Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં નર્મદા કેનાલના દૂષિત પાણીનો વિરોધ:વિહિપના શહેર પ્રમુખ પ્રવિણસિંહ ઝાલા 8 જૂને પ્રતિક ઉપવાસ કરશે

    2 weeks ago

    સુરેન્દ્રનગરમાં નર્મદા કેનાલના દૂષિત પાણીના મુદ્દે વિશ્વ હિન્દુ પરિષદના શહેર પ્રમુખ પ્રવિણસિંહ ઝાલાએ 8 જૂનના રોજ પ્રતિક ઉપવાસની જાહેરાત કરી છે. નાગરિકોના આરોગ્ય સામે જોખમ ઊભું થતાં તેમણે આ નિર્ણય લીધો છે. પ્રવિણસિંહ ઝાલાના જણાવ્યા અનુસાર, તંત્ર દ્વારા નર્મદા કેનાલની સફાઈ કર્યા વિના જ પાણી છોડવામાં આવ્યું હતું. સફાઈ દરમિયાન કાઢવામાં આવેલો કચરો દૂર કર્યા વગર ફરી પાણી ચાલુ કરવામાં આવતા, આ ગંદકીયુક્ત પાણી સીધું ધોળીધજા ડેમમાં પ્રવેશી રહ્યું છે.આ દૂષિત પાણીને કારણે સુરેન્દ્રનગર શહેર અને આસપાસના વિસ્તારોમાં ગંભીર રોગચાળો ફેલાવવાની ભીતિ સેવાઈ રહી છે. આ મુદ્દે સરકારને અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં, હજુ સુધી કોઈ અસરકારક કાર્યવાહી થઈ નથી.જનતાના હક અને સ્વચ્છ પાણી માટે અવાજ ઉઠાવવા પ્રવિણસિંહ ઝાલાએ "શુદ્ધ પાણી – સ્વસ્થ જીવન" ના સૂત્ર સાથે પ્રતિક ઉપવાસનું એલાન કર્યું છે. તેઓ 8 જૂનના રોજ સવારે 9 થી સાંજે 6 વાગ્યા સુધી ધોળીધજા ડેમ કેનાલ સફાઈ બાબતે પ્રતિક ઉપવાસ કરશે.
    Click here to Read More
    Previous Article
    મુવાલ ગામના ખેતરમાંથી યુવકનો ડી કમ્પોઝ મૃતદેહ મળ્યો:3-4 દિવસ જૂનો હોવાની આશંકા, પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું કારણ બહાર આવશે
    Next Article
    બનાસકાંઠા SOGએ ડ્રગ્સ સપ્લાયરને ધાનેરાથી ઝડપ્યો:અગાઉ કંસારી ટોલનાકા પર પકડાયેલા બે આરોપીઓને મેફેડ્રોન સપ્લાય કર્યું હતું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment