Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં શ્વાનના હુમલાથી 8 વર્ષના બાળકનું મોત:સિરામિક કારખાના પાસે સૂતેલા કૃણાલને કૂતરો ઢસડી ગયો

    8 hours ago

    મોરબીના જેતપર રોડ પર આવેલા ટાઇટેનિયમ વિટ્રિફાઇડ કારખાના પાસે એક દુઃખદ ઘટના બની હતી. અહીં માતા-પિતા સાથે બહાર સૂતેલા 8 વર્ષના બાળક કૃણાલ કૃપાલભાઈ માલવિયાને રખડતા શ્વાને ઢસડી જઈને બચકા ભર્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા બાળકનું મોરબીની સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવની તપાસ કરી રહેલા ફિરોજભાઈ સુમરાએ જણાવ્યું હતું કે, કૃપાલભાઈ માલવિયા તેમના પત્ની અને પુત્ર કૃણાલ સાથે લેબર કોલોની પાસે બહાર સૂતા હતા. રાત્રિના સમયે એક શ્વાન કૃણાલને ઢસડીને કોલોનીના પાછળના ભાગે લઈ ગયું હતું. ત્યાં શ્વાને બાળકને શરીર પર એકથી વધુ બચકા ભર્યા હતા, જેના કારણે કૃણાલ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું કરુણ મોત થયું હતું. આ ઘટના અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, મોરબી શહેરમાં રખડતા શ્વાનોનો આતંક સતત વધી રહ્યો છે. બે દિવસ પહેલાં પણ જીઆઈડીસી વિસ્તાર અને ચિત્રકૂટ સોસાયટી આસપાસ 20થી વધુ લોકોને શ્વાનોએ બચકા ભર્યા હોવાના બનાવો સામે આવ્યા હતા. લોકો દ્વારા તંત્ર દ્વારા આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે, જેથી ભવિષ્યમાં આવા કોઈ નિર્દોષનો જીવ ન જાય.
    Click here to Read More
    Previous Article
    વઢવાણ પાંજરાપોળ દ્વારા ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ:મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ,મોટી સંખ્યામાં ગૌભક્તો ઉપસ્થિત
    Next Article
    CSIR UGC NET December 2025 Certificates Released; Check Download Steps Here

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment