Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં પદયાત્રી સંન્યાસીની સાયકલમાંથી ચોરી:દ્વારકા જતા વૃદ્ધના 60 હજાર રોકડા અને સામાન ગાયબ, ત્રણ સામે ફરિયાદ

    3 days ago

    જામનગર તાલુકા વિસ્તારમાં પદયાત્રા કરી રહેલા એક વૃદ્ધ સંન્યાસીની સાયકલમાંથી રોકડ રકમ અને સામાનની ચોરી થયાની ફરિયાદ નોંધાઈ છે. આ ઘટના જામનગર-ખંભાળિયા હાઈવે પર બેડ નદી નજીક બની હતી. ફરિયાદી સકારામજી મંગનાજી ચૌહાણ (ઉ.વ.76) રાજસ્થાનના બાલોતરા જિલ્લાના અસાડા ગામના વતની છે અને સંન્યાસી જીવન જીવે છે. તેઓ પોતાની માનતા પૂરી કરવા માટે રાજસ્થાનથી ત્રણ પૈડાવાળી સાયકલ સાથે દ્વારકાધીશના દર્શનાર્થે પદયાત્રા કરી રહ્યા હતા. ફરિયાદ અનુસાર, 25 જૂન, 2026ના રોજ તેઓ જામનગરના બેડ ટોલનાકા નજીક ખોડલ હોટલ ખાતે રોકાયા હતા. બીજા દિવસે, 26 જૂને, તેમણે પદયાત્રા ફરી શરૂ કરી અને જામનગર-ખંભાળિયા હાઈવે પર બેડ નદી નજીક આવેલા બાપા સીતારામની મઢુલી પાસે પહોંચ્યા. ત્યાં તેમણે પોતાની સાયકલ અને સામાન રોડની બાજુમાં મૂકી સામેના મંદિરમાં પૂજા કરવા ગયા હતા. પૂજા દરમિયાન, એક અજાણ્યો વ્યક્તિ તેમની સાયકલ પાસે આવ્યો અને ભેટ તરીકે 50 રૂપિયા આપીને વાતચીત કરવા લાગ્યો. બાદમાં તે વ્યક્તિ સાયકલ તરફ ગયો, જ્યાં અન્ય બે વ્યક્તિઓ પણ હાજર હતા. ફરિયાદી પૂજા પૂર્ણ કરીને પાછા ફર્યા ત્યારે ત્રણેય શખ્સો મોટરસાયકલ પર ત્યાંથી જતા રહ્યા હતા. સાયકલ પાસે પહોંચીને તપાસ કરતા, કપડાં, શાલ અને આધારકાર્ડ સહિતના દસ્તાવેજો ભરેલો થેલો તેમજ સાયકલની પાછળ લગાવેલી પતરાની પેટીમાં રાખેલા આશરે 50,000 થી 60,000 રૂપિયા રોકડા ગાયબ જણાયા હતા. આ રકમ તેમને ભેટ સ્વરૂપે મળી હતી. ફરિયાદીએ જણાવ્યું કે ત્રણેય આરોપીઓ અજાણ્યા હતા, જેમાં બેની ઊંચાઈ ઓછી અને એકની ઊંચાઈ વધુ હતી. તેમની સાથે વાત કરનાર વ્યક્તિને તેઓ ઓળખી શકે તેમ હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું. આ અંગે અજાણ્યા ત્રણ શખ્સો સામે ચોરીનો ગુનો નોંધી સિક્કા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આરોપીઓને શોધવા માટે સીસીટીવી ફૂટેજ સહિતના પુરાવાઓની મદદ લેવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    છોટા ઉદેપુરમાં કલેક્ટરે 24 કલાકમાં 33 વાહન જપ્ત કર્યા:ખનિજ માફિયાઓ પર તવાઈ, ટ્રેક્ટરચાલકોએ રસ્તા પર રેતી ઠાલવી
    Next Article
    ખેડૂતોને પરંપરાગત અને આધુનિક પદ્ધતિની સમજ‎:તણછા ગામમાં નવસારી કૃષિ યુનિવર્સિટી તરફથી શિબિરનું આયોજન કરવામાં આવ્યું‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment