Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    છોટાઉદેપુરના ખેડૂત સાથે રૂ.7 લાખની છેતરપિંડી:રાજાશાહી વખતના સોનાના નામે નકલી દાગીના પધરાવી ટોળકી ફરાર; ખેડૂતે જમીન પણ ગીરવે મૂકી

    2 days ago

    છોટાઉદેપુર તાલુકાના ખોડવાણિયા ગામના ખેડૂત ઇશ્વરભાઇ રાઠવા સાથે રાજાશાહી વખતના સસ્તા સોનાની લાલચ આપી રૂપિયા 7 લાખની ઠગાઈ આચરવામાં આવી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. દીકરીઓના લગ્નની ચિંતામાં ડૂબેલા ખેડૂતે સસ્તા સોનાની લાલચમાં આવી પોતાની જમીન ગીરવે મૂકી તેમજ સગાં-વહાલાં પાસેથી ઉછીના નાણાં લાવીને આ રકમ ગુમાવી છે. ખેડૂતને નકલી સોનું પધરાવીને ફરાર થઈ ગયેલી પાંચ સભ્યોની ઠગ ટોળકી સામે કરજણ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હોસ્પિટલની બહારથી બિછાવવામાં આવી છેતરપિંડીની જાળ ભોગ બનનાર ખેડૂતની માતા વાઘોડિયાની ધીરજ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતી, તે દરમિયાન હોસ્પિટલની બહાર અજાણ્યા શખ્સો સાથે થયેલી મુલાકાત બાદ આ છેતરપિંડીની શરૂઆત થઈ હતી. ખેડૂતને ચાર દીકરીઓના આગામી લગ્નના ખર્ચની ચિંતા હતી, જેનો ફાયદો ઉઠાવી ઠગ ટોળકીના સાગરીતોએ ખેડૂતનો વિશ્વાસ જીતી લીધો હતો. તેમણે પોતાની પાસે રાજા-મહારાજાના સમયનું સોનું હોવાનું કહી તે ખૂબ જ સસ્તા ભાવે આપવાની ઓફર કરી હતી. અસલી મણકો બતાવી ખેડૂતનો વિશ્વાસ જીત્યો ટોળકીએ ખેડૂતને અવારનવાર ફોન કરીને પહેલાં 10 લાખની માંગણી કરી હતી, પરંતુ અંતે 7 લાખ રૂપિયામાં સોદો નક્કી થયો હતો. ખેડૂતનો વિશ્વાસ જીતવા માટે ઠગોએ પ્રથમ ડભોઇ-શિનોર ચોકડી પાસે સોનાના બે હાર બતાવ્યા હતા. તેમાંથી એક મણકો તોડીને સ્થાનિક સોની પાસે ચેક કરાવતા તે અસલી નીકળ્યો હતો, જેના કારણે ખેડૂતનો વિશ્વાસ દ્રઢ થયો હતો અને તેમણે જમીન ગીરો મૂકીને તેમજ ઉછીના કરીને 7 લાખ રૂપિયા ભેગા કર્યા હતા. કરજણ બ્રિજ નીચે નકલી સોનું પધરાવી ટોળકી ફરાર નાણાંની વ્યવસ્થા થયા બાદ ઠગ ટોળકીએ ખેડૂતને કરજણ બ્રિજ નીચે બોલાવ્યો હતો. ત્યાં કેમેરા હોવાનું બહાનું બતાવી ગાડી બ્રિજની નીચે લેવડાવી હતી અને રૂ. 7 લાખ રોકડા મેળવીને બદલામાં સોના જેવા દેખાતા દાગીના ભરેલી થેલી પધરાવી દીધી હતી. ઠગ ટોળકીના ગયા બાદ ખેડૂતે ઘરે જઇને સોની પાસે તપાસ કરાવતા આખું સોનું તદ્દન નકલી હોવાનું બહાર આવ્યું હતું. પાંચ આરોપી સામે પોલીસ ફરિયાદ દાખલ પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા ખેડૂતે કરજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓ દાદ્યાભાઇ ઉર્ફે રામ ગંગારામ હિમરવાડી, વિજય ભગવાનભાઇ બારોટ, મીરા રાઠોડ અને અન્ય બે અજાણ્યા શખ્સો સામે પોલીસે ગુનો નોંધી તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં વીજપોલ વળતરની નવી નીતિનો વિરોધ:'આંદોલન પાર્ટ-3', મહેન્દ્રનગર ચોકડીથી કલેકટર કચેરી સુધી રેલી; મહિલાએ કહ્યું- 'અદાણી તારા ઘર આગળ થાંભલો નાખ અમને હેરાન ન કર'
    Next Article
    સુમુલ ડેરીની ચૂંટણીને ભાજપે પ્રતિષ્ઠાનો જંગ બનાવ્યો:9 બેઠકો પર કાંટાની ટક્કર, 15મીએ મતદાન અને 17મીએ પરિણામ; મુકેશ પટેલ અને ગણપત વસાવાએ મોરચો સંભાળ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment