Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રહીશો પરેશાન:શહેરના 60 હજાર ઘરોમાં આજે પાણી વિતરણ બંધ

    11 hours ago

    જામનગર મહાનગરપાલિકાની વોટર વર્કસ દ્વારા આજે તા.5 મે ના રોજ મંગળવારના રોજ શહેરના સમર્પણ ઈ.એસ.આર.ખાતે જુના સમ્પના ડીમોલેશન કામમાં પમ્પીંગ મશીનરીઓ શીફટીંગ કરવાનું કામ તેમજ ખીજડીયા ફીલ્ટર પ્લાન્ટથી સીટીમાં પાણી પહોંચાડતી 1100 એમ.એમ. ડાયાની મુખ્ય પાઈપ લાઈનમાં ધુંવાવ પાસે લીકેજ રીપેરીંગનું કામ કરવાનું હોવાથી સોલેરીયમ ઝોન હેઠળ આવતા વિસ્તરોના 60 હજાર ઘરોમાં આજે પીવાનું પાણી વિતરણ બંધ રહેશે. સોલેરીયર ઝોન હેઠળ આવતા વિસ્તારો મોમાઈનગર-1 થી 5, ગોકુલધામ, શાંતીનગર સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત શહેરના નવાગામ ઘેડ ઝોન હેઠળ આવતા ખડખડનગર, વિનાયક પાર્ક, જાસોલીયા સોસાયટી, ગાયત્રી ચોક, સિધ્ધેશ્વર સોસાયટી, વિવેકાનંદ સોસાયટી, સહિતના વિસ્તારો તેમજ સમર્પણ ઝોન-બી હેઠળ આવતા વિસ્તારો કામદાર કોલોની, શક્તિનગર, ખોડીયાર કોલોની, મેહુલનગર, રાજનગર, ફીયોનીકા નિલકમલ, આરામ કોલોની, આશાપુરા સોસાયટી, હિમાલય સોસાયટી સહિતના વિસ્તારો તેમજ ગુલાબનગર ઝોન-એ હેઠળ આવતા વિસ્તારો ગુલાબનગર વિસ્તાર, વિભાપર આવેલી સોસાયટીઓ, સત્યસાંઇ નગર અને બેડી ઝોન હેઠળ આવતા થરી-1, 2, ઈકબાલ ચોક, શેરે રજા ચોક, પીરોટન ચોક, જામા મસ્જીદ ચાંદની સહિતના વિસ્તારોના 60,000થી વધુ ઘરોમાં આજે પીવાનું પાણી વિતરણ થઈ શકશે.
    Click here to Read More
    Previous Article
    અરસપરસ લડાઈ:સતાપર નજીક ઈનફાઈટમાં દીપડો ઈજાગ્રસ્ત, વન વિભાગ દ્વારા રેસ્કયુ
    Next Article
    ધો-12ના બોર્ડના પરિણામ:જામનગર શહેર-જિલ્લાની 9 સરકારી ઉ.માધ્યમિક શાળાના 100 ટકા પરિણામ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment