Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સઘન અભિયાન‎:દ્વારકા શહેરમાં 700થી વધુ રખડતા ઢોરોને પકડી ગૌશાળામાં ખસેડાયા

    11 hours ago

    યાત્રાધામ દ્વારકામાં દિન પ્રતિદિન ભક્તોની વધતી આવનજાવન અને શહેરની વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને નગરપાલિકા દ્વારા રખડતા ઢોર સામે વિશેષ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં શહેરમાં મુખ્ય રસ્તાઓ તથા ખાસ કરીને દ્વારકાધીશ મંદિર આસપાસ દરરોજ હજારો ભક્તો દર્શન માટે આવતા હોય છે. આવી ભીડમાં અચાનક રસ્તા પર રખડતા ઢોર આવી જતા અકસ્માતો બનવાના બનાવો પણ અગાઉ સામે આવ્યા હતા. આ પરિસ્થિતિ ને ધ્યાનમાં રાખીને નગરપાલિકા દ્વારા આયોજન બદ્ધ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. નગરપાલિકાએ શહેરમાં બિનવારસી રખડતા ઢોર પકડવા માટે એક ખાનગી એજન્સીને કોન્ટ્રાક્ટ આપ્યો છે. એજન્સીના કર્મચારીઓ શહેરના વિવિધ વિસ્તારોમાં અભિયાન ચલાવી રખડતા ઢોરને પકડી તેમને ડબે પૂરવાની પ્રક્રિયા હાથ ધરી રહ્યા છે. ત્યારબાદ દરેક ઢોરને ઓળખ માટે ટેગ લગાડવામાં આવે છે. અને ત્યાર પછી તેમને દ્વારકાથી દૂર ખતુંબા સીમ વિસ્તારમાં બનાવવામાં આવેલી ગૌશાળામાં ખસેડવામાં આવે છે. ગૌશાળામાં આ ઢોર માટે નગરપાલિકા દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યાં તેમને ઘાસચારો તથા પીવાના પાણી સહિત જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે, જેથી આવા પશુઓની સારી રીતે સંભાળ રાખી શકાય. જે સાથે નગર પાલિકાના આ પ્રયાસને સ્થાનિક લોકો તેમજ યાત્રાળુઓ દ્વારા પણ આવકાર મળી રહ્યા છે. શહેરમાં વ્યવસ્થા-લોકોની સલામતી માટે અભિયાન આ અંગે માહિતી આપતા દ્વારકા નગરપાલિકાના ચીફ ઓફિસર અશ્વિન ગઢવીએ જણાવ્યું હતું કે, શહેરમાં વ્યવસ્થા જાળવવા અને લોકોની સલામતી માટે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે, અત્યાર સુધી શહેરમાંથી આશરે 700 થી વધુ રખડતા ઢોર પકડીને ગૌશાળામાં મોકલવામાં આવ્યા છે. દરરોજ ક્યાં ઢોરને કયા વિસ્તારમાંથી પકડીને મોકલવામાં આવ્યા છે તેનું રિપોર્ટિંગ સંબંધિતો દ્વારા કરવામાં આવે છે. ચીફ ઓફિસર ગઢવીએ વધુમાં ઉમેર્યું કે, આવનારા સમયમાં પણ શહેરને સ્વચ્છ, સુરક્ષિત અને વ્યવસ્થિત બનાવવા માટે આવી કાર્યવાહી સતત ચાલુ રાખવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ખાદ્યતેલમાં સતત ભાવ વધારો:સીંગતેલના ભાવમાં રૂ. 30, કપાસીયામાં રૂ. 230નો‎વધારો : જનતાના માથે મહિને રૂ.65 લાખનું ભારણ‎
    Next Article
    Sufi fest organisers set up stalls, broke norms at Purana Qila: ASI to police

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment