Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટાટા હેરિયરમાંથી શેર બજારનો વ્યવસાય કરતા શખ્સનો મૃતદેહ મળ્યો:અમદાવાદમાં ખુલ્લા પ્લોટમાં ડ્રાઈવિંગ સીટ પર પડ્યો હતો, 7 દિવસ પહેલા મર્સિડિઝમાંથી લાશ મળી હતી

    12 hours ago

    અમદાવાદના સોલા વિસ્તારમાં સાયન્સ સીટી રોડ પરથી ટાટા હેરિયર ગાડીમાંથી લાશ મળી આવવાની ઘટના બની હતી. પોલીસને જાણ કરવામાં આવતા સોલા પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી. મૃતક શેલા ગામના રહેવાસી અને શેરબજારનો વ્યવસાય કરતાં હર્ષદ પ્રજાપતિ નામના વ્યક્તિ હોવાનું જાણવા મળ્યું છે. મૃતકના શરીર ઉપર કોઈ ઈજાના નિશાન જોવા મળ્યા નથી, હાલ સોલા પોલીસે અકસ્માત મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસને પ્રાથમિક તપાસમાં હાર્ટ એટેકની શકયતા વર્તાઈ રહી છે. ઉલ્લખનીય છે કે, 7 દિવસ પહેલાં અમદાવાદમાં GJ-5 મર્સિડીઝમાંથી કોહવાયેલી લાશ મળી હતી. અમદાવાદમાં એક જ દિવસે બીજી લાશ મળી અમદાવાદના સરખેજ-ધોળકા રોડ પર આવેલી એક તલાવડી નજીકથી આજે (3જી એપ્રિલ) વહેલી સવારે એક 85 વર્ષીય વૃદ્ધાનો મૃતદેહ મળી આવ્યો હતો. માનસિક બીમારીથી પીડાતા વૃદ્ધા મોડી રાત્રે કોઈને કહ્યા વગર ઘરેથી નીકળી ગયા બાદ આ કરુણ ઘટના બની હોવાનું સામે આવ્યું છે. વિહત બંગલોઝની બાજુમાં એક ખુલ્લા પ્લોટમાં ગાડીમાં લાશ પડી'તી મળતી માહિતી મુજબ, 2 એપ્રિલના રોજ સાંજના સમયે સોલા પોલીસને જાણ થઈ હતી કે સાયન્સ સીટી રોડ ઉપર હેતાર્થ પાર્ટી પ્લોટ નજીક વિહત બંગલોઝની બાજુમાં એક ખુલ્લા પ્લોટમાં ગાડીમાં લાશ પડી છે. જેથી સોલા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચી હતી. પોલીસ દ્વારા ત્યાં જઈને તપાસ કરવામાં આવતા મોટી સંખ્યામાં લોકોના ટોળા ભેગા થઈ ગયાં હતા. મૃતક શેરબજારનો વ્યવસાય કરતા હતા પોલીસ દ્વારા ગાડી ખોલીને તપાસ કરતા તેમાં આશરે 45 વર્ષીય વ્યક્તિની લાશ જોવા મળી હતી. પોલીસે મૃતકની ઓળખ કરતા શેલા ગામના રહેવાસી હર્ષદભાઈ પ્રજાપતિ નામના વ્યક્તિ હોવાનું જાણવા મળ્યું હતું. હર્ષદભાઈ પોતે શેરબજારનો વ્યવસાય કરતા હતા. પોલીસે તાત્કાલિક લાશને પીએમ અર્થે હોસ્પિટલમાં મોકલી આપી હતી. શરીર પર કોઈ ઈજાના નિશાન મળી આવ્યા નથી-PI સોલા પોલીસ સ્ટેશનના પીઆઈ કે. એન. ભૂકણે જણાવ્યું હતું કે, સાયન્સ સિટી રોડ ઉપર હેતાર્થ પાર્ટી પ્લોટ પાસે ગાડીમાંથી લાશ મળી આવી હતી. પોલીસ દ્વારા લાશને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપવામાં આવેલી છે શરીર ઉપર કોઈ ઈજાના નિશાન મળી આવ્યા નથી. મૃતક ગાડીમાં કેવી રીતે આવ્યા ગાડી કોની છે તે વગેરે અંગે હાલ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ તપાસ શરૂ પોલીસને ગાડીમાંથી અથવા મૃતકના શરીર ઉપર કશું શંકાસ્પદ મળી આવ્યું નથી. સોલા પોલીસ દ્વારા હાલમાં મૃતક કેવી રીતે ગાડીમાં આવ્યા આ ગાડી કોની હતી અને કોઈને મળ્યા હતા કે કેમ તે વગેરે અંગે વધુ તપાસ શરૂ કરી છે. બીજી ઘટનાઃએક જ દિવસમાં અમદાવાદમાંથી બીજી લાશ મળી સરખેજ-ધોળકા રોડ પર તલાવડી નજીકથી વૃદ્ધાની લાશ મળી મળતી માહિતી અનુસાર, 3 એપ્રિલના રોજ વહેલી સવારે અંદાજે 7 વાગ્યાની આસપાસ સરખેજ-ધોળકા રોડ પર તલાવડી નજીકથી મૃતદેહ હોવાની જાણ સ્થાનિકોને થઈ હતી.સ્થાનિકો દ્વારા જાણ કરવામાં આવતા સરખેજ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. મૃતક વૃદ્ધાની ઓળખ 85 વર્ષીય સમુબેન તરીકે થઈ છે. તલાવડીમાં ડૂબી જવાથી વૃદ્ધાનું મોત થયાનું અનુમાન પ્રાથમિક વિગતો અનુસાર, સમુબેન છેલ્લા કેટલાક સમયથી માનસિક અસ્વસ્થ હતા. આજે વહેલી સવારે ચાર વાગ્યાની આસપાસ તેઓ પરિવારમાં કોઈને પણ જાણ કર્યા વગર ઘરેથી નીકળી ગયા હતા. જોકે પોલીસનું કહેવું છે કે તલાવડીમાં ડૂબી જવાને કારણે વૃદ્ધાનું મૃત્યુ થયું હોઈ શકે છે. આ પણ વાંચો અમદાવાદમાં GJ-5 મર્સિડીઝમાંથી કોહવાયેલી લાશ મળી 7 દિવસ પહેલાં અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલી એલ.જે કોલેજ પાસે પાર્ક થયેલી મર્સિડીઝ ગાડીમાંથી પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. જેના પગલે સરખેજ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં કાર ગેરેજવાળાની હોવાનું સામે આવ્યું. લાશ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી સરખેજ પોલીસ દ્વારા હાલ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મર્સિડીઝ ગાડીમાંથી જે મૃતદેહ મળ્યો તેની તપાસ દરમિયાન મૃતક બોડકદેવ વિસ્તારનો પ્રતાપભાઈ હોવાનું સામે આવ્યું છે. મૃતક ગત 25મીએ ઘરેથી નીકળ્યો હતો. જે બાબતે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં જાણ કરાઈ હતી. મૃતકને બીમારી હતી અને દવા પણ ચાલતી હતી. જોકે, પોલીસે વધુ તપાસ પણ હાથ ધરી છે. (વાંચો સંપૂર્ણ સમાચાર) નિકોલના સરદારધામના બેઝમેન્ટમાં હત્યા કરી, ડેકીમાં લાશ મૂકી વિરાટનગર ઓવરબ્રિજ નીચે મર્સિડિઝ છોડી અમદાવાદમાં પૂર્વ ભાગીદારે પાટીદાર બિલ્ડરની હત્યા કરાવી હતી. 13 સપ્ટેમ્બર, 2025ની મોડીરાત્રે વિરાટનગર બ્રિજ નીચેથી ઠક્કરનગર બ્રિજ પાસે આવેલી કૈલાસધામ વિભાગ 1માં રહેતા પાટીદાર અગ્રણી અને બિલ્ડર હિંમતભાઈ રૂડાણીની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરેલી લાશ મળી આવી હતી. મર્સિડીઝ કારમાંથી દુર્ગંધ આવતા સ્થાનિકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. ઓઢવ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને બ્રિજ નીચે સફેદ કલરની પાર્ક કરેલી મર્સિડીઝ કારમાંથી બિલ્ડરનો મૃતદેહ કાઢી પીએમ અર્થે ખસેડ્યો હતો. આ કેસમાં ઓઢવ પોલીસે ગણતરીના કલાકોમાં ત્રણ આરોપીની ધરપકડ કરી હતી. હિંમાશું ઉર્ફે રાહુલ હરીશભાઈ રાઠોડ (રહે.હિરાવાડી, ચાર રસ્તા અમદાવાદ), પપ્પુ હિરાજી મેઘવાલ (રહે. જાવલ શીરોહી, રાજસ્થાન) અને ત્રીજામાં સગીરનો સમાવેશ થતો હતો. ત્રણેય આરોપીને રાજસ્થાનના શીરોહી પાસેથી પોલીસે પકડી લીધા હતા. આરોપીઓએ નિકોલના સરદારધામના બેઝમેન્ટમાં હિંમતભાઈ રૂડાણીની હત્યા કરી હતી. આ હત્યા માટે પૂર્વ ભાગીદાર મનસુખ લાખાણી ઉર્ફે જેકીએ સોપારી આપી હત્યા કરાવી હોવાનો ખુલાસો થયો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર
    Click here to Read More
    Previous Article
    આધેડ 5 ફૂટ દૂર ઉછળીને પટકાયા, CCTV:પરવત પાટીયામાં MP રોડવેઝની બસનો કહેર, કેમિકલ વેપારીનું કરુણ મોત; અન્ય એક ઈજાગ્રસ્ત
    Next Article
    દિલ્લીના બે ગઠિયાએ 2.04 કરોડ પડાવ્યા:અમદાવાદના વેપારીઓ પાસેથી મોટાપાયે કાપડ ખરીદી પૈસા ન ચૂકવ્યાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment