Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાજપના નેતાની 7 કરોડની જમીન ખાલસા થશે:કલેક્ટર ડૉ.ઓમ પ્રકાશનો હુકમ, બક્ષીપંચ મોરચા પ્રમુખે કહ્યું સાંથણીની જમીનનો પ્રીમિયમ ભર્યા વિના દસ્તાવેજ કર્યો તે મારી ભૂલ

    1 सप्ताह पहले

    રાજકોટ ભાજપના બક્ષીપંચ મોરચાના પ્રમુખ બાબુ માટીયા વિવાદમાં આવ્યા છે. માલિયાસણ ગામની રુપિયા 7 કરોડની કિંમતની 9 વિઘા જમીન ખાલસા કરવાનો કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશે હૂકમ કર્યો છે. નવી શરતની જમીન પૂર્વ મંજૂરી અને પ્રીમિયમ વિના બારોબાર વેચી દેવાના બનાવમાં આ કાર્યવાહી થઈ છે. જોકે આ સમગ્ર મામલે ભાજપ આગેવાને પોતાની ભૂલ હોવાનું સ્વીકાર્યું છે અને જમીન મેળવવા 37/2નો કેસ લડવાની તૈયારી બતાવી છે અને તેમાં સરકારનો જે નિર્ણય હશે તે શિરોમાન્ય હોવાનું જણાવ્યું હતું. 'ખબર ન હતી દસ્તાવેજ કરવાથી જમીન ખાલસા થશે' ભાજપના નેતા બાબુભાઈ માટીયાએ જણાવ્યું હતું કે, મહેસૂલી કલમ મૂજબ સાંથણીની જમીન હતી. જેમાં દસ્તાવેજ કરી નાખ્યો હતો. જેથી સરકારે જેનું કામ કર્યું છે અને મારી ભૂલ હતી તે મેં સ્વીકારી છે. હવે મારે જમીન મેળવવા માટે 37/2નો કેસ લડવાનો છે. જે કેસમાં સરકાર જે હુકમ કરશે તે મને શિરોમાન્ય છે. માલિયાસણ ગામમાં આવેલી 9 વિઘા જમીન છે. જમીનની કિંમત ત્યારે કંઈ ન હતી, જેથી આ વસ્તુ મેં કરી હતી. પરંતુ ત્યારે ખબર ન હતી કે દસ્તાવેજ કરવાથી જમીન ખાલસા થશે. હાલ 9 વીઘા જમીનની કિંમત 7 કરોડ રૂપિયા બાબુભાઈ માટીયાએ વધુમાં જણાવ્યું હતું કે, હાલ આ જમીનની બજાર કિંમત રૂ.7 કરોડ થાય છે. વકીલના કહેવાથી જ દસ્તાવેજ કર્યો હતો. જો કે તે વખતે મને જમીન બાબતનું નોલેજ ન હતું અને જમીનનો દસ્તાવેજ થયો ત્યારે હું ભાજપમાં પદ ધરાવતો નહોતો માત્ર કાર્યકર હતો. સાંથણીની જમીનમાં જ્યાં સુધી તમે સરકારનું પ્રીમિયમ ન ભરો ત્યાં સુધી તમે તેનું કોઈ લખાણ, સાટાખત કે દસ્તાવેજ ન કરી શકો. વર્ષ 2007માં બાબુ માટીયાએ જમીન ખરીદી હતી મળતી માહિતી મૂજબ, માલીયાસણના સર્વે નં. 333/1 પૈકી 4 હેક્ટર 1-45-99 ચો.મી.) જમીન વર્ષ 1972માં હમીરભાઈ જીવાભાઈને સાંથણીમાં ફાળવાઈ હતી. નવી અને અવિભાજય શરતની આ જમીન વારસાઈથી દેવાભાઈના નામે કરવામાં આવી હતી. પરંતુ દેવાભાઈએ વર્ષ 2007માં સરકારની પૂર્વ મંજૂરી વિના અને પ્રીમિયમ ભર્યા વિના જ આ જમીન રાજકોટ ભાજપના બક્ષીપંચ મોરચાના પ્રમુખ બાબુભાઈ માટીયાને દસ્તાવેજ કરી આપી વેચી દીધી હતી. વર્ષ 2021માં ના. કલેક્ટરે શરતભંગની નોટિસ પરત ખેંચી આ ગેરકાયદે વેચાણ બદલ નાયબ કલેક્ટર શહેર-2એ 2015માં જમીન 'શ્રી સરકાર' દાખલ કરવાનો હુકમ કર્યો હતો. આ હુકમ સામે શહેરના જાગનાથ પ્લોટમાં રહેતા જગદીશભાઈ ભરવાડ વગેરેએ અપીલ કરી એવી રજૂઆત કરી કે, પિતાને પેરાલિસિસનો હુમલો આવતા સારવાર માટે પૈસાની જરૂર પડતા પોતાની જ જ્ઞાતિના બાબુભાઈ પાસેથી ઉછીના નાણાંની સિકયોરિટી પેટે માત્ર દસ્તાવેજ કર્યો હતો. પરંતુ કબજો સોંપ્યો ન હોતો. જે બાદ નાણાં ચૂકવી દસ્તાવેજ રદ પણ કરાવ્યો. આ 'હાર્ડશીપ' ધ્યાને લઈ તત્કાલિન નાયબ કલેકટરે વર્ષ 2021ના રોજ શરતભંગની નોટિસ પરત ખેંચી લીધી. જમીન જૂની શરતમાં ફેરવવા બજાર કિંમતના 50 ટકા પ્રીમિયમ ભરવું ફરજિયાત રાજકોટ જિલ્લા કલેક્ટરે આ કેસમાં નોંધ્યું હતું કે, જમીન મહેસૂલ અધિનિયમ-1879ની કલમ 735 મુજબ પૂર્વ મંજૂરી વિના નવી શરતની જમીન તબદીલ થઈ જ ન શકે. રૂડા અને મહાપાલિકા વિસ્તારમાં આવી જમીન જૂની શરતમાં ફેરવવા બજાર કિંમતના 50 ટકા પ્રીમિયમ ભરવું ફરજિયાત છે. આ રકમ ભર્યા વિના દસ્તાવેજ કરવો એ કાયદાનો ભંગ છે. કલેક્ટરે જમીનને તમામ બોજા રહિત ફરીથી 'શ્રી સરકાર' દાખલ કેમ ન કરવી તે માટે કારણદર્શક નોટિસ ઈસ્યુ કરી નાયબ કલેક્ટરે આપેલા ચુકાદાને રદ કરવાનો હુકમ કર્યો છે. કલેક્ટરના આ હુકમથી સરકારી જમીનોના બારોબાર સોદા કરનારાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. કેસ ફરી કલેક્ટરને રિમાન્ડ કરવામાં આવ્યો હતો સરકારે સાંથણીમાં ફાળવવામાં આવેલી જમીન ખાલસા કરવાનો હુકમ કરવામાં આવ્યા બાદ જમીન બચાવવા આસામીઓ દ્વારા મહેસુલ વિભાગ(વિવાદ)માં અપીલ કરવામાં આવી હતી. જ્યાં પક્ષકારોને સાંભળી આ કેસ ફરી રાજકોટ કલેક્ટરને રિમાન્ડ કરવામાં આવ્યો હતો. કરોડો રૂપિયાની કિંમતી 9 વિઘા જમીન માટે અરજદારોએ સરકારી તંત્રની આંખમાં ધૂળ નાંખવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સરકારી તંત્રએ આસામીઓની તમામ ચાલને નિષ્ફળ બનાવી દીધી હતી. અગાઉ આ આગેવાન ઈસરોના અધિકારીઓ સાથે મારામારીની ઘટનામાં વિવાદમાં આવી ચૂક્યા છે. ઈસરોના અધિકારીઓ સાથે મારામારી બાબતે જણાવ્યું હતું કે, તે અમારી ઘરની મેટર હતી. મારા ભાઈની મેટર હતી. મને ખ્યાલ ન હતો હું તો છાશ વિતરણમાં હતો. જે મારા ભાઈના વેવાઈની મેટર હતી.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં 'પ્રગતિ પથ યાત્રા'નો ભવ્ય પ્રારંભ:પ્રધાનમંત્રીના વિઝન હેઠળ 13 પ્રકલ્પોની નાગરિકોને ઝાંખી કરાવાઈ
    Next Article
    Video: Jhalmuri Moment At NDA Meet As PM Modi Completes 12 Years In Office

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment