Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નર્મદામાં વિશ્વ રક્તદાતા દિવસ પહેલાં રક્તદાન શિબિર યોજાઈ:આરોગ્ય વિભાગે રાજપીપળા સિવિલ અને તરોપામાં 70 યુનિટ રક્ત એકત્ર કર્યું

    1 week ago

    નર્મદા જિલ્લામાં વિશ્વ રક્તદાતા દિવસ (14 જૂન) પૂર્વે આરોગ્ય વિભાગ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજપીપળા સિવિલ હોસ્પિટલ અને તરોપા આરોગ્ય કેન્દ્ર ખાતે યોજાયેલા આ શિબિરોમાં કુલ 70થી વધુ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. રક્તદાન શિબિરમાં સિવિલ હોસ્પિટલના તબીબો, મેડિકલ વિદ્યાર્થીઓ અને સ્થાનિક આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. તરોપા પીએસસી સેન્ટર ખાતે 40થી વધુ યુનિટ અને રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે 30થી વધુ લોકોએ રક્તદાન કર્યું હતું.વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ લોકોમાં રક્તદાન પ્રત્યે જાગૃતિ લાવવાનો છે. આ પ્રસંગે મુખ્ય આરોગ્ય અધિકારી ડો. જે.ઓ. માઢક, બી.એચ.ઓ. ડો. સુમન, મેડિકલ ઓફિસર ડો. મનીષા પટેલ, ડો. પરિંદ વસાવા, મિતેશ ભટ્ટ સહિત આરોગ્ય વિભાગ અને રાજપીપળા સિવિલ હોસ્પિટલ બ્લડ બેંકની ટીમ હાજર રહી હતી. ઉલ્લેખનીય છે કે નર્મદા જિલ્લામાં સિકલસેલ એનિમિયાના દર્દીઓની સંખ્યા વધુ છે. આ ઉપરાંત, માર્ગ અકસ્માત અને અન્ય તબીબી જરૂરિયાતોને કારણે દર્દીઓને લોહીની સતત જરૂર પડે છે. જિલ્લામાં રેડક્રોસ સોસાયટી અને રાજપીપળા સિવિલ હોસ્પિટલ બ્લડ બેંક હોવા છતાં, ઘણીવાર લોહીનો જથ્થો ખૂટી પડતા દર્દીઓના જીવ જોખમમાં મુકાય છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, આરોગ્ય વિભાગે આ જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે. વિભાગ દ્વારા આખું વર્ષ વિવિધ રક્તદાન શિબિરોનું આયોજન કરીને લોહીનો પૂરતો જથ્થો એકત્રિત કરવામાં આવશે, જેથી જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર મદદ મળી શકે.
    Click here to Read More
    Previous Article
    વડનગરના હાટકેશ્વર મંદિરના કહેવાતા ટ્રસ્ટીઓને રાતોરાત દૂર કરી વહીવટદાર નિમાયા:ચેરિટી કમિશનર કચેરીએ રાત્રે બે વાગ્યે મંદિરનો કબજો લીધો,1993થી રેકોર્ડ પર કોઈ ટ્રસ્ટી જ નહીં
    Next Article
    હોમગાર્ડ વિભાગના ઉચ્ચ અધિકારી દ્વારા શોષણ અને હપ્તા ખોરી:સુરતમાં કમાન્ડન્ટ થોમસ પઠારે સામે હોમગાર્ડ જવાનોનો મોરચો, ભ્રષ્ટાચારના ડિજિટલ પુરાવા સાથે CPને ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment