Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગરુડેશ્વરમાં 7 અધિકારીઓના બંગલા તોડવાની કામગીરી પૂર્ણ:હાઈકોર્ટમાંથી સ્ટે પરત ખેંચાતા વધુ બે બંગલા જમીનદોસ્ત કરાયા

    5 days ago

    રાજપીપળા નજીક ગરુડેશ્વર ખાતે સરકારી જમીન પર બનેલા 7 અધિકારીઓના બંગલા તોડી પાડવાની કામગીરી પૂર્ણ થઈ છે. હાઈકોર્ટમાંથી સ્ટે મેળવનાર બે અધિકારીઓએ સ્વૈચ્છિક રીતે સ્ટે પરત ખેંચી લેતા તેમના બંગલા પણ જમીનદોસ્ત કરવામાં આવ્યા છે. આ કાર્યવાહી સરકારી જમીનો પર શરતભંગ કરીને અને ટાઉન પ્લાનિંગની મંજૂરી વગર મોટા કોમર્શિયલ બાંધકામ કરવા બદલ કરવામાં આવી છે. અગાઉ પાંચ બંગલા તોડી પાડવામાં આવ્યા હતા. ચોથા દિવસે આ પાંચ બંગલા તોડવાની કામગીરી પૂર્ણ થઈ હતી. બાકીના બે બંગલા તત્કાલીન ડીઆરડીએ ડાયરેક્ટર એલ.એમ. ડીંડોર અને તત્કાલીન પ્રયોજના વહીવટદાર આર.વી. બારીયાના હતા. આ બંને અધિકારીઓએ હાઈકોર્ટમાંથી ડીમોલેશન સામે સ્ટે મેળવ્યો હતો. જોકે, તેમણે સ્વૈચ્છિક રીતે સ્ટે પરત ખેંચી લેતા વહીવટી તંત્ર દ્વારા તેમના બંગલા તોડવાનું શરૂ કરાયું. આર.વી. બારીયાનું મકાન તોડી પાડવામાં આવ્યું છે, જ્યારે એલ.એમ. ડીંડોરનું મકાન પણ તોડી પાડવામાં આવશે. આ જમીન સરકારી હતી અને નિયમો મુજબ અધિકારીઓને ફાળવવામાં આવી હતી. અધિકારીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક નિવૃત્તિ બાદ હોમસ્ટે બનાવી જીવન જીવવાના હેતુથી 50 થી 70 લાખ રૂપિયા સુધીની લોન લઈને આ મોટા બિલ્ડિંગો બનાવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    'હવે વધારાનું કામ નહીં કરીએ':તલાટી-કમ-મંત્રીઓએ સરકાર સામે ફૂંક્યું રણશિંગું, 3 જુલાઈથી 11 હજાર કર્મચારીઓ વધારાની કામગીરીથી દૂર રહેશે
    Next Article
    સુરત ડ્રગ્સ કેસમાં મોટો ચૂકાદો:59 લાખના MD ડ્રગ્સ મામલે 3 પેડલરોને 20-20 વર્ષની સખત કેદ, કોર્ટે કહ્યું- નશો માત્ર વ્યક્તિને નહીં, દેશના વિકાસને બરબાદ કરે છે’

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment