Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સતત 7મી વાર મનપામાં ભાજપનો ભગવો લેહરાયો:પરાજિત ઉમેદવારોએ ક્યાંક પબ્લિકના નિર્ણયને તો ક્યાંક સામ-દામ-દંડ-ભેદની નીતિને હારનું કારણ ગણાવ્યું, જ્યારે વિજેતા ઉમેદવારોએ મતદારોનો આભાર માની જનસેવાનો સંકલ્પ લીધો

    10 hours ago

    ભાજપનો ભવ્ય વિજય, 52 માંથી 44 બેઠકો પર કેસરીયો, જ્યારે 8 કોંગ્રેસ ના ફાળે શહેર પ્રમુખ કુમાર શાહે આ જીતને વિકાસના વિઝન અને કાર્યકર્તાઓની મહેનતનું પરિણામ ગણાવ્યું ​કોંગ્રેસ પ્રમુખ લાલભા ગોહિલે સ્વીકાર્યું કે 'આપ' (AAP) ના કારણે તેમને નુકસાન થયું છે અને આગામી સમયમાં ખામીઓ સુધારવામાં આવશે ક્યાંક જીતનો ઉત્સાહ તો ક્યાંક હારનો મંથન, ઉમેદવારોએ વ્યક્ત કરી મિશ્ર પ્રતિક્રિયા ભાવનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીના પરિણામો જાહેર થતા જ શહેરના રાજકીય માહોલમાં ગરમાવો આવી ગયો છે જેમાં 52 બેઠકો પૈકી 44 બેઠકો પર ભગવો લહેરાવી ભારતીય જનતા પાર્ટીએ સતત સાતમી વાર સત્તા પર આવી છે, જ્યારે કોંગ્રેસના ફાળે 8 બેઠકો આવી છે આ પરિણામો બાદ વિજેતા ઉમેદવારોમાં લોકસેવાનો ઉત્સાહ જોવા મળ્યો હતો, તો બીજી તરફ પરાજિત ઉમેદવારોએ પોતાની હાર પાછળ જ્ઞાતિ સમીકરણો, નાણાબળ અને વિરોધ પક્ષોની રણનીતિને જવાબદાર ઠેરવી હતી, જેમાં ખાસ ​આ ચૂંટણીમાં સૌથી વધુ ચર્ચાસ્પદ બનેલા કુંભારવાડા વોર્ડમાં કોંગ્રેસે ગાબડું પાડતા ભાજપ અને કોંગ્રેસ વચ્ચે શાબ્દિક યુદ્ધ પણ જોવા મળ્યું હતું, જનતાનો જનાદેશ શિરોમાન્ય રાખવાની સાથે જ રાજકીય અગ્રણીઓએ આગામી સમયમાં સંગઠન મજબૂત કરવા અને ક્ષતિઓ સુધારવાની ખાતરી આપી છે, ​ભાવનગર મહાનગરપાલિકાની 13 વોર્ડની કુલ 52 બેઠકોના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે શહેરના રાજકારણમાં ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીનો દબદબો જોવા મળ્યો છે ભાજપે કુલ 44 બેઠકો પર જીત મેળવી સ્પષ્ટ બહુમતી સાથે સત્તા પર બેઠી છે, જ્યારે કોંગ્રેસના ફાળે માત્ર 8 બેઠકો આવી છે, ​આ ચૂંટણીમાં ખાસ કરીને વોર્ડ નંબર 5 ઉત્તર કૃષ્ણનગર રૂવા માં કોંગ્રેસે પોતાની તાકાત બતાવી છે, આ વોર્ડ વર્ષોથી કોંગ્રેસ ના ગઠ ગણાય છે, જ્યારે વોર્ડ નંબર 2 અને 9 માં મિશ્ર પરિણામો જોવા મળ્યા છે જેમાં 2-2 ઉમેદવારો કોંગ્રેસ ના જીત્યા હતા, બાકીના તમામ 10 વોર્ડમાં ભાજપની પેનલનો ભવ્ય વિજય થયો છે, વોર્ડ નંબર 1 ના કોંગ્રેસ ઉમેદવાર કાંતિભાઈએ હાર બાદ પોતાની પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, હવે, અત્યારે જ્યારે આ પબ્લિકનો જનાદેશ છે... લોકોને શું સમજાય છે, એ કાંઈ અમને સમજાતું નથી. આવી અથાક મહેનત કરવા છતાં જો પબ્લિક ન સ્વીકારે, તો હું તો એમ કહું છું કે આ પબ્લિકની જ ભૂલ કહેવાય. ​પબ્લિક આટલી બધી વિસ્તારમાં હેરાન-પરેશાન છે... કોઈને કાંઈ નથી મળતું, પણ આ ભારતીય જનતા પાર્ટી લોકોને ગમે તે પ્રકારે દબાવીને, જે કાંઈ કાવા-દાવા કરી અને નાના માણસોને કોઈ પણ લાલચમાં નાખીને જીત મેળવે છે...એવું પણ મને દેખાઈ રહ્યું છે. વોર્ડ નંબર 8 ના કોંગ્રેસ ઉમેદવાર સોનલ પટેલ એ હાર બાદ પોતાની પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, મેં કોંગ્રેસમાંથી ઉમેદવારી કરી હતી વોર્ડ નંબર 8 માંથી, આજે આ ચૂંટણી છે એ હાર જીત તો આમાં થવાની જ છે એક ઉમેદવાર જીતશે તો એક ઉમેદવાર હારવાનો છે, અને અમે હાર્યા છીએ, ક્યાં અમારી ચૂક રહી ગઈ એ અમે આવનાર સમયમાં જોઈશું, સંગઠન મજબૂત બનાવશું અને આવનાર સમયમાં પાછા મજબૂતાઈથી લડશું અને જીતશું.. વોર્ડ નંબર 2 ના ભાજપ ના ઉમેદવાર અશોક બારૈયા એ જીત બાદ પોતાની પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, જ્યારે ભારતીય જનતા પાર્ટીએ મારી પર વિશ્વાસ મૂક્યો, જ્યારે મેં કુંભારવાડા વોર્ડ-૨ માં ઉમેદવારી નોંધાવી હતી. કમનસીબે જ્યારે અમારી બે સીટ આવી, એક નંબરમાં અંકિતાબેન અને બીજા નંબરમાં હું પોતે, ​ત્યારે હું જાહેર જનતાનો, અમારા કુંભારવાડા વોર્ડનો ખૂબ-ખૂબ આભાર માનું છું, અમારા કાર્યકર્તાઓની ટીમ જે મને સાથ-સહકાર અને સૌએ ખૂબ મહેનત કરી, કાળઝાળ તડકામાં સૌએ મહેનત કરી તે બદલ સૌનો હું આભાર માનું છું, વધુમાં જણાવ્યું હતું કે, ચૂક તો કાંઈ ન રહી ગઈ હોય, પણ જ્યારે જનતાનો જે નિર્ણય હોય, કાંઈ પણ નાનું મોટું હોય જ્ઞાતિ બેઝ સીમાંકન તો હોતું જ હોય, એમાં કાંઈ ગઢમાં ગાબડું પડતું નથી, પણ જ્યારે સીમાંકન અને અમારા પછાત વિસ્તારમાં આ રીતે વિસ્તાર આવેલો છે, એટલે બધાએ 1 થી 4 બટન દબાવીને વઈ ગયા હોય, એટલે એમાં કાંઈ ગાબડું પડ્યું નથી, ત્યારે પણ ભારતીય જનતા પાર્ટીએ જ્યારે વિશ્વાસ મૂક્યો અને પબ્લિકે જ્યારે અમારી ઉપર વિશ્વાસ મૂક્યો ત્યારે પણ સારામાં સારી આપણી બે સીટ ભારતીય જનતા પાર્ટીની આવી છે, વોર્ડ નંબર 5 ના ભાજપ ના ઉમેદવાર દિલીપભાઈએ હાર બાદ પોતાની પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, કારણો તો બીજું કશું છે નહીં, મુસ્લિમ સમાજના, લઘુમતી સમાજના 11,000 સમથિંગ મત છે અને એના હિસાબે આ બન્યું છે,એનું એક જ ફેક્ટર છે લઘુમતી સમાજના જે મત છે ઈ સાડા છ હજાર મતની લીડ કોંગ્રેસને ત્યાંથી મળે છે એ લીડ ક્યાંય કપાતી નથી એ સીધું ગણિત છે પણ ઉત્તર કૃષ્ણનગર-રૂવા વોર્ડની જનતાના 8,000 ઉપર અમને મત મળ્યા છે, તો એનો હું આભાર માનું છું આ તબક્કે. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ક્યારેય હારતો નથી, કાંઈ જીતે છે અને કાંઈ શીખે છે, વોર્ડ નંબર 9 ના કોંગ્રસ ના ઉમેદવાર કાંતિભાઈ સોલંકી એ જીત બાદ પોતાની પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, હું એક સામાન્ય પરિવારમાંથી આવું છું અને સેન્ટિંગની મજૂરી કરતાં-કરતાં મને ટિકિટ મળી, મારા તમામ વોર્ડના કાર્યકર્તાઓએ મારી પર વિશ્વાસ મૂક્યો અને મને જંગી બહુમતીથી જીતાડ્યો ત્યારે લોકોની વચ્ચે રહીશું અને લોકોના કામ કરશું. વોર્ડ નંબર 2 ના કોંગ્રસ ના ઉમેદવાર કિશન મેર એ જીત બાદ પોતાની પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે,ચોક્કસ પણે કુંભારવાડા વોર્ડ ઈ ટોક ઓફ ધ ટાઉનનો મુદ્દો હતો કારણકે કુંભારવાડા વોર્ડ અને જીતુભાઈ એવું માનતા હતા કે પૈસાથી તે મતો ખરીદી શકે પરંતુ કુંભારવાડાની જનતાએ જડબાતોડ જવાબ આપ્યો છે, લાખો રૂપિયા વાપરવા છતાં ભારતીય જનતા પાર્ટીના બે ઉમેદવારોની હાર થઈ છે એટલે આ કુંભારવાડાની પબ્લિકની જીત છે અને સામાન્ય અને ગરીબ માણસ જે સાચી લડાઈ લડતા હોય એને પોતાના મતનો અધિકારનો ઉપયોગ કરી મને જંગી બહુમતીથી જીતાડ્યો છે." વધુમાં જણાવ્યું હતુ કે, ​ભારતીય જનતા પાર્ટી રહી સામ-દામ-દંડ-ભેદની નીતિ અપનાવે છે, લાખો રૂપિયા મતદારોને રીઝવવા પાછળ ખર્ચો કરે છે એટલે ક્યાંક ને ક્યાંક મતદારો જે વંડી ઉપર હોય છે તેને ડાયવર્ટ કરવાનું કામ તે પૈસાથી કરતા હોય છે એટલા માટે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની આ પરિસ્થિતિનું નિર્માણ થયેલું છે, આવનારા દિવસોમાં જે કાંઈ પણ પ્રશ્નો ઉપસ્થિત થશે તેના નિરાકરણ માટેના તમામ પ્રકારના પ્રયત્નો કુંભારવાડા વોર્ડની જનતા માટે કરવામાં આવશે. ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખ લાલભા ગોહિલે જણાવ્યું હતું કે, હું ભાવનગર મહાનગરપાલિકાના તમામે તમામ મતદારોનો આભાર માનું છું કે અમારા ઉપર હજી વિશ્વાસ કર્યો છે અમારી જ્યાં જ્યાં ક્ષતિઓ રહી ગઈ છે એ ક્ષતિઓ અમે થોડીક ગોતશું અને આગામી દિવસોમાં એના ઉપર અમે અવલોકન કરશું અને સંશોધન કરશું કે અમારી ક્યાં ખામી રહી ગઈ છે જે પણ અમારી ક્યાંય ખામી રહી ગઈ હશે એ ખામીને સુધારવા અમે પૂરેપૂરો પ્રયત્ન કરશું અને હું ચોક્કસ એવું કહીશ કે 'આપ' એ કોંગ્રેસને ખૂબ જ નુકસાન કર્યું છે, એ પણ અમે અત્યારે ઘણા બધા વોર્ડની અંદર જોયું છે એના હિસાબે અમને અમારી સીટ ગુમાવી છે ઘણા બધા વોર્ડની અંદર, પણ અમે જ્યાં કુંભારવાડા જેવા વિસ્તારમાં પણ અમે જીતા છીએ એનો પણ અમને આનંદ છે ત્યાં અમારી એક સીટ ગઈ છે બે સીટ અમે ત્યાં જીતા છીએ. અને આગામી દિવસોમાં અમે તમામે તમામ કોંગ્રેસના તમામે તમામ કાર્યકરો સાથે મીટિંગ કરીશું.... ભાવનગર શહેર ભાજપ પ્રમુખ કુમાર શાહએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં 52 એ 52 સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો લડ્યા હતા આજે રિઝલ્ટ મુજબ 44 ભારતીય જનતા પાર્ટીને અને 8 કોંગ્રેસને આવી છે ફરીવાર, સાતમી વખત ભારતીય જનતા પાર્ટીનું શાસન ભાવનગર મહાનગરપાલિકામાં થવા જઈ રહ્યું છે, ભાજપનું વિઝન હમેશ માટે વિકાસ જ હોય છે વિકાસ કાર્યોને લઈને જ અમે નીચે લોકો સુધી જતા હોય છે, મતદારોએ જે અમારી ઉપર વિશ્વાસ મૂક્યો છે, સાથે સાથે જે કાર્યકર્તાઓ છે, જે તડકો હતો છતાં પણ આટલું મતદાન કરાવ્યું છે, ત્યારે સૌ મતદારો, કાર્યકર્તાઓ અને તમામનો જે વડીલો, વરિષ્ઠો તમામનો આ તકે હું આભારી પણ છું.
    Click here to Read More
    Previous Article
    પાટણ નગરપાલિકામાં ભાજપના ગઢમાં ગાબડું:એન્ટી ઇન્કમબન્સી વચ્ચે કોંગ્રેસ મજબૂત વિપક્ષ તરીકે ઉભરી, BJPની 24 અને INCએ 17 બેઠક જીતી
    Next Article
    સુરત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ:જિલ્લામાં ભગવો લહેરાયો, મનપા, ચારેય નગરપાલિકા અને જિ.પં.માં ભાજપ વિજેતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment