Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માનસ મુકુરાષ્ટક:ગુરૂના ચરણોમાં 68 તીર્થ - મોરારિ બાપુ

    2 days ago

    માધાપરમાં ચાલતી માનસ મુકુરાષ્ટક રામકથામાં મોરારી બાપુના વ્યાસપીઠ પરથી રામ જન્મોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યું હતું. ધીરજ મનજીભાઈ ડબાસીયા પરિવારના યજમાનપદે ઉજવણીમાં મોટી સંખ્યામાં શ્રોતા કથા શ્રવણ કરવા ઉમટ્યા હતા. બાપુએ કથામાં ગુરુનો મહિમા તેમજ સનાતન ધર્મ વિશે વાત કરી હતી. કોઈના ઉપકાર ના ભૂલવા જોઈએ તેમજ 68 તીરથ ગુરુના ચરણોમાં છે એવા ગુરુના સાનિધ્યમાં રહેવું જોઈએ. રામ જન્મોત્સવ નિમિત્તે મોટી સંખ્યામાં કચ્છ સહિત ગુજરાતના વિવિધ સ્થળોએથી અનેક સાધુ, સંતો, અગ્રણીઓ અને શ્રોતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે મહંત મનોહર મહારાજ રામ જાનકી મઠ, સંત કલ્યાણદાસજી બાપુ ભજનીક તેમજ મોરારદાન પાયક અને પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહીર, ઇન્દ્રજીતસિંહ જાડેજા, નાનજીભાઈ, વી. કે. પટેલ, ડો. રોનીત પી. શાહ, તુલસી સુજાન, પ્રહલાદસિંહ ગોહિલ, વિનોદભાઈ સોલંકી જજ વગેરે અગ્રણીઓ કથા શ્રવણમાં જોડાયા હતા. સમગ્ર કથા મંડપ ધાર્મિક નારાથી ગુંજી ઉઠ્યું હતું. માધાપર સહિત વિવિધ ગામના ભાઈઓ-બહેનો રસોડામાં દિવસ રાત સેવા આપી રહ્યા છે માધાપર ખાતે ચાલતી રામકથામાં હજારોની સંખ્યામાં શ્રોતાઓને દરરોજ અલગ અલગ ભોજન પીરસવામાં આવે છે. મોરારી બાપુએ ખાસ ભોજન કક્ષની મુલાકાત લીધી હતી અને ભોજન લીધું હતું. જેમાં મોટી સંખ્યામાં માધાપર ગામ તેમજ વિવિધ ગામના ભાઈઓ-બહેનો રસોડામાં દિવસ રાત સેવાઓ આપી રહ્યા છે. જેમાં સેવા ભાવના સાથે માધાપરની બહેનો પણ જોડાઈ છે. બાપુએ તેમની સેવાઓ બિરદાવીને અભિનંદન પાઠવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ભારે કરી, AAPના કાર્યક્રમમાં લાઈટ ગઈ:નેતા થયા સગેવગે ને પબ્લિક રહી ખડેપગે; લો બોલો, કરોડોનું ડ્રગ્સ ઉંદર ખાઈ ગયા!
    Next Article
    પોલીસ બેડમાં ફેરફાર:કચ્છ પોલીસ બેડામાં 20 PIની જિલ્લા બહાર બદલી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment