Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટના પૂર્વ મેયર જનક રાજાની વિદાયથી શોક:7 વખત કોર્પોરેટર ને મેયર બન્યા પણ સાદાઈ - સેવાની સુવાસ ન છોડી, નવરાત્રિમાં 50 વર્ષ સુધી ગરબી કરી તેનો અઠંગો રાસ આજે પણ પ્રખ્યાત

    21 hours ago

    રાજકોટના પૂર્વ મેયર અને રાજાના હુલામણા નામથી જાણીતા જનક કોટકનું આજે 15 જૂનના 79 માં વર્ષે નિધન થતા જનસંઘથી લઈ ભાજપના કાર્યકર્તાઓમાં ભારે શોકની લાગણી જોવા મળી હતી. આજે તેમની અંતિમયાત્રામાં પરિવારજનોની સાથે ભાજપના નેતાઓ જોડાયા હતા. જનક રાજાની 50 વર્ષથી થતી ગરબી આજે પણ પ્રખ્યાત છે. રંગીલા શહેરમાં 7 વખત કોર્પોરેટર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, ડેપ્યુટી મેયર અને છેલ્લે મેયર તરીકેનું પદ શોભાવ્યું છતાં પણ ઝભ્ભો - લેંઘો અને પગમાં સ્લીપર એ તેમનો પહેરવેશ રહ્યો ત્યારે તેમના ડ્રાઇવિંગ લાયસન્સ સાથે અંગદાનના લેવડાવેલા સંકલ્પને પણ આજે લોકો યાદ કરે છે. વર્ષ 2014 થી 2021 સુધીમાં ભારતમાં પોણા આઠ કરોડ લોકોએ અંગદાનનો સંકલ્પ લીધો હોવાનું સામે આવ્યું છે. રાજકોટના બ્રહ્માંડ ફાઉન્ડેશનના ડેનીસ આડેસરાએ જણાવ્યું હતુ કે, જનક રાજા આજે પંચમહાભૂતમાં વિલીન થઈ ગયા છે. વર્ષ 2010 થી 2013 વચ્ચે જનક રાજા મેયર હતા ત્યારે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અંગેનો સેમિનાર હતો અને તેમાં મને અનુભવતી આપી હતી કે તું આવ અને બેસ. હું યુપીએસસીની તૈયારી કરતો હતો ત્યારે બધું જાણવાની ખૂબ જ જીજ્ઞાશા હતી. તે વખતે તે સેમિનારમાં અમેરિકાના ગ્રીન કાર્ડ હોલ્ડર અલમિત્રાબેન પટેલ હતા જેમને મને ત્યાંનું ડ્રાઇવિંગ લાઇસન્સ બતાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, અંગદાનની કોલમ આમાં ઉમેરેલી છે અને મેં તેનો સંકલ્પ કરેલો છે. તે બાદ ડ્રાઇવિંગ લાઈસન્સનું ફોર્મેટ ચેન્જ કરવાની સત્તા કેન્દ્ર સરકારની હોવાનું જાણવા મળ્યું જેથી હું વાહન વ્યવહાર મંત્રી નીતિન ગડકરીને મળ્યો હતો અને પોલિટિકલ વીલ કોને કહેવાય? તેનો મને ખ્યાલ આવ્યો. વર્ષ 2021 માં મેં RTI કરી તેમાં સામે આવ્યું કે ભારતમાં 2014 થી 2021 સુધીમાં પોણા આઠ કરોડ લોકોએ અંગદાનનો સંકલ્પ કરેલો છે. જે વિશ્વમાં રેકોર્ડ છે. જનક રાજાની આ સિધ્ધિ લોકો સદાય યાદ રાખશે. રેલવેના નિવૃત કર્મચારી અને જનક રાજા સાથે 35 વર્ષથી વધુ સમય રહેલા રાજેશ મહેતાએ જણાવ્યું હતું કે, જનક રાજા છેલ્લા 50 વર્ષથી જેસલ પ્લોટ માં દામોદર હનુમાનજી મંદિર પાસે ગરબી કરાવે છે. જ્યાં આવતી દીકરી પોતાના ઘરે ન પહોંચે ત્યાં સુધી તેમની સુરક્ષાની કરતા હતા. અહીંનો અઠંગો રાસ પ્રખ્યાત હતો. જે એક અતિપ્રાચીન અને પરંપરાગત ગોફ ગૂંથણી નૃત્ય છે. આ રાસમાં ખેલૈયાઓ એક મધ્યસ્થ થાંભલા કે ઊંચા સ્તંભ સાથે દોરડાં બાંધી, હાથમાં દોરી પકડીને તાલબદ્ધ રીતે એક-બીજાની સાથે ગૂંથણી કરતા અદભુત દ્રશ્યો સર્જે છે. જ્યારે શહેર ભાજપ પ્રમુખ માધવ દવેએ જણાવ્યું હતું કે, જનક રાજા એટલે જનક કોટક કે જેઓ નાનપણથી જ જનસંઘ અને અજબ સાથે જોડાયેલા હતા તેમને રાષ્ટ્ર માટે તો કામ કર્યું જ છે પરંતુ તેમને સેવાકીય કાર્યોની સુવાસ એટલી બધી ફેલાવી હતી કે આજે પણ રાજકોટ શહેરના લોકો તેમને યાદ કરે છે. તેઓ ભાજપના નાના કાર્યકર્તાઓથી લઈને વરિષ્ઠ કાર્યકર્તાઓ હોય તો તેમની સાથે મળી જતા હતા અને તેથી તેમના માટે સ્વર્ગસ્થની પરંતુ હૃદયસ્થ શબ્દ વધારે ઉચિત ગણાશે. મેયર ડૉ. નેહલ શુક્લે જણાવ્યું હતું કે, જનક કોટક રાજાની જેમ જ જીવતા હતા અને તેથી જ તેઓ જનક રાજા કહેવાયા. જનસંઘથી ભાજપ સુધી એટલે કે સતત 7 વર્ષ સુધી તેઓ કોર્પોરેટર તરીકે ચૂંટાઈ આવ્યા હતા. તેઓ સ્ટેન્ડિંગ કમિટી કમિટી ચેરમેન, ડેપ્યુટી મેયર અને મેયર તરીકે રહી ચૂક્યા છે. જોકે તેઓ જ્યારે મેયર હતા ત્યારે અને આજે પણ સફેદ ઝભ્ભો -લેંઘો અને પગમાં ચપ્પલ પહેરીને જોવા મળ્યા અને સ્કૂટર ઉપર જ જતા. આ પ્રકારના લોકો આજે સંસારમાં દુર્લભ છે. મેયર કાર્યકાળમાં અનેક કાર્યો કરી લોકોના દિલ જીત્યા જનકભાઈ કોટક વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા રહ્યા હતા અને પક્ષને મજબૂત બનાવવામાં તેમણે પાયાની ભૂમિકા ભજવી હતી. રાજકોટના મેયર તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન તેમણે લોકાભિમુખ કાર્યો કરીને શહેરીજનોના દિલ જીત્‍યા હતા. માત્ર રાજકારણ જ નહીં, પરંતુ સામાજિક સ્‍તરે પણ રઘુવંશી સમાજના પ્રશ્નો અને ઉત્‍થાન માટે તેઓ હંમેશા અગ્રેસર રહેતા હતા. એક મિલનસાર અને સનિષ્‍ઠ નેતા ગુમાવતા ભાજપ પરિવાર અને તેમના ચાહકોમાં ભારે ગમગીની ફેલાઈ છે. રાજકીય અને સામાજિક અગ્રણીઓમાં શોક સ્વ. જનકભાઈ કોટકની અંતિમયાત્રા આજે સાંજે 4 વાગ્‍યે તેમના નિવાસસ્‍થાન ‘બાલકૃષ્ણ એપાર્ટમેન્‍ટ', બેડીનાકા ટાવરની અંદર, રાજકોટ ખાતેથી નીકળશે. ત્‍યાંથી આ અંતિમયાત્રા રામનાથપરા સ્મશાનગૃહ ખાતે પહોંચશે, જ્‍યાં તેમના પાર્થિવ દેહને પંચમહાભૂતમાં વિલીન કરવામાં આવશે અને અંતિમ વિદાય આપવામાં આવશે. તેમના નિધનને લઈને વિવિધ રાજકીય અને સામાજિક અગ્રણીઓએ ઘેરા શોકની લાગણી વ્‍યક્‍ત કરી શ્રદ્ધાંજલિ અર્પી છે. ચીન-પાકિસ્તાન સાથે ભારતની લડાઈ વખતે તેમણે સક્રિય કામગીરી બજાવી જનક કોટકનો જન્મ 6 જૂન, 1947માં મોરારજીભાઈ કોટક અને કંકુબહેન કોટકને ત્યાં થયો હતો. તેમણે ધોરણ 9 સુધીનો અભ્યાસ કર્યો છે. તેમની રાજકીય સફરની વાત કરીએ તો, ઈ.સ. 1962માં વિદ્યાર્થી કાળથી તેમણે જનસંઘમાં પ્રવેશ કર્યો હતો. વર્ષ 1965માં પણ ચીન-પાકિસ્તાન સાથે ભારતની લડાઈ વખતે તેમણે સક્રિય કામગીરી બજાવી હતી. વર્ષ 1967માં તેઓ રાજકોટ વોર્ડ નં. 1ના બૂથ ઇન્ચાર્જ તેમજ ચૂંટણી ઇન્ચાર્જ રહ્યા હતા અને 1971માં વોર્ડ નં. 16ના પ્રમુખ બન્યા હતા. ઈ.સ. 1973માં તેઓ ચૂંટણી જીતીને મહાપાલિકામાં પ્રવેશ્યા હતા. તેઓ સતત ચાર વખત કોર્પોરેટર તરીકે ચૂંટાયા હતા. દરમ્યાન સમાજકલ્યાણ વિભાગના ચેરમેન, દંડક, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને ડેપ્યુટી મેયર તેમજ મેયર જેવા મહત્વના હોદ્દાઓ પર સફળતાપૂર્વક ફરજ બજાવી ચુક્યા છે. કોર્પોરેશનમાં ચારેય મહત્વના પદે રહ્યા હોય તેવા એકમાત્ર કોર્પોરેટર હતાં કોર્પોરેશનમાં પક્ષના નેતા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, ડેપ્યુટી મેયર અને મેયર તેમ ચારેય મહત્વના પદે રહ્યા હોય તેવા તેઓ એકમાત્ર કોર્પોરેટર હતા. મેયર બન્યા પછી પણ સાદું જીવન અને ઉચ્ચ વિચારો જાળવી રાખી તેમણે આદર્શ જનસેવકનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું. જનકભાઈએ મેયર તરીકેના તેમના કાર્યકાળમાં ગરીબ દર્દીઓને બીપીએલ કાર્ડ, જીવદયા માટે ચકલીના માળાનું વિતરણ વગેરે અનેક પરોપકારી કાર્યોનો પ્રારંભ કરી અનન્ય લોકચાહના મેળવી હતી. ભાજપના ટોચના આગેવાનો સાથે નિકટનો ધરોબો ધરાવતા હતા વ્યક્તિની લાઇન કરતા પાર્ટીની લાઇનને કાયમ મોટી ગણી, પોતાની નિખાલસ કાર્યશૈલીના કારણે પ્રજામાં 'રાજા' તરીકે જાણીતા છે અને અનેક પડકારો વચ્ચે તેઓ નિષ્કલંક રીતે મેયરપદે અઢી વર્ષ પૂર્ણ કર્યા હતા. રાષ્ટ્રીય ભાજપના કારોબારી સભ્ય જનકભાઈ પોતાની પ્રામાણિક, સેવાભાવી, બિનવિવાદાસ્પદ જાહેર જીવનને લઈને તમામ રાજકીય પક્ષોમાં પણ આગવી લોકચાહના ધરાવતા હતા. ચિમનભાઈ શુક્લ પછી સૌથી વધુ સમય જેલમાં લોકકાર્યો માટે જનકભાઈ ગયેલા હતા. ભારતના વડાપ્રધાન મોદી, પૂર્વ પીએમ અટલબિહારી વાજપેયી, પૂર્વ ગૃહપ્રધાન લાલકૃષ્ણ અડવાણી, ભારતના ગૃહમંત્રી અમિત શાહ, પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, વિજય રૂપાણી, કેશુભાઈ પટેલ તેમજ અર્વિંદભાઈ મણિયાર, ચિમનભાઈ શુક્લ સહિતના તમામ ટોચના આગેવાનો સાથે નિકટનો ધરોબો ધરાવતા હતા.
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગરના સ્વર્ણીમ સંકુલ-1માં આગથી દોડધામ:CM, Dy.CM અને કેબિનેટ મંત્રીઓની ઓફિસ બિલ્ડિંગના બેઝમેન્ટમાં AC કોમપ્રેસરમાં આગ, કોઈ જાનહાનિ નહીં
    Next Article
    હિંમતનગર-વિજાપુર રોડ પર દેરોલના વેરાવાળી મંદિરમાં મહિલાની હત્યા:ઘા ઝીંકાતા કપાળ ફાટી ગયું, લોહીનું ખાબોચિયું ભરાયું, અજાણ્યા શખસો સામે ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment