Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભુજ વોર્ડ - 8:સવા કરોડ લિ.પાણી સંગ્રહ 3 વોર્ડની તરસ છીપાવે છે

    1 week ago

    ભુજમાં ઉનાળાની ઋતુમાં પીવાના પાણીનું અનિયમિત વિતરણ વર્ષોથી લોકો માટે મુખ્ય સમસ્યા બની રહી છે. નર્મદા નહેરનું પાણી અને સ્થાનિક સ્ત્રોત હોવા છતાં પુરતા પ્રમાણમાં સંગ્રહ વ્યવસ્થા અને યોગ્ય વ્યવસ્થાપનના અભાવે નાગરિકોને નિયમિત પાણી મળતું નથી. વોર્ડ નંબર 8માં વાલદાસ નગર અને હિલગાર્ડનમાં નવા પાણીના ટાંકા બનાવાયા છે તેમજ શિવકૃપા નગરમાં 50 લાખ લિટર ક્ષમતાવાળો ટાંકો ફરીથી કાર્યરત કર્યો. જેને કારણે વોર્ડ નંબર 7, 8 અને 11 એમ ત્રણ વોર્ડ મળીને અંદાજે સવા કરોડ લિટર પાણી વિતરિત કરવાની ક્ષમતા ઉભી કરવામાં આવી છે. છતાંય ઉનાળામાં પાણીની અનિયમિતતા યથાવત રહેતા લોકો ટેન્કર આધારિત રહ્યા છે. પૂર્વ નગર સેવક ઘનશ્યામ સી. ઠક્કરે જણાવ્યું કે, છેલ્લા પાંચ વર્ષમાં માર્ગ, ડ્રેનેજ અને બાંધકામ સહિત કુલ 15 કરોડથી વધુના વિકાસ કામો કરવામાં આવ્યા છે. હાલ ત્રિમંદિરથી કોમર્સ કોલેજ સુધી ₹8 કરોડના ખર્ચે નવી ગટર લાઇન નાખવાની કામગીરી ચાલી રહી છે. પરંતુ આ વિકાસના દાવાઓ વચ્ચે જમીન પરની વાસ્તવિકતા પ્રશ્નો ઉભા કરે છે. સીતારામ મઢુલીથી ગણેશ નગર તેમજ કોમર્સ કોલેજ થી કોડકી રોડને જોડતો માર્ગ અત્યંત ખરાબ હાલતમાં છે. નવા રસ્તાઓ બને છે પરંતુ થોડા સમય પછી ફરી ખોદકામને કારણે બગડી જાય છે, જે આયોજનના અભાવને દર્શાવે છે. પાણી જેવી મૂળભૂત જરૂરિયાતમાં નિષ્ફળતા અને અધૂરા વિકાસ કામોને કારણે લોકોમાં અસંતોષ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. ચૂંટણી દરમિયાન પણ આ મુદ્દાઓ પ્રચારમાં હાવી થઈ રહ્યા છે, જે બતાવે છે કે નગરપાલિકાના હોદ્દેદારોએ હવે માત્ર દાવા નહીં, પરંતુ કડક અને અસરકારક કામગીરી દ્વારા કાયમી ઉકેલ લાવવો જરૂરી બની ગયો છે. અધૂરાશો પૂરી કરવાને પ્રાથમિકતા આપવી પડશે વોર્ડ નંબર 8માં આવતા ગણેશ નગરમાં ગણેશ મંદિર પાસે પાણીના ટાંકાથી લઈ ગણેશ નગરના મુખ્ય ગેટ સુધીનો રસ્તો અતિશય બિસ્માર છે. અગાઉ આ રસ્તો સીસી રોડ બન્યો હતો. જોકે ગટર અને પાણીની પાઇપલાઇન પાથરવા માટે ખોદકામ કરવામાં આવ્યું તે બાદ રસ્તો નવો બનાવ્યો નથી. છેલ્લા બે વર્ષથી આ રસ્તો ખખડધજ અને માત્રને માત્ર કાંકરી છે. આ ખખડધજ માર્ગ પર રોડલાઈટ પણ બંધ હોય છે તેવી સ્થાનિકોની ફરિયાદ છે. વિસ્તાર નરસિંહ મહેતા નગર, લાભશુભ સોસાયટી, સહયોગ નગર, ઇજનેરી કોલેજ સ્ટાફ ક્વાર્ટર, કારિતાસ, માધવ નગર, કોડકી રોડ, પ્રભુ નગર, ગણેશ નગર, ઉમા નગર, સર્જન કાસા સોસાયટી, જયનગર, ઓધવરામ નગર, વાલદાસ નગર, પ્રશાંત પાર્ક, વર્ધમાન નગર મતદારોની સંખ્યા
    Click here to Read More
    Previous Article
    ગુજરાત રાજ્ય ખોરાક અને ઔષધ નિયંત્રણ તંત્ર દ્વારા માર્ગદર્શિકા જાહેર:પનીરને લગતી વાનગીઓમાં પારદર્શિતા ફરજિયાત, મેન્યૂમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવો જરૂરી
    Next Article
    ઉમેદવારી પત્ર ચકાસણી પૂરી:109 ઉમેદવારો લડશે ચૂંટણી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment