Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગામમાં મગર ઘૂસી આવતા લોકોમાં ભયનો માહોલ:વડોદરા પાસે બિલ ગામના રહેણાંક વિસ્તારમાં 8 ફૂટનો મગર આવી જતા દોડધામ મચી ગઈ, વન વિભાગ અને જીવરક્ષક સંસ્થાએ રેસ્ક્યુ કર્યો

    1 day ago

    વડોદરા નજીક આવેલા બિલ ગામમાં રહેણાંક વિસ્તારમાં આશરે 8 ફૂટ લાંબો મગર ઘૂસી આવતાં સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ગામના તળાવ નજીકના વિસ્તારમાં મગર દેખાતા ગામ લોકોએ તાત્કાલિક પાદરા પ્રાણી જીવરક્ષક સંસ્થાને જાણ કરી હતી. રેસ્ક્યુ ઓપરેશનમાં મગરને સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો અને વન વિભાગને સોંપી દેવામાં આવ્યો હતો. વડોદરા પાસે આવેલા બિલ ગામના તળાવ નજીક આવેલા રહેણાંક વિસ્તારમાં મગર દેખાતા લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં જ પાદરા પ્રાણી જીવરક્ષક સંસ્થાના પ્રવીણ મહારાજ અને કિશોરભાઈ દરજી તેમની ટીમ સાથે સ્થળ પર દોડી આવ્યા હતા. બીજી તરફ ઘટનાની જાણ વન વિભાગને પણ કરવામાં આવતાં વિભાગની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી. પ્રાણી જીવરક્ષક સંસ્થા અને વન વિભાગે સંયુક્ત રીતે રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી. ભારે જહેમત બાદ આશરે 8 ફૂટ લાંબા મગરને સલામત રીતે પકડી પાડવામાં આવ્યો હતો. પકડાયેલા મગરને વન વિભાગને સોંપવામાં આવ્યો હતો. મગરને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ઉલ્લેખનીય છે કે, વર્ષ 1960માં વિશ્વામિત્રી નદીમાં 50 મગરો હતા. જોકે, આજે વિશ્વામિત્રી નદીમાં 400થી વધુ મગરો છે. વડોદરા જિલ્લામાં વિશ્વામિત્રી નદી ઉપરાંત પણ દેવ, ઢાઢર, નર્મદા નદી અને વિવિધ તળાવોમાં મળીને કુલ 1 હજાર કરતાં વધુ મગરો છે. મગર શેડયૂલ-1નું સંરક્ષિત પ્રાણી છે. નદી કે તળાવ તેના કુદરતી આવાસ છે. મગર જ્યારે પાણીમાં ઊતરે છે ત્યારે એ એની આંખ પર ગ્લેન્સ નાખે છે. તેથી એની વિઝિબિલિટી 60થી 70 ટકા ઘટી જાય છે. મગર પાણીમાં ઊઠતા તરંગોના આધારે શિકાર નક્કી કરે છે. જ્યારે કોઇ નદીમાં કપડાં કે વાસણ ધોવે અથવા છબછબિયા કરે ત્યારે મગરને લાગે છે કે કિનારે તેનો કોઇ શિકાર પાણી પીવા આવ્યો છે. આ સંજોગોમાં મગર તેના પર હુમલો કરે છે. મગરના હુમલામાં કોઇ વ્યક્તિનું મોત થાય તો તેને સરકાર તરફથી 4 લાખ રૂપિયા વળતર ચૂકવવામાં આવે છે. નદી કિનારે શું સાવચેતી રાખવી? નદી કે તળાવમાં મગર હોય તો ત્યાં જવું નહીં કપડા-વાસણ ધોતા નજર પાણી સામે રાખવી નદી તરફ પીઠ રાખીને કપડા-વાસણ ન ધોવા નદીમાં એકલા ન જવું, મોટરથી પાણી ખેંચવું ઢોરને પાણી પીવડાવવા 1 ફૂટથી આગળ ન જવું વનવિભાગનો સંપર્ક કરી સાવચેતીના બોર્ડ મૂકવા
    Click here to Read More
    Previous Article
    પાટણમાં ધોરણ 10-12ની પૂરક પરીક્ષા શરૂ:3,515 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, કંટ્રોલ રૂમ કાર્યરત
    Next Article
    જેસીબી-ડમ્પર કબજે, ખાણ ખનિજ વિભાગને રિપોર્ટ‎:સલાયા પાસે ગેરકાયદે રેતી ખનન-વહન પકડાયું, 26.60 લાખનો મુદ્દામાલ કબજે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment