Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'હવે વધારાનું કામ નહીં કરીએ':તલાટી-કમ-મંત્રીઓએ સરકાર સામે ફૂંક્યું રણશિંગું, 3 જુલાઈથી 11 હજાર કર્મચારીઓ વધારાની કામગીરીથી દૂર રહેશે

    5 days ago

    રાજ્ય સરકાર સામે પોતાની પડતર માંગણીઓને લઈને હવે ગુજરાતના ગ્રામીણ વહીવટની કરોડરજ્જુ ગણાતા તલાટીઓએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. ગુજરાત રાજ્ય તલાટી-મંત્રી મહામંડળના આદેશ અનુસાર 3 જુલાઈ, 2026થી રાજ્યના અંદાજે 11,000 તલાટી-કમ-મંત્રીઓ મહેસૂલ વિભાગ સિવાયની તમામ વધારાની કામગીરીઓ બંધ કરી દેશે. મહામંડળના પ્રમુખ પંકજભાઈ મોદી અને મહામંત્રી રામભાઈ દેસાઈ દ્વારા સત્તાવાર યાદી જાહેર કરીને રાજ્યભરના તમામ તલાટીઓને આ નિર્ણયનો ચુસ્ત અને કડક અમલ કરવા આદેશ અપાયો છે. વર્ષોની રજૂઆતો વણઉકેલાયેલી, નવા રેવન્યુ તલાટીની ભરતીથી રોષ ભભૂક્યો મહામંડળના હોદ્દેદારોના જણાવ્યા અનુસાર, તલાટી-કમ-મંત્રીઓના મૂળ જોબચાર્ટ (કાર્યક્ષેત્ર અને જવાબદારીઓ) ને સ્પષ્ટ કરવા માટે સરકાર સમક્ષ છેલ્લા ઘણા વર્ષોથી મૌખિક તેમજ લેખિત રજૂઆતો કરવામાં આવી રહી છે. સરકાર સાથે અનેક તબક્કાની બેઠકો યોજાઈ હોવા છતાં તંત્ર દ્વારા કોઈ આખરી કે સકારાત્મક નિર્ણય લેવાયો નથી. બીજી તરફ, સરકારે જૂની માંગણીઓ સંતોષવાને બદલે નવા રેવન્યુ તલાટીઓની નિમણૂકના આદેશો જાહેર કરી દેતાં વર્ષોથી કામ કરતા તલાટી-કમ-મંત્રીઓમાં ભારે અસંતોષ અને રોષ ફાટી નીકળ્યો છે, જેને પગલે આ આકરો નિર્ણય લેવાની નોબત આવી છે. 3 જુલાઈથી કઈ-કઈ કામગીરીઓ બંધ રહેશે? મહામંડળે જાહેર કરેલા સત્તાવાર પરિપત્ર મુજબ, તલાટીઓ હવે પોતાના મૂળ મહેસૂલી કામો સિવાયની 50થી વધુ પ્રકારની વધારાની સરકારી જવાબદારીઓ સંભાળશે નહીં. આ બહિષ્કાર હેઠળ નીચે મુજબની મહત્વની કામગીરીઓ અટકી જશે: કલેક્ટર અને DDO ને સોંપાશે આદેશની નકલ આ આંદોલનને વધુ મજબૂત અને વ્યાપક બનાવવા માટે તમામ જિલ્લા મહામંડળના હોદ્દેદારો એક્શનમાં આવ્યા છે. દરેક જિલ્લાના કલેક્ટર તેમજ જિલ્લા વિકાસ અધિકારી (DDO) ને રૂબરૂ મળીને આવેદનપત્ર સાથે આ આદેશની નકલ સોંપવામાં આવશે, જેથી સરકારના ઉચ્ચ સ્તર સુધી કર્મચારીઓનો આક્રોશ સ્પષ્ટપણે પહોંચી શકે. મહામંડળે ચીમકી આપી છે કે જ્યાં સુધી કાર્યક્ષેત્ર બાબતે લેખિત અને નક્કર નિર્ણય નહીં આવે ત્યાં સુધી આ અસહકાર આંદોલન યથાવત રહેશે. ગામડાઓમાં વહીવટી તંત્ર ખોરવાઈ જવાની ભીતિ આ નિર્ણયની સીધી અને મોટી અસર રાજ્યની હજારો ગ્રામ પંચાયતોના રોજબરોજના વહીવટ પર પડવાની પૂરેપૂરી શક્યતા છે. ખેડૂતો, ગ્રામજનો અને વિદ્યાર્થીઓને પડતી વહીવટી જરૂરિયાતો અને સરકારી યોજનાઓના લાભો અટકી જશે. જો રાજ્ય સરકાર અને તલાટી મહામંડળ વચ્ચે વહેલી તકે મધ્યસ્થી કરીને સમાધાન લાવવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં મોટી વહીવટી કટોકટી સર્જાઈ શકે છે.
    Click here to Read More
    Previous Article
    હિંમતનગરમાં ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાયો:રૂ. 1.14 લાખના મુદ્દામાલ સાથે આરોપી ઝડપાયો
    Next Article
    ગરુડેશ્વરમાં 7 અધિકારીઓના બંગલા તોડવાની કામગીરી પૂર્ણ:હાઈકોર્ટમાંથી સ્ટે પરત ખેંચાતા વધુ બે બંગલા જમીનદોસ્ત કરાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment