Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાત્રે ઊંઘ ન આવવી ખતરનાક સાબિત થઈ શકે છે:7 કલાકની નિદ્રા સાથે ઊંઘની ક્વોલિટી જરૂરી, જાણો ફિલ્મ એક્ટ્રેસ સહિત ડાયમંડ કિંગનું રૂટિન ને ડોક્ટરની સલાહ

    8 hours ago

    માર્ચ મહિનાના ત્રીજા શુક્રવારે વર્લ્ડ સ્લીપ ડે હોય છે. શું તમે જાણો છો કે પૂરતી ઊંઘ તમારા માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે કેટલી મહત્વપૂર્ણ છે? જો પૂરતી ઊંઘ ન મળે તો ઘણી ગંભીર બીમારીઓનો ભોગ બની શકો છો. શું તમને ખબર છે કે, ગુજરાતના સેલેબ્સ કેટલી ઉંઘ લે છે અને તેમનું શેડ્યુલ કેવું હોય છે? દિવ્ય ભાસ્કર આજે તમને રાજ્યસભા સાંસદ અને હીરા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકીયા, એક્ટ્રેસ મોનલ ગજ્જર, કાર્ડિયાક સર્જન ડો.ધીરેન શાહ, બિઝનેસ વુમન રૂઝાન ખંભાતા, સ્લીપિંગ ડિસઓર્ડર સ્પેશિયાલિસ્ટ કાશ્મીરા ઝાલા સાથે વાતચીત કરી હતી. 7 કલાકની ઊંઘ સાથે તેની ક્વોલિટી પણ જરૂરી મેરીંગો સિમ્સ હોસ્પિટલના કાર્ડિયાક સર્જન ડો. ધીરેન શાહના જણાવ્યા અનુસાર, ઓછામાં ઓછી 6થી 7 કલાકની ઊંઘ આપણા શરીર માટે જરૂરી છે આ સાથે ઊંઘની ક્વોલિટી પણ આપાણા શરીર માટે એટલી જ જરૂરી હોય છે. નાના બાળકોથી લઈ વૃદ્ધ લોકો સુધી દરેક માટે ઊંઘની ક્વોલિટી સૌથી વધારે જરૂરી છે. હું પોતે રાત્રે 11 વાગ્યા આસપાસ સૂવું છું અને વહેલી સવારે 6 કે સાડા છ વાગ્યા આસપાસ ઉઠી જાઊં છું. બપોરે ઊંઘતા લોકોને મારી એક સલાહ હું વહેલી સવારે 45 મિનિટ ચાલવા માટે જાઊં છું અને રાત્રે સુતા પહેલા હું હંમેશા કોઈ સારી પુસ્તક વાંચું છું. જે લોકોને બપોરે સૂવાની આદત છે તેમને એક સલાહ આપવા માંગુ છું કે બપોરે જમ્યા પછી લગભગ 15થી 20 મિનિટ સુધીનો પાવર નેપ લેવો જોઇએ. કારણ કે, જે લોકો સતત કામ કરતાં રહે છે તેમને વચ્ચે એક બ્રેક લાવવો જરૂરી છે. એટલે જો બપોરે 15થી 20 મિનિટનો પાવર નેપ લેતા હોય તેઓએ હંમેશા ડાબા પડખે જ સૂવું જોઇએ. નસકોરા બોલતા હોય તેવા લોકોએ ડાબા પડખે સૂવું ખાસ કરીને જે લોકોને નસકોરા બોલતા હોય તેવા લોકોએ હંમેશા ડાબા પડખે ફરીને સૂવું વધારે સારૂં રહેશે. કારણ કે, સીધા સૂવાને કારણે તેમની જીભ અંદરની તરફ પડી જતી હોય છે, જેથી તેમને શ્વાસ લેવામાં તકલીફ થતા નસકોરા બોલતા હોય છે. આમ તો ગમે તે રીતે સૂવો એમાં કોઈપણ જાતનું નુકસાન હોતું નથી, પરંતુ તેમની ઊંઘ વ્યવસ્થિત અને સારી ક્વોલિટીની હોવી જરૂરી છે. જમ્યા બાદ ઓછામાં ઓછા બે કલાક પછી ઊંઘવું અપોલો હોસ્પિટલમાં કન્સલ્ટન્ટ પલ્મોનોલોજિસ્ટ અને સ્લીપ ડિસઓર્ડર સ્પેશિયાલિસ્ટ ડો. કાશ્મીરા ઝાલાએ જણાવ્યું હતું કે, 'Sleep Well, Live Better' એટલે કે, સારી ઊંઘ લો, સારી રીતે જીવો. એનો અર્થ એ છે કે, જો તમે સારી ઊંઘ લેશો, તો જ તમે સારી રીતે જીવન જીવી શકશો. ઊંઘવા અને જમવાનો સમય ચોક્કસ રાખો. જો તમે ઊંઘવા અને જમવાનો સમય નિશ્ચિત રાખશો તો સ્વાસ્થ્યના ઘણા પ્રશ્નો આપોઆપ ઉકેલાઈ જશે. જમ્યા બાદ ઓછામાં ઓછા બે કલાક પછી ઊંઘવું જોઇએ. સ્લીપ એપનિયા (Sleep Apnea)માં રાત્રે વારંવાર શ્વાસ બંધ થવાથી ઓક્સિજન લેવલ ઘટી જાય છે. જેનાથી હૃદય પર દબાણ વધે છે. અન્ય બીમારીઓ જેવી કે જો તમને બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ કે હૃદયની સમસ્યા હોય અને સાથે નસકોરા પણ આવતા હોય તો તેને અવગણશો નહીં. ઊંઘની કોઈપણ સમસ્યા માટે નિષ્ણાતની સલાહ લેવી અને જરૂરી રિપોર્ટ્સ કરાવવા જોઇએ. વહેલા ઉઠી આંબળા અને એલોવેરાનો રસ પીવે છે ગુજરાતી અભિનેત્રી મોનલ ગજ્જરે જણાવ્યું હતું કે, શરીર માટે ઊંઘ ખૂબ જ મહત્વની છે. ખાસ કરીને શૂટિંગ દરમિયાન તેમની ઊંઘનું ચક્ર ખોરવાઈ જાય છે. જ્યારે તેઓ શૂટિંગ કરતા હોય ત્યારે તેઓ વહેલા ઉઠે છે, આંબળા અને એલોવેરાનો રસ પીવે છે. પુષ્કળ પાણી પીવે છે અને પોતાને તાજગી આપવા માટે બરફના પાણીથી ચહેરો સાફ કરે છે. તે શૂટિંગ પહેલા પૂજા પણ કરે છે. રજાના દિવસોમાં કસરત પર વધુ ધ્યાન આપે છે જ્યારે શૂટિંગ ન હોય ત્યારે તે મોડા ઉઠવાનું પસંદ કરે છે. આરામથી પાણી અને કોફી પીવે છે. પોતાની માતા સાથે વાતો કરે છે અને નેટફ્લિક્સ જુએ છે. શૂટિંગના વ્યસ્ત શેડ્યૂલને કારણે વર્કઆઉટ કરવાનું મુશ્કેલ બને છે, તેથી તે રજાના દિવસોમાં કસરત કરવા પર વધુ ધ્યાન આપે છે. હાલ ઉનાળાની ગરમી વિશે વાત કરતા તે જણાવે છે કે, દિવસના અંતે તેને માત્ર આરામદાયક ઊંઘની જરૂર હોય છે. શૂટિંગને લઈ સવારે વહેલા તૈયાર થવું પડતું હોય છે અભિનેત્રી તેમના શૂટિંગના અનુભવો અને વ્યક્તિગત પસંદગીઓ વિશે જણાવે છે કે, તેઓ પોતાની સાથે બેડશીટ અને ઓશીકાનું કવર લઈ જવાનું પસંદ કરે છે. કારણ કે, તેઓ અન્ય કોઈની બેડશીટ પર સૂવાનું પસંદ નથી કરાતા. એક્ટિંગએ મગજ અને શરીર બંનેનું કામ છે. શૂટિંગ દરમિયાન ઘણીવાર સવારે વહેલા તૈયાર થવું પડતું હોય છે અને સતત સાવધ રહેવું પડે છે, પછી ભલે તે કોઈ પણ પ્રકારનું દૃશ્ય હોય. અમારે નોર્મલી સૂવાનું હોતું જ નથી બધુ એબનોર્મલ હોય બિઝનેસ વુમેન રૂઝાન ખંભાતાએ જણાવ્યું હતું કે, લોકો મને સૂર્યવંશી કહે છે. અમે IT (ઇન્ફોર્મેશન ટેકનોલોજી) ફિલ્ડમાં છીએ, એટલે અમારે નવી-નવી ટેક્નોલોજીના પ્રયોગ કરવાનો હોય, RD ચાલતું હોય, નવું શું ચાલે છે એનું ડેવલોપમેન્ટ તે જોવું પડે. અમારા એબ્રોડના ઓર્ડરના પણ હેન્ડલ કરવાના હોય. એટલે રાત્રે અમારે વધારે કામ હોય. દિવસમાં હું સોશિયલ સેવા કરૂં છું. દિવસમાં એ કામ હોય એટલે તમે પૂછો કે નોર્મલી કેટલા વાગ્યે સૂવો, તો એવું નોર્મલ ના હોય. અમારે એબનોર્મલ હોય. કારણ કે રાત્રે કામ ચાલતુ હોય. જો કંઈ અર્જનટ હોય કે આ પ્રોજેક્ટમાં કામ કરવાનું હોય, તો અમારે સવારના 5 કે 6 વાગ્યા સુધી કામ કરવું પડે અને પછી સવારે 9, 10 કે 11 વાગ્યે ઉઠવાનું હોય એ ડિપેન્ડ કરે. ઉઠવાનું એવું છે કે, હું અલાર્મ મુકતી જ નથી. કારણ કે કોઈને કોઈ સવારે ફોન કરી જ દે. એટલે સવારે ઉઠી જવું પડે. આજે પણ એવું જ થયું અને પાછું એને એ લોકો ફોન પર ફોન કરે. એટલે ઘણીવાર ઉઠવું જ પડે. એટલે એવું કોઈ રૂટિન કામ નહીં. મારે નોર્મલી 2 વાગે સુતા અને 8 વાગ્યે ઉઠવાનું હોય જો રૂટિન બની શકે ઇફ પોસિબલ હોય તો મારે નોર્મલી 2 વાગ્યે જ સુતા અને 8 વાગ્યે ઉઠવાનું હોય. સૌથી પહેલાં તો ઉઠીને મને પેપર વાંચવાની આદત છે. આજકાલ થોડી ઓનલાઈન પણ ન્યૂઝ જોવાની આદત છે. એટલે એ પહેલું કામ હોય મારું અને પછી ફોન આવે તો ઘણા કામો ફોન પર થાય. અથવા કોઈ પ્રોજેક્ટ રિલેટેડ વાતો થતી હોય પછી ઓફિસના કામ કરવા બેસતા હોઇએ. બિઝનેસનું કામ કરવા બેસતા હોઈએ તો સપોર્ટ સ્ટાફને મદદ કરતા હોઈએ કે કોઈ કસ્ટમરનો કોલ આવે તો એમને હેન્ડલ કરવાના કારણ કે એ મારું રૂટિનનું કામ હોય. પ્રોજેક્ટ ચાલતો હોય અથવા અમે ઘણી પ્રવૃત્તિઓ કરતા રહેતા હોઇએ. સવારે ટાઈમ મળે તો થોડી એક્સરસાઇઝ કરી લઉં હું કોશિશ કરું છું કે, એક્સરસાઇઝ કરવાની તો સવારે ટાઈમ નીકળે અથવા પોસિબલ હોય તો હું થોડી એક્સરસાઇઝ કરી લઉં અને સાંજે ઓનલાઈન હોઇએ. ઓનલાઈન કંઈપણ અમે શીખતા હોઈએ. હું પણ શીખું છું તો કંઈક ઓનલાઈન ક્લાસીસ જોઇન કરવાના અથવા કોઈને જોડે ઓનલાઈન વાતો કરવાની એટલે આ રીતે આખો દિવસ નીકળી જાય. આપણે આપણા શરીરનો આદર કરવો જોઈએ તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઊંઘ એટલે આપણે ફરીથી ઊર્જાવાન (re-energize) થઈએ છીએ. આખા દિવસનો જે થાક હોય, તેને દૂર કરવા માટે આપણે આપણા શરીરનો આદર કરવો જોઈએ. ભગવાને આપણને આટલું સરસ શરીર આપ્યું છે. આપણી ચેતાતંત્ર (nervous system), સ્નાયુબદ્ધ તંત્ર (muscular system) અને શરીરમાં જે વિવિધ પ્રકારના રસાયણો (chemicals) છે, તે જ્યારે આપણે કોઈ પ્રવૃત્તિ કરીએ ત્યારે સક્રિય થાય છે, જેને હું 'હેપ્પી હોર્મોન્સ' કહું છું - જેમ કે ડોપામાઇન, એન્ડોર્ફિન, ઓક્સિટોસિન અને સેરોટોનિન. શરીર અને અંગોને આરામ આપવો ખૂબ જરૂરી જ્યારે તમે આખો દિવસ પ્રવૃત્તિ કરો છો, ત્યારે તમારું સ્વાયત્ત ચેતાતંત્ર (autonomic nervous system) કાર્યરત રહે છે. ઊંઘના ઘણા પ્રકારો છે, જેમ કે ઊંડી ઊંઘ (deep sleep) અને REM સ્લીપ. સારી ગુણવત્તાવાળી ઊંઘ મેળવવા માટે શરીર અને અંગોને આરામ આપવો ખૂબ જરૂરી છે. સુરતના 'ડાયમંડ કિંગ'નું હેલ્ધી રૂટિન અને સ્લીપ સાયકલ સુરતના અગ્રણી ઉદ્યોગપતિ અને રાજ્યસભા સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા (કાકા) એ પોતાના રોજિંદા જીવનના રસપ્રદ પાસાઓ અને ઊંઘના સમયપત્રક વિશે ખાસ વાતચીત કરી હતી. સાત્વિક આહાર અને રાત્રિનું રૂટિન ગોવિંદભાઈ જણાવે છે કે તેમની રાત્રિની શરૂઆત વહેલા ભોજનથી થાય છે. સાંજે 7:30 થી 8 વાગ્યાની વચ્ચે અત્યંત સાદો અને સાત્વિક આહાર લેવાનું પસંદ કરે છે, જેમાં ખીચડી, સૂપ, કઢી, શાક અને બાજરાના રોટલાનો સમાવેશ થાય છે. રાત્રે 9 થી 10 વાગ્યા દરમિયાન તેઓ પરિવાર સાથે ગુણવત્તાસભર સમય વિતાવે છે અને 'ફેમિલી મીટિંગ' કરે છે. આ બધી પ્રક્રિયા બાદ તેઓ રાત્રે 11 થી 11:30 વાગ્યાની આસપાસ સૂવાનું થાય છે. હું સવારે 6:30 થી 7 વાગ્યાની વચ્ચે જાગું છું સામાન્ય રીતે લોકો એવું માનતા હોય છે કે સફળ વ્યક્તિઓ પરોઢિયે 5 વાગ્યે જાગી જતી હોય છે, પરંતુ ગોવિંદકાકા આ બાબતે ખૂબ જ સ્પષ્ટ અને સહજ છે. તેમણે જણાવ્યું કે, બધાને એમ થાય કે ગોવિંદકાકા 5 વાગ્યે જાગતા હશે, પણ મારાથી એટલું વહેલું જગાતું નથી. હું સવારે 6:30 થી 7 વાગ્યાની વચ્ચે જાગું છું." ગોવિંદભાઈ ધોળકિયાનું જીવન એ વાતનું ઉત્તમ ઉદાહરણ છે કે, જો તમે સમયનું યોગ્ય વ્યવસ્થાપન કરો અને શરીરની જરૂરિયાત મુજબ પૂરતી ઊંઘ લો, તો તમે વ્યવસાય અને અંગત જીવન વચ્ચે સંતુલન જાળવી શકો છો. 7 કલાકની ગાઢ ઊંઘ અને શિસ્તબદ્ધ દિનચર્યા જ તેમને આજે પણ ઉર્જાવાન રાખે છે. જાણો તે 5 પ્રકારના સ્લીપ ડિસઓર્ડર્સ વિશે, જેનાથી લોકો સૌથી વધારે પ્રભાવિત થાય છે... 1. ઈન્સોમ્નિયા​​​​​​​ ઈન્સોમ્નિયા એક એવી બીમારી છે જેમાં મનુષ્યને ઊંઘ નથી આવતી. તે જેટ લેગ, ચિંતા, એન્ક્ઝાઈટી, હોરમોન્સ અને પાચનની સમસ્યાના કારણે થઈ શકે છે. આજના યુગમાં ઊંઘ ન આવવી તે સામાન્ય સમસ્યા થઈ ગઈ છે. તેનાથી ડિપ્રેશન, મેદસ્વિતા, ચીડીયાપણું અને ફોકસ ન કરવા જેવી સમસ્યા પણ થઈ શકે છે. ઈન્સોમ્નિયા 30%થી 45% અડલ્ટ વસ્તીને અસર કરે છે. આ વખતે કરવામાં આવેલા સંશોધનના અનુસાર, ઈન્સોમ્નિયાના દર્દીઓને નોર્મલ લોકોની તુલનામાં એક્સિડન્ટમાં ગંભીર રીતે ઘાયલ થવાનું અથવા મૃત્યુનું જોખમ 7 ગણું વધારે હોય છે. ઊંઘ ન આવવાની બીમારી મોટાભાગની મહિલાઓ અને વધુ ઉંમરના એડલ્ટ્સને હોય છે. ​​​​​​​ 2. સ્લીપ એપનિયા તાજેતરમાં પ્રખ્યાત બોલિવૂડ ગાયક/સંગીતકાર બપ્પી લાહરીનું મૃત્યુ ઓબ્સટ્રક્ટિવ સ્લીપ એપનિયાથી થયું હતું. આ સ્લીપ એપનિયાનો જ એક પ્રકાર છે. આ બીમારીમાં સૂતા સમયે મનુષ્યને ખબર નથી પડતી અને તેનો શ્વાસ બંધ થઈ જાય છે. તેનાથી તેના શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટી જાય છે. શ્વાસ બંધ થઈ જવાની આ સમસ્યા 10 સેંકડથી લઈને 1 મિનિટ સુધીની હોય શકે છે. આવું એક કલાકમાં સરેરાશ 5 વખત થઈ શકે છે. વજન વધારે હોવા પર સ્લીપ એપનિયાનું જોખમ વધી જાય છે. તેનાથી હૃદય પર દબાણ વધે છે. સૂઈને જાગ્યા પછી મોં સૂકાઈ જવું અને રાત્રે પરસેવો આવવો તેના જ કેટલાક લક્ષણો છે. 3. પેરાસોમ્નિયા ઊંઘમાં ખલેલ પહોંચાડતા ઘણા ડિસઓર્ડર્સના સેટને પેરાસોમ્નિયા કહેવામાં આવે છે. તેમાં ઊંઘમાં ચાલવું, ઊંઘમાં બોલવું, ખરાબ સપના આવવા, પથારી ભીની કરવી, શરીર સુન્ન થઈ જવું અને જડબા જકડાઈ જાય છે. પેરાસોમ્નિયા મોટાભાગે બાળકો અને વૃદ્ધને જાય છે. ઊંઘ પૂરી ન થવાથી, સારી ઊંઘ વચ્ચે તૂટી જવી અને મેડિકેશન્સના કારણે પેરાસોમ્નિયા થઈ શકે છે. તેની સાથે જ વધારે ચિંતા, પ્રેગ્નન્સી, મગજમાં ઈજા, દારૂ અથવા ડ્રગ્સનું સેવન અને પરિવારમાં કોઈને આ બીમારી હોવાથી તમે પણ તેનો ભોગ બની શકો છો. 4. રેસ્ટલેસ લેગ સિન્ડ્રોમ (RLS) રેસ્ટલેસ લેગ સિન્ડ્રોમમાં વ્યક્તિ પોતાનો પગ હલાવતો રહે છે. તેના પગ પર કંટ્રોલ નથી રહેતો, એટલે કે ધ્યાન હટી ગયું તો પગ હલવાનું શરૂ. સતત પગ હલાવવાની આ આદતના કારણે લોકોને પગમાં ઝણઝણાટી થવા લાગે છે. આ લક્ષણ દિવસમાં જોવા મળી શકે છે, તેમજ રાતમાં તે ભાયનક સ્વરૂપ ધારણ કરી લે છે. તેનાથી લોકોની ઊંઘ ખરાબ થાય છે. RLS હોવાનું કોઈ સ્પષ્ટ કારણ નથી. તેને અન્ય બીમારીઓ સાથે જોડીને જોઈ શકાય છે. તેના મોટાભાગના દર્દી અટેન્શન ડેફિસિટ હાઈપરએક્ટિવિટી ડિસઓર્ડર (ADHD) અથવા પાર્કિન્સન બીમારીથી પીડિત હોય છે. 5. નાર્કોલેપ્સી ​​​​​​​નાર્કોલેપ્સીને સ્લીપ અટેક પણ કહેવામાં આવે છે. તેમાં વ્યક્તિને જાગતી વખતે અચાનક થાક લાગે છે, જેનાથી તે તરત સૂઈ જાય છે. આ ડિસઓર્ડર લોકોમાં સ્લીપ પેરાલિસિસની સમસ્યા વિકસાવી શકે છે. તેના કારણે તમે ઊંઘમાંથી ઉઠ્યા પછી થોડો સમય તમારું શરીર મૂવ નથી કરી શકતા. આમ તો નાર્કોલેપ્સી તેની જાતે થઈ શકે છે, પરંતુ તેમ છતાં તેને કેટલાક ન્યૂરોલોજીકલ ડિસઓર્ડર્સ સાથે લિંક કરી શકાય છે. તેમાં મલ્ટિપલ સ્કલેરોસિસ સામેલ છે. (Disclaimer: આ માત્ર સામાન્ય જાણકારી માટે છે. ઊંઘ સાથે સંબંધિત કોઈપણ સમસ્યા થવા પર ડૉક્ટરની સલાહ જરૂરથી લો)
    Click here to Read More
    Previous Article
    ExplainSpeaking: Understanding the ‘discrepancies’ in India’s new GDP data
    Next Article
    Hostels and canteens brace for LPG shortage at some of India’s higher education hubs

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment