Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલીમાં હથિયાર જમા કરાવવા કલેક્ટરનો આદેશ:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પરવાનેદારોને 7 દિવસમાં હથિયાર જમા કરવા ફરજિયાત

    12 hours ago

    અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને, જિલ્લા મેજિસ્ટ્રેટ વિકલ્પ ભારદ્વાજે હથિયારો જમા કરાવવા અંગે જાહેરનામું બહાર પાડ્યું છે. આ આદેશનો હેતુ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવાનો તથા ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે સુનિશ્ચિત કરવાનો છે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023ની કલમ-163 હેઠળ બહાર પાડવામાં આવેલા આ જાહેરનામા મુજબ, જિલ્લાની 17 સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ – નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત વિસ્તારોમાં કોઈ પણ વ્યક્તિ શસ્ત્ર અધિનિયમ 1959ની કલમ-2 હેઠળ આવતું કોઈ પણ હથિયાર ધારણ કરી શકશે નહીં. ચૂંટણી હેઠળના વિસ્તારોમાં રહેતા અને જિલ્લા બહારથી પરવાના મેળવેલા તમામ હથિયાર પરવાનેદારોએ જાહેરનામું અમલમાં આવ્યાના 7 દિવસની અંદર તેમના હથિયારો સંબંધિત પોલીસ સ્ટેશનમાં જમા કરાવવા ફરજિયાત રહેશે. જમા કરાયેલા હથિયારો શસ્ત્ર નિયમો-2016ના નિયમ 47 અને 48 હેઠળ પોલીસ સ્ટેશનમાં સુરક્ષિત રીતે રાખવામાં આવશે અને ચૂંટણી આચારસંહિતા પૂર્ણ થયા બાદ નિયમ મુજબ પરત કરવામાં આવશે. જોકે, આ આદેશમાંથી કેટલાક વર્ગોને મુક્તિ આપવામાં આવી છે. જેમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ફરજ પર રહેલા સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ, સરકારી સુરક્ષા એજન્સીના સુરક્ષા કર્મચારીઓ, ચૂંટણી પંચ દ્વારા નિયુક્ત અધિકારીઓ અને રાષ્ટ્રીયકૃત બેંકોના અધિકૃત સુરક્ષા ગાર્ડનો સમાવેશ થાય છે. જિલ્લા બહાર વસવાટ કરતા હથિયાર પરવાનેદારો ચૂંટણી હેઠળના વિસ્તારોમાં હથિયારો લઈ જઈ શકશે નહીં. આ ઉપરાંત, જામીન પર છૂટેલા વ્યક્તિઓ, ફોજદારી ગુનામાં સંડોવાયેલા વ્યક્તિઓ, હુલ્લડના ગુનામાં સંડોવાયેલા વ્યક્તિઓ, ગંભીર ગુનામાં સંડોવાયેલા વ્યક્તિઓ અને ચૂંટણી પ્રક્રિયામાં કાયદો વ્યવસ્થામાં અવરોધરૂપ બની શકે તેવી વ્યક્તિઓ જો હથિયારનો પરવાનો ધરાવતા હોય, તો જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા તેમના હથિયારોની સમીક્ષા કરીને જમા લેવામાં આવશે. આ જાહેરનામું 1 એપ્રિલ, 2026 થી 30 એપ્રિલ, 2026 સુધી અમલમાં રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ સામે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ-223 અને શસ્ત્ર અધિનિયમ-1959ની કલમ-25 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અમરેલી જિલ્લાના સંબંધિત પોલીસ સ્ટેશનના થાણા અધિકારીઓને આ હુકમનો ભંગ કરનાર ઈસમો સામે ફરિયાદ નોંધાવવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    નવસારી મનપાની 52 બેઠક માટે ભાજપમાં રસાકસી:13 વોર્ડમાં 347 દાવેદારો, 26 એપ્રિલે ભાવી નક્કી થશે
    Next Article
    જલાલપોરમાં મહિલાનું વોટ્સએપ હેક:'મારે તાત્કાલિક પૈસાની જરૂર છે' કહી સગા-સંબંધીઓ પાસે પૈસા માંગ્યા,અજાણ્યા ઠગ સામે ગુનો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment