Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલીમાં 8 દિવસથી ગુમ ખેડૂતના હાડકા મળતા ચકચાર:ખેડૂતના ખેતરમાંથી ટ્રેક્ટર, બૂટ અને લોહીલુહાણ કપડાં પણ મળ્યાં, વન્યપ્રાણીના હુમલાની પ્રબળ આશંકા

    13 hours ago

    અમરેલી જિલ્લામાં ફરી એકવાર માનવ અને વન્યજીવ સંઘર્ષની અત્યંત ચોંકાવનારી અને શંકાસ્પદ ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ભય અને ચકચારનો માહોલ વ્યાપી ગયો છે. સાવરકુંડલા તાલુકાના જુનાસાવર ગામની સીમમાં છેલ્લા 8 દિવસથી રહસ્યમય રીતે ગુમ થયેલા એક સ્થાનિક ખેડૂતના જ ખેતરમાંથી લોહીલુહાણ કપડાં, માનવ હાડકાના ટુકડા અને ખેડૂતનો મોબાઈલ મળી આવતા અરેરાટી ફેલાઈ ગઈ છે. ઘટના સ્થળેથી મૃતદેહને ઢસડ્યો હોવાના ઘસડાવાના નિશાનો પણ મળી આવ્યા છે, જેના કારણે પ્રાથમિક દ્રષ્ટિએ સિંહ અથવા દીપડા જેવા કોઈ હિંસક વન્યપ્રાણીએ ખેડૂત પર હુમલો કરીને તેમને ફાડી ખાધા હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે. આ ઘટનાની ગંભીરતાને જોતા સાવરકુંડલા રૂરલ પોલીસ અને વનવિભાગની સંયુક્ત ટીમોએ કાફલો તૈનાત કરી અલગ-અલગ દિશાઓમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. 8 દિવસથી લાપતા હતા ખેડૂત દિલીપભાઈ મળતી વિગતો મુજબ, જુનાસાવર ગામના વતની દિલીપભાઈ વાઘજીભાઈ દેસાઈ નામના ખેડૂત ગત આઠ દિવસથી પોતાના ઘરેથી વાડીએ જવાનું કહીને નીકળ્યા હતા, ત્યારબાદ તેઓ ગુમ થયા હતા. પરિવારજનો અને સ્નેહીઓ દ્વારા તેમની શોધખોળ કરવામાં આવી રહી હતી, પરંતુ આજે તેમના જ ખેતરમાંથી શંકાસ્પદ હાલતમાં વસ્તુઓ મળી આવતા મામલો બિચક્યો હતો. સીમમાં દિલીપભાઈનું ટ્રેક્ટર બિનવારસી હાલતમાં ઊભું હતું અને તેની આસપાસથી લોહીથી ખરડાયેલા કપડાં, બૂટ-ચપ્પલ, કોદાળી તેમજ શરીરના કેટલાક હાડકાના અવશેષો મળી આવ્યા હતા. આ ભયાનક દ્રશ્ય જોતા જ ગ્રામજનોએ તુરંત પોલીસ અને વનવિભાગને જાણ કરી હતી. સરપંચે વ્યક્ત કરી વન્યપ્રાણીના હુમલાની આશંકા આ ચકચારી ઘટના અંગે જુનાસાવર ગામના સરપંચ કલ્પેશભાઈ કાનાણીએ વિગતો આપતા જણાવ્યું હતું કે, "અમારી વાડી વિસ્તારમાંથી દિલીપભાઈ વાઘજીભાઈ દેસાઈ લાપતા બન્યા હતા, જે અંગે અગાઉ કોઈને જાણ નહોતી. આજે તેમની વાડીમાંથી તેમનું ટ્રેક્ટર, બૂટ-ચપ્પલ, કોદાળી અને લોહીવાળા કપડાં મળી આવ્યા છે. આ સિવાય અન્ય કોઈ આખો મૃતદેહ હજુ સુધી મળ્યો નથી. આ તમામ પરિસ્થિતિ જોતા વન્યપ્રાણીએ જ તેમના પર હુમલો કર્યો હોય તેવી પૂરેપૂરી આશંકા છે. અમે તાત્કાલિક પોલીસ અને વનવિભાગને જાણ કરતા બંને વિભાગની ટીમો હાલ ઘટનાસ્થળે તપાસ ચલાવી રહી છે." વનવિભાગ દ્વારા આધુનિક સ્કેનિંગ અને સગડ શોધવાની કામગીરી શરૂ ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને ધારી ગીર પૂર્વ ડિવિઝનના DCF વિકાસ યાદવના સીધા માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા રેન્જના આર.એફ.ઓ. (RFO) અને ફોરેસ્ટરોની વિવિધ ટીમો તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. વનવિભાગ દ્વારા આસપાસના સીમ વિસ્તારમાં કોઈ હિંસક વન્યપ્રાણીના લોકેશન છે કે કેમ, તેમજ તેના પગના નિશાનો (સગડ) મેળવવા માટે સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. ખેડૂતનો મૃતદેહ શોધવા માટે આસપાસના કોતરો અને ઝાડી-ઝાંખરા વાળા વિસ્તારોમાં હાઈટેક સ્કેનિંગ અને ટ્રેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. જો કે, હજી સુધી કોઈ સંપૂર્ણ મૃતદેહ હાથ લાગ્યો નથી, પરંતુ મળી આવેલા હાડકાના આધારે વનવિભાગ પણ વન્યપ્રાણીના હુમલાની શક્યતાને નકારી રહ્યું નથી. અન્ય શક્યતાઓ પર પણ તપાસ ચાલુ: DCF વિકાસ યાદવ સમગ્ર મામલે ધારી ગીર પૂર્વ ડિવિઝનના DCF વિકાસ યાદવનો સંપર્ક કરવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, "સાવરકુંડલા વનવિભાગની ટીમ અને પોલીસ વિભાગ સંયુક્ત રીતે સ્થળ પર કામ કરી રહી છે. પ્રાથમિક તપાસમાં હુમલા પાછળ હિંસક વન્યપ્રાણી પણ હોઈ શકે છે, અથવા જંગલી કૂતરાઓ પણ હોઈ શકે, અથવા તો કોઈ અન્ય અકળ કારણ પણ હોઈ શકે છે. હાલમાં તમામ પાસાઓ પર ઝીણવટભરી તપાસ ચાલી રહી હોવાથી ચોક્કસ કારણ તપાસ પૂર્ણ થયા બાદ જ કહી શકાશે." બીજી તરફ, સાવરકુંડલા DYSP વિરલ ચંદનએ જણાવ્યું હતું કે, "જુનાસાવર વિસ્તારમાંથી એક વ્યક્તિ ગુમ થયા હોવાની માહિતી મળી હતી. હાલ વનવિભાગ અને પોલીસની ટીમ સ્થળ પર હાજર છે. પ્રાથમિક દ્રષ્ટિએ જોતા વન્યપ્રાણી દ્વારા જ હુમલો કરવામાં આવ્યો હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે. હાલમાં સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ પ્રગતિ હેઠળ છે." બે દિવસ પહેલા જ બગસરામાં સિંહણે બાળકનો શિકાર કર્યો હતો નોંધનીય છે કે અમરેલી જિલ્લામાં વન્યપ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. હજી બે દિવસ પહેલા જ બગસરા તાલુકામાં એક સિંહણે 7 વર્ષના નિર્દોષ બાળક પર હુમલો કરી તેને મોતને ઘાટ ઉતાર્યો હતો. આ માનવ મૃત્યુની ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા અને ઉશ્કેરાયેલા પરિવારે એક દિવસ સુધી બાળકનો મૃતદેહ સ્વીકારવાનો પણ ઇનકાર કર્યો હતો. બાદમાં વનવિભાગે તે સિંહણને પાંજરે પૂરતા મામલો થાળે પડ્યો હતો. ત્યાં જ આજે સાવરકુંડલામાં વધુ એક ખેડૂત વન્યપ્રાણીનો ભોગ બન્યા હોવાની આશંકાથી સ્થાનિક ખેડૂતો અને સીમ વિસ્તારમાં વસતા લોકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. હાલ તો પોલીસ અને વનવિભાગ દ્વારા સ્થાનિક ગ્રામજનો અને આજુબાજુના ખેડૂતોની પૂછપરછ કરવામાં આવી રહી છે. ફોરેન્સિક લેબોરેટરીની મદદથી મળી આવેલા લોહીના નમૂના અને હાડકા માનવના જ છે કે કેમ તેની વૈજ્ઞાનિક પુષ્ટિ કરવાની તજવીજ પણ હાથ ધરાશે. આ ઘટનાને પગલે વનવિભાગ દ્વારા સીમ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    આદિત્ય બની વિધવાઓને ફસાવતા કરીમના મોબાઈલમાંથી 100 મહિલાનો ડેટા મળ્યો:મેટ્રિમોનિયલ સાઈટ પરથી સંપર્ક કરતો, આરોપી પાછળ મોટું સંગઠન હોવાની આશંકા
    Next Article
    ગાંધીનગરની 'રાજ સ્કૂલ'ના પ્રિન્સિપાલના પુત્રએ વિદ્યાર્થી સાથે કુકર્મ આચર્યું:રાજ પટેલનો વીડિયો વાઈરલ થતા ખળભળાટ, સ્કૂલની હોસ્ટેલમાં જ સગીરને હવસનો શિકાર બનાવતો હોવાનો ખુલાસો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment