Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટીલના જન્મદિવસે લોહી આપવા ગયો ને પોતે જ લોહીલુહાણ થયો:ભાજપ કાર્યકર પવનસિંગ અને તેના પુત્ર સામે પોલીસ ફરિયાદ ન લેતી હોવાનો આક્ષેપ; CP કચેરીએ મહિલાઓનો હોબાળો

    15 hours ago

    સુરતના ડિંડોલી વિસ્તારમાં 15 માર્ચને રવિવારે ભયાનક લોહિયાળ ખેલ ખેલાયો હતો. કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલના જન્મદિન નિમિત્તે યોજાયેલા મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં રક્તદાન કરીને પરત ફરી રહેલા આશિષસિંગ રાજપૂત નામના યુવકને 8થી 10 શખસે ઘેરીને હત્યા કરી નાખી હતી. આ હત્યામાં ભાજપના સક્રિય કાર્યકર પવનસિંગ અને તેના પુત્ર અભિષેકનું નામ ખુલતા રાજકીય ગરમાવો આવી ગયો છે. ભાજપના જ કાર્યક્રમમાં લોહી આપીને નીકળેલા યુવકનું રસ્તામાં લોહી રેલાતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. મૃતક આશિષસિંગ રાજપૂત તેના મિત્રો સાથે નીલગીરી વિસ્તારમાં રક્તદાન કરવા ગયો હતો. ત્યાંથી પરત ફરતી વખતે ડિંડોલી તળાવ પાસે શ્રીકૃષ્ણ એસી મોલ નજીક જેવો તે પોતાની ગાડીમાંથી નીચે ઉતર્યો, કે તરત જ પાછળથી એક કાર અને 4-5 બાઈક પર આવેલા હુમલાખોરોએ તેને ઘેરી લીધો હતો. હુમલાખોરો પાસે તીક્ષ્ણ હથિયારો હતા. જાહેરમાં જ આશિષ પર છરા અને કોયતાથી જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ ભયાનક દૃશ્ય જોઈને રાહદારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. ગંભીર રીતે ઘવાયેલા આશિષને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર મળે તે પહેલા જ તેણે દમ તોડી દીધો હતો. ઉત્તરાયણના ઝઘડાની અદાવતમાં ખેલાયો લોહિયાળ ખેલ આ હત્યાની પૃષ્ઠભૂમિ બે મહિના અગાઉ ઉત્તરાયણના દિવસે બંધાઈ હતી. ગોડાદરામાં આવેલી આશિષના ભાઈની હોટેલમાં પવનસિંગનો પુત્ર અભિષેક નશાની હાલતમાં ધમાલ કરતો હતો. ગ્રાહકોને તકલીફ પડતી હોવાથી આશિષે તેને ત્યાંથી જવા કહ્યું હતું, જેમાં બંને વચ્ચે ઝપાઝપી થઈ હતી. આ સામાન્ય વાતમાં પવનસિંગના પુત્ર અભિષેકે આશિષને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અદાવતમાં પવનસિંગના પુત્રએ અગાઉ આશિષના ભાઈનું અપહરણ પણ કરાવ્યું હોવાના આક્ષેપો પરિવાર દ્વારા કરવામાં આવ્યા છે. પવનસિંગના ડરથી યુવક UP ભાગી ગયો હતો, પરત આવતા જ શિકાર બન્યો મૃતક આશિષના પિતા રાઘવસિંહના જણાવ્યા અનુસાર, પવનસિંગ અને તેના સાથીઓ સતત ધમકીઓ આપતા હોવાથી આશિષ ડરનો માર્યો છેલ્લા બે મહિનાથી સુરત છોડીને ઉત્તર પ્રદેશ જતો રહ્યો હતો. તે હજુ ચાર-પાંચ દિવસ પહેલા જ સુરત આવ્યો હતો. રવિવારે સી. આર. પાટીલના જન્મદિવસ નિમિત્તે યોજાયેલા કેમ્પમાં તે ઉત્સાહભેર રક્તદાન કરવા ગયો હતો. હુમલાખોરો તેની પર વોચ રાખીને જ બેઠા હતા અને તક મળતા જ તેને મોતને ઘાટ ઉતારી દીધો. કોણ છે પવનસિંગ? આ હત્યામાં જેનું નામ મુખ્ય સૂત્રધાર તરીકે ઉછળ્યું છે તે પવનસિંગ ગોડાદરા વિસ્તારનો ભાજપનો સક્રિય કાર્યકર છે. પરિવારનો આક્ષેપ છે કે, તે ભાજપના કોર્પોરેટર અમિતસિંગ રાજપૂતનો ખાસ માણસ છે અને તેમની જ ઓફિસમાં બેસે છે તથા કામકાજ સંભાળે છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, પવનસિંગ અગાઉ વોર્ડ નંબર 26નો પ્રમુખ પણ રહી ચૂક્યો છે. આ જ કારણસર ડિંડોલી પોલીસ પવનસિંગ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આનાકાની કરતી હોવાનો આક્ષેપ પરિવારે કર્યો છે. પોલીસ કમિશનર કચેરીએ મહિલાઓનો હોબાળો હત્યાની ઘટના બાદ મોટી સંખ્યામાં લોકો અને મહિલાઓ પોલીસ કમિશનર કચેરીએ ન્યાયની માગ સાથે પહોંચ્યા હતા. પરિવારે આક્રોશ સાથે જણાવ્યું છે કે, જ્યાં સુધી ભાજપના કાર્યકર પવનસિંગ અને તેના પુત્ર અભિષેક વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં નહીં આવે અને તેમની ધરપકડ નહીં થાય, ત્યાં સુધી તેઓ મૃતક આશિષના અંતિમ સંસ્કાર કરશે નહીં. મહિલાઓએ પોલીસ પર આક્ષેપ કર્યો હતો કે, રાજકીય વગના કારણે આરોપીઓને છાવરવામાં આવી રહ્યા છે. અભિષેકસિંગની નશાખોરી અને આતંકથી વિસ્તાર ત્રસ્ત સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે, પવનસિંગનો પુત્ર અભિષેક અવારનવાર નશાની હાલતમાં વિસ્તારમાં ધાકધમકી આપતો રહે છે. આશિષના મિત્રોએ જણાવ્યું કે, અભિષેક અવારનવાર હોટલમાં જઈને બિનજરૂરી માથાકૂટ કરતો હતો. ઉત્તરાયણના દિવસે જ્યારે આશિષે તેને સમજાવવાનો પ્રયાસ કર્યો, ત્યારે પવનસિંગના પુત્રએ પોતાનું અહમ ઘવાયું હોવાનું માનીને આખા પરિવારને નિશાન બનાવવાનું શરૂ કર્યું હતું અને સતત ધાક-ધમકી આપવાનું ચાલુ રાખ્યું હતું. આશિષના ભાઈ પર પણ થયો હતો હુમલો માત્ર આશિષ જ નહીં, તેના ભાઈ અને મિત્ર ગોપાલ પર પણ અગાઉ હુમલા થઈ ચૂક્યા છે. અન્ય એક પીડિત યુવકની માતા ગુડ્ડીસિંહે રડતા-રડતા જણાવ્યું કે, મારા છોકરાને પણ પવનસિંગના પુત્રએ કિડનેપ કર્યો હતો અને ખૂબ માર માર્યો હતો. તેઓ વારંવાર ધમકી આપતા હતા કે જો પોલીસ કેસ કરશો તો જાનથી મારી નાખીશું. અમિત કોર્પોરેટરની ઓફિસમાં પવનસિંગ બેસે છે એટલે આ લોકો રાજકારણ રમી રહ્યા છે. લોહી આપવા ગયો અને પોતે જ લોહીલુહાણ થયો આ કિસ્સો ખૂબ જ કરુણ છે કારણ કે આશિષ એક સામાજિક કાર્યમાં સહભાગી થવા ગયો હતો. રક્તદાન જેવા પવિત્ર કાર્યમાં જોડાઈને જ્યારે તે બહાર નીકળ્યો, ત્યારે તેની પાછળ મોત ભમતું હતું. હુમલાખોરોએ આશિષ પર એટલી ક્રૂરતાથી ઘા કર્યા હતા કે આસપાસના લોકો તેને બચાવવાની હિંમત પણ કરી શક્યા નહોતા. રસ્તા પર આશિષનું લોહી રેલાયું હતું, જે દ્રશ્યો જોઈને હોસ્પિટલે ઉમટેલા લોકોની આંખો ભીની થઈ ગઈ હતી. પોલીસ કમિશનર કચેરીમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન ડિંડોલી અને ગોડાદરા વિસ્તારમાં પવનસિંગ અને તેના પુત્રના ત્રાસથી અનેક લોકો પરેશાન હોવાનું હવે સપાટી પર આવી રહ્યું છે. પોલીસ કમિશનર કચેરી ખાતે વિરોધ કરવા પહોંચેલી મહિલાઓએ માંગ કરી છે કે પવનસિંગનું નામ પણ એફઆઈઆરમાં દાખલ કરવું જોઈએ. જો પોલીસ નિષ્પક્ષ તપાસ નહીં કરે અને કોર્પોરેટરના માણસ હોવાને કારણે આરોપીઓને બચાવશે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. પોલીસ તપાસ અને આરોપીઓની શોધખોળ હાલમાં પોલીસે આ મામલે તપાસ તેજ કરી છે. પ્રાથમિક તપાસમાં અભિષેકસિંગ (પવનસિંગનો પુત્ર), પવનસિંગ, આકાશસિંગ, ગણેશ પાંડે અને સતિષ મરાઠીની ભૂમિકા સામે આવી છે. પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવીને હુમલાખોરોની ઓળખ કરવાની તજવીજ હાથ ધરી છે. જોકે, હજુ સુધી મુખ્ય આરોપી પવનસિંગ અને તેનો પુત્ર પોલીસ પકડથી દૂર હોવાનું જાણવા મળ્યું છે. રાજકીય છત્રછાયાના કારણે ગુનેગારો બેફામ? પરિવારે જણાવ્યું છે કે, જો પવનસિંગ ખરેખર ભાજપના કોર્પોરેટર અમિત સિંગની ઓફિસમાં બેસતો હોય, તો શું તેની સામે કડક કાર્યવાહી થશે? સત્તાધારી પક્ષના કાર્યકર્તાઓ અને તેમના સંતાનો જ્યારે પોતે જ કાયદો હાથમાં લે છે, ત્યારે સામાન્ય જનતાની સુરક્ષા પર સવાલો ઊભા થાય છે. આશિષની હત્યાએ સુરતના કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ફરી એકવાર સવાલિયા નિશાન લગાવી દીધું છે. પરિવારે આક્રંદ સાથે કહ્યુ-અમારા ઘરે ચૂલો નથી સળગ્યો આશિષના મોતથી તેના પરિવાર પર આભ ફાટ્યું છે. નાની ઉંમરના બાળકો અને પરિવારની મહિલાઓ આઘાતમાં છે. આશિષની માતા અને અન્ય મહિલાઓએ જણાવ્યું કે, કાલથી અમારા ઘરે ચૂલો નથી સળગ્યો, બાળકોએ પાણી પણ નથી પીધું. જે યુવાન દીકરો રક્તદાન કરીને પુણ્ય કમાવવા ગયો હતો, તેનો મૃતદેહ જોઈને અમે કઈ રીતે જીવીશું? પવનસિંગના પુત્રએ અમારો આખો પરિવાર બરબાદ કરી દીધો.
    Click here to Read More
    Previous Article
    છોટાઉદેપુર નગરપાલિકાનું 'અ' વર્ગમાં પ્રથમ બજેટ રજૂ:રૂ. 75 કરોડનું બજેટ, રૂ. 1 કરોડની પુરાંત સાથે મંજૂર
    Next Article
    પાલનપુરમાં પાલિકાની વેરા બાકીદારો સામે કાર્યવાહી:500 મિલકત ધારકો અને વેપારીઓને નોટિસ, સીલ કરવાની ચેતવણી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment