Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહેસાણામાં ધો-7માં ભણતી વિદ્યાર્થિનીનો આપઘાત:ઘરની પાસે આવાસના છઠ્ઠા માળેથી મોતની છલાંગ લગાવી, ચા-નાસ્તો કરી સ્કૂલે જવા નીકળી હતી

    3 days ago

    મહેસાણામાં સોમનાથ રોડ પર આવેલી પંડિત દીનદયાલ નગર આવાસ યોજનાની બિલ્ડિંગમાં આજે(2 જુલાઈ) વહેલી સવારે એક અત્યંત આઘાતજનક ઘટના સામે આવી છે. આવાસની બાજુમાં આવેલી શિવકૃપા સોસાયટીમાં રહેતી અને ધોરણ 7માં અભ્યાસ કરતી એક કિશોરીએ અગમ્ય કારણોસર આવાસના છઠ્ઠા માળેથી મોતની છલાંગ લગાવીને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. સવારે 7 વાગ્યે મોતની છલાંગ લગાવી આ કરુણ ઘટના આજે વહેલી સવારે આશરે 7 વાગ્યાની આસપાસ બની હોવાનું જાણવા મળ્યું છે. વહેલી સવારે બનેલી આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી અને મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. જાણ થતાં જ પોલીસ કાફલો પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. કિશોરીએ કયા કારણોસર આ આત્મઘાતી પગલું ભર્યું તે હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને વધુ તપાસ શરૂ કરી છે. ધો-7માં ભણતી વિદ્યાર્થિનીએ સુસાઇડ કર્યું: સોસાયટીના પ્રમુખ પંડિત દીનદયાલ નગર એસોસિયેશનના પ્રમુખ કલ્પેશ રાઠોડે જણાવ્યું કે સવારે 7:30ની આજુબાજુ એક દુઃખદ ઘટના બની છે. શિવકૃપા સોસાયટીમાં રહેતી ધોરણ-7માં ભણતી વિદ્યાર્થિનીએ અગમ્ય કારણોસર અહીંયા આવીને સુસાઇડનું પગલું ભર્યું છે. જે અમને જાણ થતા સૌએ પોલીસને જાણ કરી. ત્યારબાદ માતા-પિતાને પણ વાયા-વાયા જાણ થઈ અને ત્યારબાદ પોસ્ટમોર્ટમ માટે પોલીસ અને 108ની ટીમ દ્વારા જે પ્રોસેસ કરવાની થતી હતી એ કરી છે. સ્કૂલે જવા નીકળી હતી: PI મહેસાણા એ ડિવિઝન PI એલ.આર.પારઘીએ ભાસ્કરને જણાવ્યું કે મૃતકનું નામ ચાર્મી પરમાર છે. ઉંમર 14 વર્ષ છે. ઘર પાસે આવેલી સિદ્ધાર્થ સ્કૂલમાં અભ્યાસ કરતી હતી. આજે ઘરેથી ચા-નાસ્તો કર્યા બાદ શાળાનો સમય 7:30નો છે એટલે સાત વાગતાના ઘરેથી શાળાએ જવા નીકળી હતી. મોતનું કારણ હજુ સામે આવ્યું નથી. પીએમ બાદ વધુ તપાસ કરાશે.
    Click here to Read More
    Previous Article
    44 તાલુકામાં મેઘમહેર, સુરતમાં રસ્તાઓ ભૂગર્ભમાં ધસ્યા:દ્વારકામાં હાઈ એલર્ટ, દરિયામાં 11 ફૂટ ઊંચા મોજા ઉછળશે, વેરાવળના શિવ મંદિરમાં પાણી ઘૂસ્યા
    Next Article
    નિર્ધાર સંસ્થાની તાલીમ બેચ પૂર્ણ:પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. મુંજપરા અને સ્વામી સદાનંદ ઉપસ્થિત રહ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment