Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર વિશેષ‎:બે વર્ષ લાગશે પણ હવે 80 સિટી બસો દોડશે ખરી!

    4 days ago

    કચ્છ જિલ્લામાં સૌથી પ્રથમ સીટી બસ સેવા ગાંધીધામ-આદિપુરમાં શરૂ થઇ હતી પરંતુ લોકો માટે આશિર્વાદરૂપ આ લાલ બસ તરીકે ઓળખાતી સીટી બસ સેવા બે દાયકા પહેલાં બંધ થઇ ગયા બાદ વર્ષોથી સીટી બસ સેવા શરૂ કરવાની લોકોની માંગ વચ્ચે હવે એસઆરસીએ સીટી બસ ડેપો માટે જમીન ફાળવ્યા બાદ મનપાએ એસ્ટીમેન્ટ સાથે રિપોર્ટ સરકારની કમિટી સમક્ષ મુક્યો છે જે મંજુર થતા જ ડેપો અને ચાર્જિંગ સ્ટેુશનના નિર્માણ માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાશે અને ત્રણ મહિનામાં આ નિર્માણ કાર્ય શરુ કરાશે ત્યારે બે દાયકાઓ બાદ હવે ગાંધીધામ અને આદિપુરના લોકો માટે સીટી બસ સેવા શરૂ થવાના એંધાણ દેખાઇ રહ્યા છે. ભલે બે વર્ષ લાગશે પણ 80 ઇ બસો નગરજનો માટે આશીર્વાદરુપ સાબિત થશે. આ બાબતે મનપા કમિશ્નર મનિષ ગુરવાણી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, મનપા બન્યા બાદ લોકોની વર્ષો જુની સીટી બસ સેવાની માંગ પુર્ણ થાય તે દિશામાં પ્રયાસ હાથ ધરાયા હતા, જેમાં એસઆરસીએ સીટી બસ ડેપો અને ચાર્જિંગ સ્ટેશન માટે 6 એકર જમીન ફાળવતા મનપા દ્વારા રૂા. 20 કરોડના ખર્ચે ડેપો અને ચાર્જિંગ ટર્મિનલના નિર્માણ કરવામાં આવશે. થોડા દિવસોમાં જ સરકાર તરફથી મહોર લાગશે એટલે તરત જ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાશે અને નિર્માણ કાર્ય શરૂ કરાશે. કમિશ્નરના જણાવ્યા મુજબ, મંજૂરી, ટેન્ડર પ્રક્રિયા બાદ અંદાજે બે ત્રણ મહિનામાં સીટી બસ ડેપોના નીર્માણનું કાર્ય શરૂ થાય તો સંભવિત દોઢ બે વર્ષમાં નિર્માણ પુર્ણ થાય અને તમામ મુદ્દાઓ ચકાસી અંદાજે બે વર્ષ બાદ સીટી બસ ડેપો ધમધમી ઉઠશે તેવા અણસાર દેખાઇ રહ્યા છે. સરકારે 80 ઇ-બસો ગાંધીધામ સીટી બસ સેવા માટે ફાળવી છે , હવે ડેપો માટે પણ જમીન મળી ચુકી છે. બસ લોકો ઇચ્છી રહ્યા છે કે જેમ બને એમ જલદી બસ સેવા નાગરિકો માટે શરુ કરવામાં આવે. ગાંધીધામ અને આદિપુરના નાગરિકોને હાલ રિક્ષા કે ખાનગી વાહનો પર આધાર રાખવો પડે છે. સીટી બસ સેવા શરૂ થવાથી મધ્યમ અને શ્રમજીવી વર્ગને સસ્તું અને પ્રદૂષણ મુક્ત પરિવહન મળશે. 2003 માં લોકોના હ્રદયમાં વસેલી લાલ બસ સેવા બંધ થઇ કચ્છમાં પ્રથમ વખત ગાંધીધામ અને આદિપુર વચ્ચે એસઆરસી સંચાલિત સીટી બસ સેવા શરૂ કરાઇ હતી. આ સીટી બસ સેવા લાલ બસના નામે પ્રચલિત બની હતી. વડીલો, છાત્રો, ગૃહિણીઓ માટે આશિર્વાદરૂપ સીટી બસ સેવા વર્ષ 2003 માં બંધ કરી દેવાઇ હતી. લોકોના હ્રદયમાં વસેલી લાલ બસ સેવા બંધ થતા લોકોએ અનેક વખત સીટી બસ સેવા શરૂ કરવા માંગ કરી હતી. પરંતુ 23 વર્ષ થયા સીટી બસ સેવા શરૂ થઇ શકી નથી. 2018 માં તત્કાલિન પાલિકાએ નિષ્ફળ પ્રયાસ કર્યા હતા વર્ષ-2003 માં ગાંધીધામની લાલ બસ સેવા બંધ થયા બાદ લોકો સતત આ સેવા શરૂ કરવા માંગ કરી રહ્યા હતા તેની વચ્ચે વર્ષ-2018 માં તત્કાલિન નગરપાલીકાના સત્તાધીશો દ્વારા સીટી બસ સેવા શરૂ કરવા ઉદ્દઘાટન સહિતની કાર્યવાહી કરી હતી પરંતુ કોન્ટ્રાક્ટના મુદ્દે થયેલા અટકચાળાને લઇ સીટી બસ સેવા ત્યારે શરૂ થઇ શકી ન હતી. તે દિવસોમાં કોંગ્રેસ દ્વારા પણ દુરબિન લઇ શહેરના રસ્તાઓ પર સીટી બસ શોધવા પ્રયાસ કરી શાશક પક્ષ પર કટાક્ષ રૂપી ચાબખા માર્યા હતા.
    Click here to Read More
    Previous Article
    આયોજન:માધાપરમાં જીવદયા કાર્યો હેતુ હાસ્ય દરબાર યોજાયો
    Next Article
    છેતરપિંડી:ધામાય, આમારાના ખેડૂતો સાથે 96 લાખની ઠગાઈ, છેલ્લા 10 વર્ષથી માલ ખરીદી કર્યા બાદ રૂપિયા ચુકવવા વાયદા જ કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment