Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બનાસકાંઠામાં મધરાતે ખાનગી બસ બની 'અગનગોળો', એક મુસાફરનું મોત:ગાઢ નિદ્રામાં હતા ને આગ ફાટી નીકળી, જીવ બચાવવા બારીમાંથી છલાંગ મારી, 6થી વધુ ગંભીર રીતે દાઝ્યા

    9 hours ago

    બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના નેનાવા ગામ પાસે ગત (12 માર્ચ) મોડી રાત્રે એક ખાનગી લક્ઝરી સ્લીપર બસમાં ભીષણ આગ ફાટી નીકળતાં ચકચાર મચી ગઈ છે. રાજસ્થાનથી ગુજરાત તરફ આવી રહેલી આ બસમાં લાગેલી આગ એટલી વિકરાળ હતી કે, તેમાં એક મુસાફરનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 6 જેટલા મુસાફરો ગંભીર રીતે દાઝી ગયા છે. મુસાફરો ગાઢ નિદ્રામાં હતા ને આગ ફાટી નીકળી પ્રાપ્ત વિગતો અનુસાર, રાજસ્થાનના જેસલમેરથી અમદાવાદ જઈ રહેલી ખાનગી ટ્રાવેલ્સની સ્લીપર બસ જ્યારે નેનાવા ગામ નજીકથી પસાર થઈ રહી હતી, ત્યારે મધરાતે આશરે 3:30 વાગ્યાના સુમારે અચાનક બસમાં આગ લાગી હતી. આ સમયે મોટાભાગના મુસાફરો ગાઢ નિદ્રામાં હતા. જોતજોતામાં આગે આખી બસને પોતાની લપેટમાં લઈ લીધી હતી. જીવ બચાવવા મુસાફરોની બારીમાંથી છલાંગ આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા વચ્ચે બસમાં ભારે નાસભાગ અને ચીસાચીસ મચી ગઈ હતી. દરવાજેથી બહાર નીકળવું અશક્ય જણાતા અનેક મુસાફરોએ જીવ બચાવવા માટે ચાલુ બસની બારીઓના કાચ તોડી બહાર કૂદકા માર્યા હતા. આ અફરાતફરીમાં એક મુસાફર આગની લપેટમાં આવી જતાં તેનું બસની અંદર જ મૃત્યુ થયું હતું. બચાવ કામગીરી અને તંત્રની દોડધામ ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો અને 108 ઈમર્જન્સી એમ્બ્યુલન્સની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. દાઝી ગયેલા તમામ 6 મુસાફરને તાત્કાલિક ધાનેરા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. તબીબોના જણાવ્યા અનુસાર, કેટલાક ઘાયલોની હાલત અત્યંત નાજુક છે. આગ પર કાબૂ મેળવવા માટે ધાનેરા નગરપાલિકા ઉપરાંત પડોશી રાજ્ય રાજસ્થાનના સાંચોરથી પણ ફાયર ફાઈટરોને બોલાવવાની ફરજ પડી હતી. કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવી શકાયો હતો, પરંતુ ત્યાં સુધીમાં બસ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. પોલીસ તપાસ શરૂ ધાનેરા પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી, પરંતુ પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટને કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાની શક્યતા છે. હાઈવે પર અકસ્માતને કારણે ખોરવાયેલો ટ્રાફિક પોલીસે પુનઃ કાર્યરત કરાવ્યો હતો. આ ઘટનાએ મુસાફરોની સુરક્ષા અને ખાનગી બસોમાં ફાયર સેફ્ટીના સાધનોની ઉપલબ્ધતા સામે ફરી એકવાર ગંભીર સવાલો ઉભા કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    શેરબજાર ધડામ...સેન્સેક્સમાં 611 પોઈન્ટનો કડાકો:નિફ્ટી 186 પોઈન્ટ તુટ્યો, મિડલ ઈસ્ટ યુદ્ધના કારણે રોકાણકારોના ₹23 લાખ કરોડ ડુબ્યા
    Next Article
    પેસેન્જર લેવા ઉભેલી બસમાં આગ:પાલડી ચાર રસ્તા પાસે લાલ દરવાજાથી બાવળા જતી બસમાં એન્જિનમાં આગ લાગી, કંડક્ટરે તરત પેસેન્જર ઉતાર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment