Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કમકમાટીભર્યો અકસ્માત:અમરેલીના જેસિંગપરા પુલ પર ટેમ્પો અને બાઈક વચ્ચે ટક્કરમાં 73 વર્ષીય વૃદ્ધનું મોત

    6 days ago

    અમરેલીમાં જેસિંગપરા પુલ પર ગંભીર માર્ગ દુર્ઘટનામાં 73 વર્ષીય વૃદ્ધનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે. જ્યારે તેમની પત્ની ઇજાગ્રસ્ત થતાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અમરેલીના કેરિયાચાડ ગામના નનુભાઈ બાલુભાઈ ચોવટિયા (ઉં.વ.73) અને તેમના પત્ની મંજુલાબેન નાનુભાઈ ચોવટીયા પોતાનું GJ 14 SH 3894 નંબરનું બાઇક લઈ ગઈકાલે સાંગાડેરી ગામે તેમના સાળાના ઘરે ગયા હતા. ત્યાંથી આજે વહેલી સવારે પરત પોતાના ઘરે જતાં હતા. ત્યારે અમરેલીના જેસિંગપરા પુલ પર સામેથી આવી રહેલી GJ- 33T 4594 નંબરના ટેમ્પોએ તેમની બાઈકને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં નનુભાઈ ચોવટિયાને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા તેમનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું. જ્યારે તેમની પત્ની મંજુલાબેનને પણ ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્ત મંજુલાબેનને તાત્કાલિક અમરેલી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. ઘટના અંગે પોલીસે ગુનો દાખલ કરી ટેમ્પોના ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માત બાદ 2 કલાક મૃતદેહ રઝળ્યો અમરેલીમાં જેસિંગપરાના પુલ પર ટેમ્પો અને બાઈક અકસ્માતમાં વૃદ્ધનું મોત થયું હતું. પરંતુ વૃદ્ધનો મૃતદેહ બે કલાક સુધી રઝળ્યો હતો. અહીં તંત્રની કામગીરી અને માનવતા પર સવાલો ઉઠયા હતા.
    Click here to Read More
    Previous Article
    હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો:અમરેલી-ગાવડકા રોડ પર એસટી બસ અને કાર વચ્ચે અથડામણમાં 2ના મોત
    Next Article
    ઉનાળું વાવેતર:અમરેલી જિલ્લામાં ઉનાળું વાવેતર 1620 હેક્ટર વધીને 39,927 સુધી પહોંચી ગયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment