Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બિહારના લખીસરાયમાં નાસભાગ, 7 મહિલાઓના મોત:શ્રાવણના સોમવારે મંદિરમાં જળાભિષેક માટે હજારો શ્રદ્ધાળુઓ ઉમટ્યા, કરંટની અફવા ફેલાઈ

    18 hours ago

    શ્રાવણ સોમવારે બિહારના લખીસરાયના અશોક ધામ મંદિરમાં નાસભાગ મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં 7 મહિલાઓના મોત થયા છે. 23 લોકો ઘાયલ હોવાનું જણાવાયું છે. 3 લોકોની હાલત નાજુક હોવાનું જણાવાઈ રહ્યું છે. મૃત્યુઆંક વધવાની આશંકા છે. આ ઘટના અશોકધામ સ્ટેશનથી મંદિર જવાના રસ્તા પર બની હતી. લખીસરાયના ડીએમ શૈલેન્દ્ર કુમારે જણાવ્યું કે, પુરુષોની લાઇન તરફ એક થાંભલો પડી ગયો. ત્યારબાદ એવી અફવા ફેલાઈ કે લોકો પર વીજળીની ચાલુ લાઇનનો તાર પડ્યો છે, જ્યારે તે માત્ર એક કેબલ વાયર (ડિશ/ઇન્ટરનેટનો તાર) હતો. પુરુષો તરફથી ભીડનું દબાણ મહિલાઓની લાઇન પર આવ્યું, જેના કારણે તેઓ એકબીજા પર પડી ગઈ. ચાર મૃતકોની ઓળખ થઈ છે. તેમાં લખીસરાયના મધુબાલા દેવી, મનમાલા દેવી, હેમલતા દેવી અને મુંગેરના રિંકુ દેવી છે. સીએમ સમ્રાટ ચૌધરીએ મૃતકોના પરિવારજનોને 4-4 લાખ રૂપિયા સહાય આપવાની જાહેરાત કરી છે. આ પણ વાંચો- બંગાળના બીરભૂમમાં હોટલમાં આગ લાગી, 4નાં મોત:શ્રાવણ સોમવારે તારાપીઠ પહોંચેલા શ્રદ્ધાળુઓ હોટલમાં રોકાયા હતા અશોક ધામ અકસ્માત સંબંધિત અપડેટ્સ માટે નીચેનો બ્લોગ જુઓ….
    Click here to Read More
    Previous Article
    OMG...શુભમને એક હાથે શું કેચ કર્યો છે!:સ્પિનર્સની જાળમાં ફસાયા લંકન બેટર્સ; માનવ સુથાર પછી કુલદીપ યાદવને વિકેટ મળી
    Next Article
    નિતિન નબીન આજે પોતાની ટીમની જાહેરાત કરી શકે છે:અનુરાગ ઠાકુર અને સ્મૃતિ ઈરાનીની વાપસીની શક્યતા; 7 મહિના પહેલા પાર્ટીની કમાન સંભાળી હતી

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment