Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રભાસ પાટણમાં 7 હોટલ સંચાલકો સામે કાર્યવાહી:પથિક સોફ્ટવેર અને CCTV નિયમોના ભંગ બદલ ગુના દાખલ

    3 days ago

    ગીર સોમનાથ પોલીસે સોમનાથ અને પ્રવાસન વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા કડક પગલાં લીધા છે. પ્રભાસ પાટણ વિસ્તારમાં પથિક સોફ્ટવેરમાં ઉતારુઓની ઓનલાઈન એન્ટ્રી ન કરનાર અને CCTV કેમેરાના ફૂટેજનો બેકઅપ ન રાખનાર કુલ 7 હોટલ-ગેસ્ટહાઉસ સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લા મેજિસ્ટ્રેટના આદેશ મુજબ, હોટલ, ગેસ્ટહાઉસ, રિસોર્ટ અને ફાર્મહાઉસ સંચાલકોએ મહેમાનોની ઓળખ, આધારકાર્ડ સહિતની વિગતો અને વાહનોની માહિતી ‘પથિક’ સોફ્ટવેરમાં ફરજિયાત અપલોડ કરવાની હોય છે. સુરક્ષાના હેતુસર CCTV કેમેરાના ફૂટેજનો બેકઅપ પણ નિયમિત જાળવી રાખવો જરૂરી છે. આ નિયમોની અવગણના થતાં પોલીસે કાર્યવાહી કરી હતી. જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા અને ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ 24 જૂનના રોજ SOG અને પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનની ટીમે સંયુક્ત ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન હોટલ રાજ આશાપુરાના નાઈફ નસીર કુરેશી, સીતારામ ગેસ્ટ હાઉસના ચિરાગ વેલજીભાઈ પરમાર, નટરાજ ગેસ્ટ હાઉસના મહમદ રફીક રમજાન શાહ શામદાર, હોટલ શ્રી શ્યામ સુંદરના રોહિત વાલજીભાઈ વાજા, હોટલ શિવ શક્તિના વસીમ ઈસુભાઈ સુમરા, જય મહાકાલ ગેસ્ટ હાઉસના વિશાલ મનસુખભાઈ ટાંક અને અન્ય એક હોટલના ભરત નરસિંહ પરમાર સામે ગુના નોંધવામાં આવ્યા હતા. પોલીસે જાહેરનામાના ભંગ બદલ સંબંધિત સંચાલકો સામે જી.પી. એક્ટની કલમ-131 હેઠળ અલગ-અલગ ગુના દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસના જણાવ્યા મુજબ, યાત્રાધામ વિસ્તારોમાં આવતા લાખો યાત્રાળુઓ અને પ્રવાસીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા તેમજ કોઈપણ ગુનાહિત પ્રવૃત્તિ સામે ઝડપી માહિતી ઉપલબ્ધ રહે તે માટે પથિક સોફ્ટવેર અને CCTV વ્યવસ્થા અત્યંત મહત્વપૂર્ણ છે. ગીર સોમનાથ પોલીસે તમામ હોટલ અને ગેસ્ટહાઉસ સંચાલકોને નિયમોનું કડક પાલન કરવા સૂચના આપી છે. ભવિષ્યમાં પણ આવા વિશેષ ચેકિંગ અભિયાન સતત ચાલુ રહેશે તેવી સ્પષ્ટ ચેતવણી પણ ઉચ્ચારવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    સાબરડેરી 3.5 લાખ પશુપાલકોને 29 જૂને રીટેઇન્ડ મની ચૂકવશે:નિયામક મંડળની બેઠકમાં દૂધના કિલો ફેટે રૂ 1007 ચૂકવવાનો નિર્ણય
    Next Article
    જામનગરમાં પ્રિ-મોન્સૂન કામગીરી સામે કોંગ્રેસનો વિરોધ:રંગમતી-નાગમતી નદીની સફાઈ કાગળ પર હોવાનો આક્ષેપ, ચેરમેને કહ્યું- 80% કામ પૂર્ણ થયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment