Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દાહોદમાં ખેડૂતો માટે પશુ-પક્ષીથી પાક રક્ષણની એક દિવસીય તાલીમ:73 ખેડૂતોને પાક સંરક્ષણ અને આધુનિક ખેતી પદ્ધતિઓ અંગે નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન

    14 hours ago

    દાહોદ ખાતે એગ્રીકલ્ચરલ ઑર્નીથોલોજી (ટ્રાયબલ સબ પ્લાન-TSP) અને કૃષિ સંશોધન કેન્દ્ર, આણંદ કૃષિ યુનિવર્સિટી, મુવાલિયા ફાર્મ દ્વારા આદિવાસી વિસ્તારના ખેડૂતો માટે એક દિવસીય તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં દાહોદના લીલર ગામના 73 ખેડૂતોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમની શરૂઆતમાં કૃષિ સંશોધન કેન્દ્ર, મુવાલિયા ફાર્મના યુનિટ વડા અને સહ સંશોધન વૈજ્ઞાનિક એચ. કે. પરમારે તમામ ઉપસ્થિતોનું સ્વાગત કરી કેન્દ્રની વિવિધ યોજનાઓ વિશે માહિતી આપી હતી. એગ્રીકલ્ચરલ ઑર્નીથોલોજી વિભાગના વડા આર. આર. વાઘુંડેએ ટ્રાયબલ સબ પ્લાન હેઠળ ખેડૂતો માટે ઉપલબ્ધ પ્રવૃત્તિઓ અને ભલામણો વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી. આ સાથે કૃષિ ઈજનેરી પોલિટેક્નિક, દાહોદના આચાર્ય એફ. જી. સૈયદે કોલેજમાં ચાલતા વિવિધ અભ્યાસક્રમોથી ખેડૂતોને માહિતગાર કર્યા હતા. કાર્યક્રમમાં પાક સંરક્ષણના વિવિધ પાસાઓ પર ભાર મૂકતા કે.વી.કે, દાહોદના વૈજ્ઞાનિક નિર્મલ ચૌહાણે વિસ્તરણની પ્રવૃત્તિઓ અંગે સમજણ આપી હતી. તાલીમ દરમિયાન ખેતીમાં થતું નુકસાન ઘટાડવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. એગ્રીકલ્ચરલ ઑર્નીથોલોજીના મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક જલ્પાબેન જી. દંડ દ્વારા ભૂંડ, નીલગાય અને ઉંદર જેવા પ્રાણીઓથી પાકને થતા નુકસાન અને તેના અસરકારક વ્યવસ્થાપન અંગે માર્ગદર્શન અપાયું હતું. તેમણે ખેતીમાં પક્ષીઓનું મહત્વ સમજાવતા જીવાત નિયંત્રણ માટે મદદરૂપ પક્ષીઓના સંરક્ષણ માટેના ઉપાયો પણ જણાવ્યા હતા. ઉપરાંત, મુવાલિયા ફાર્મના મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક એમ. એમ. પંડ્યાએ કેન્દ્ર દ્વારા વિકસાવવામાં આવેલી કોદરાની જાતોની લાક્ષણિકતાઓ વિશે માહિતી આપી હતી, જ્યારે ખેતી અધિકારી કે. એલ. પારગીએ પ્રાકૃતિક ખેતીના વિવિધ આયામો પર પ્રકાશ પાડ્યો હતો. કાર્યક્રમના અંતે આર. આર. વાઘુંડેએ તાલીમમાં મળેલી માહિતીને અન્ય ખેડૂતો સુધી પહોંચાડવા અનુરોધ કર્યો હતો. તાલીમ પૂર્ણ થયા બાદ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ખેડૂતોને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સફળ સંચાલન કરવામાં આવ્યું હતું અને અંતમાં એસ. બી. પારગીએ આભારવિધિ કરી હતી. આ તાલીમ દ્વારા આદિવાસી વિસ્તારના ખેડૂતોને વૈજ્ઞાનિક અભિગમ સાથે ખેતી કરવાની નવી દિશા મળી છે.
    Click here to Read More
    Previous Article
    દાદાના હાથમાંથી પૌત્રને ખેંચી ગઈ સિંહણ:1 કિમી દૂરથી મળ્યો બાળકનો મૃતદેહ, કતાર પ્લાન્ટ બ્લાસ્ટમાં વધુ એક ગુજરાતીનું મોત, માતાજીને પગે લાગી છતરની ચોરી કરી
    Next Article
    સાયરાની એન એસ પટેલ હાઇસ્કુલમાં કન્યા કેળવણી મહોત્સવ:રાજ્ય પરીક્ષા બોર્ડ સચિવ સમીર પટેલની ઉપસ્થિતિમાં પ્રવેશોત્સવ ઉજવાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment