતી મેળાનું આયોજન, કોલેજોમાં સેમિનાર કરી ભરતી મેળાથી AI સુધીની માહિતી અપાય છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment