Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વ્યારામાં નગરવાસીઓનો પાણી માટે પોકાર:નગરપાલિકાની બેદરકારી અને ચીફ ઓફિસરનો અણઘડ વહીવટ, વોર્ડ નં-7થી મહિલાઓ રજૂઆત કરવા જતાં જવાબદારો ગાયબ!

    10 hours ago

    તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા નગરપાલિકાના કથળેલા અને અણઘડ વહીવટનો સીધો ભોગ હવે સ્થાનિક નગરવાસીઓ બની રહ્યા છે. પાલિકા તંત્રની ઘોર બેદરકારી અને ચીફ ઓફિસરની અણઆવડતને કારણે વ્યારા નગરપાલિકા ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે. આ વખતે વોર્ડ નંબર 7ના રહીશો પાયાની જરૂરિયાત એવા પીવાના પાણી માટે વલખાં મારી રહ્યા છે. લાંબા સમયથી ચાલતી પાણીની રાડને કારણે આજે વોર્ડ નંબર 7ની સ્થાનિક મહિલાઓનો આક્રોશ ફાટી નીકળ્યો હતો. પાણીની વિકટ સમસ્યાથી ત્રસ્ત બહેનોનું એક મોટું ટોળું એકજૂથ થઈને ન્યાયની આશાએ વ્યારા નગરપાલિકા કચેરી ખાતે મોરચો લઈને પહોંચ્યું હતું. જોકે, આશ્ચર્યની વાત એ છે કે પ્રજાની સમસ્યા સાંભળવા માટે પાલિકાના સત્તાધીશો હાજર જ નહોતા! કચેરીમાં ન તો ચીફ ઓફિસર મળ્યા કે ન તો નગરપાલિકાના પ્રમુખ હાજર હતા. જવાબદાર અધિકારીઓ કે પદાધિકારીઓની ગેરહાજરીને કારણે આક્રોશિત મહિલાઓને ભારે નિરાશા સાથે વિલા મોઢે પરત ફરવાની નોબત આવી હતી. રોષે ભરાયેલી મહિલાઓનો સળગતો સવાલ દિવ્યભાસ્કર સાથે વાતચીત કરતા સ્થાનિક મહિલાઓએ પોતાનો આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, "અમે નગરપાલિકાના તમામ વેરા સમયસર અને નિયમિત ભરીએ છીએ, છતાં અમને પીવાનું પાણી મળતું નથી. અમારે રોજ સવારે ઉઠીને ઘરકામ કરવું, મજૂરી-કામે જવું કે પછી પાણી પાછળ આખો દિવસ બગાડવો? પાણી ન આવવાને કારણે અમારે મોંઘા ભાવનું વેચાતું પાણી લેવું પડે છે." મહિલાઓએ સ્થાનિક જનપ્રતિનિધિઓ સામે પણ સવાલ ઉઠાવતા કહ્યું હતું કે, આ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં સ્થાનિક કોર્પોરેટરો પણ તદ્દન વામણા પુરવાર થયા છે અને જનતાની સમસ્યા ઉકેલવામાં નિષ્ફળ રહ્યા છે. તંત્રની ઘોર નિંદ્રા ક્યારે ઉડશે? એક તરફ સરકાર ઘરે-ઘરે નળથી જળ આપવાના દાવા કરે છે, ત્યારે બીજી તરફ વ્યારા પાલિકાના શાસકો અને અધિકારીઓની લાપરવાહીને કારણે મહિલાઓને પાણી માટે રઝળપાટ કરવો પડી રહ્યો છે. રજૂઆત કરવા ગયેલી જનતાને કચેરીના ધક્કા ખાવા પડે અને જવાબદારો એસી કેબિનોમાંથી ગાયબ રહે, તે વહીવટ સામે અનેક સવાલો ઊભા કરે છે. હવે જોવાનું એ રહ્યું કે વ્યારા નગરપાલિકાનું તંત્ર આ કુંભકર્ણ નિંદ્રામાંથી ક્યારે જાગે છે અને વ્યારાની મહિલાઓને પાણીની સમસ્યામાંથી ક્યારે મુક્તિ મળે છે.
    Click here to Read More
    Previous Article
    ભાવનગરમાં અશાંત ધારાના ભંગ અને હેરાનગતિના આક્ષેપો:હિન્દુ સમાજે વિશાળ રેલી યોજીને કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું, અશાંત ધારાનો કડક અમલ કરીને શંકાસ્પદ ફાઈલની તપાસ કરો
    Next Article
    એસિડ એટેક કેસના આરોપીની જામીન અરજી નામંજૂર:વર્ષ 2019માં નજીવી બાબતે યુવતી પર એસિડ ફેકી ફરાર થયો હતો, પોલીસે તાજેતરમાં આરોપીને ઝડપી જેલમાં ધકેલ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment