Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટ્યો:છેલ્લા દોઢથી બે મહિના સુધી સતત 'ડોર-ટુ-ડોર' મુલાકાત, માત્ર 66 બાળકો શિક્ષણથી વંચિત

    14 hours ago

    નવસારી જિલ્લામાં શાળા છોડી દેનારા (ડ્રોપઆઉટ) બાળકોની સંખ્યા ન્યૂનતમ સ્તરે લાવવા માટે શિક્ષણ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી વિશેષ ઝુંબેશના સકારાત્મક પરિણામો સામે આવ્યા છે. કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી (DDO)ના માર્ગદર્શન હેઠળ શિક્ષણ વિભાગની ટીમે છેલ્લા દોઢ-બે મહિનાથી સતત મહેનત કરીને મોટી સંખ્યામાં ડ્રોપઆઉટ બાળકોને ફરીથી શિક્ષણના મુખ્ય પ્રવાહમાં સામેલ કર્યા છે. ઘર-ઘર મુલાકાત દ્વારા ભગીરથ કાર્ય જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અરુણ અગ્રવાલે વિગતો આપતા જણાવ્યું હતું કે, જિલ્લામાં ડ્રોપઆઉટ બાબતે હવે પરિસ્થિતિમાં મોટો સુધારો થયો છે. અગાઉ જે બાળકો ભણવાની સ્પષ્ટ ના પાડતા હતા, તેમના પર કલેક્ટર અને DDOના વિશેષ માર્ગદર્શન હેઠળ ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. શિક્ષણ વિભાગની ટીમે સતત દોઢથી બે મહિના સુધી 'ડોર-ટુ-ડોર' (ઘર-ઘર) મુલાકાત લીધી હતી. આ ડ્રાઇવમાં BRP, BRC, CRC સહિત ખુદ જિલ્લા શિક્ષણ અધિકારીએ પણ અનેક બાળકોના ઘરની રૂબરૂ મુલાકાત લઈને તેઓને ફરી શૈક્ષણિક સિસ્ટમમાં પરત લાવવાનું કાર્ય કર્યું છે. હવે માત્ર 66 બાળકો સિસ્ટમની બહાર અધિકારીના જણાવ્યા અનુસાર, હવે સમગ્ર જિલ્લામાં માત્ર 66 જેટલા બાળકો જ એવા બચ્યા છે જે હાલમાં ભણવા માટે આનાકાની કરી રહ્યા છે, જેમને પણ શાળાએ લાવવાના પ્રયાસો ચાલુ છે. આ 66 બાળકોમાંથી 50 જેટલા બાળકો એવા છે જેઓ ધોરણ-8 પાસ કરી ચૂક્યા છે પરંતુ આગળ ભણવા તૈયાર નથી. ડ્રાઇવિંગ લાયસન્સનું ઉદાહરણ આપી કાઉન્સિલિંગ શિક્ષણ વિભાગની ટીમ હાલ આ બાળકો અને તેમના વાલીઓને સમજાવી રહી છે કે જો તેઓ ઓછામાં ઓછું ધોરણ-10 પાસ નહીં કરે, તો ભવિષ્યમાં ડ્રાઇવિંગ લાયસન્સ પણ મેળવી શકશે નહીં. ડ્રાઇવર બનવા માટે પણ શિક્ષણ અનિવાર્ય છે, તેવી સમજણ આપીને તેમને પ્રેરિત કરવામાં આવી રહ્યા છે. શાળા સ્તરથી અધિકારીઓ સુધીનું ત્રિ-સ્તરીય આયોજન બાળકોને શાળામાં પરત લાવવા માટે ખાસ આયોજન કરાયું છે: પ્રથમ સ્તર: સૌથી પહેલા શાળાના શિક્ષક અને આચાર્ય કક્ષાએ મહેનત કરવામાં આવે છે. દ્વિતીય સ્તર: જો વાલી કે બાળક ન માને, તો BRP, BRC અને CRC ની ટીમને કામે લગાડીને કાઉન્સિલિંગ કરવામાં આવે છે. તૃતીય સ્તર: ઉચ્ચ અધિકારીઓ દ્વારા સીધી દેખરેખ રાખવામાં આવે છે. શિક્ષણ વિભાગનો દાવો છે કે વાલીઓ સમજી જતાં ટૂંક સમયમાં જ 100 ટકા પ્રવેશનો લક્ષ્યાંક સિદ્ધ થશે. બાળક 5 દિવસ ગેરહાજર રહેશે તો ટીમ એક્શનમાં આવશે આગામી દિવસો માટે શિક્ષણ વિભાગે આગોતરું પ્લાનિંગ તૈયાર કર્યું છે. હવે જો કોઈ પણ બાળક શાળામાં સતત 5 કે 10 દિવસ ગેરહાજર જણાશે, તો શિક્ષણ વિભાગની ટીમ તાત્કાલિક સક્રિય થઈને તેના ઘરે પહોંચશે, જેથી બાળક ભવિષ્યમાં ક્યારેય ડ્રોપઆઉટ ન થાય. સામાજિક અને આર્થિક કારણો શોધી કરાયું કાઉન્સિલિંગ બીજી તરફ, શિક્ષણવિદ્ રોહિત દેસાઈએ જણાવ્યું હતું કે, નવસારી જિલ્લામાં ડ્રોપઆઉટ રેશિયો ન્યૂનતમ રાખવા પાછળ જિલ્લાના તમામ શાળા સંચાલક મંડળ, સ્ટાફ, શિક્ષકો અને આચાર્યોની મોટી ભૂમિકા રહી છે. બાળકો નિયમિત શાળાએ ન આવવા પાછળના આર્થિક કે સામાજિક કારણો શોધીને વાલીઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો. સમયસર માર્ગદર્શન અને યોગ્ય કાઉન્સિલિંગના કારણે જ વંચિત રહી ગયેલા બાળકોનું પુનઃ નામાંકન (એડમિશન) શક્ય બન્યું છે. આ સાથે જ સરકારી યોજનાઓનો પ્રચાર-પ્રસાર કરીને કન્યા શિક્ષણને પણ વેગ આપવામાં આવી રહ્યો છે, જેના લીધે ગુણવત્તાસભર શિક્ષણ અને સૌના સહકારથી નવસારી જિલ્લો 'ડ્રોપઆઉટ મુક્ત' બનવા તરફ આગળ વધી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    સુમુલ ડેરીની ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું:1000 કરોડના કથિત કૌભાંડના કલંકીત નેતાઓને ભાજપે મેન્ડેટ આપ્યાનો આક્ષેપ, ધમકીના કારણે 5 બેઠક બિનહરીફ:દર્શન નાયક
    Next Article
    સિદ્ધપુર તાલુકા પંચાયતમાં કારોબારી, ન્યાય સમિતિ ચેરમેનની વરણી:કારોબારી ચેરમેન તરીકે ગોવિંદકુમાર પટેલ, ન્યાય સમિતિના ચેરમેન તરીકે ભારતીબેન સેનની સર્વાનુમતે પસંદગી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment