Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉનાળો શરૂ થતાં તંત્ર જાગ્યું:રાજકોટનાં આઝાદ હિન્દ ગોલામાં ફૂડ વિભાગનું ચેકીંગ, આઈસ ગોલાના ફ્લેવર સિરપ અને માવા રબડી સહિત 6 નમૂના લેવાયા, 8 વેપારીઓને લાયસન્સની નોટિસ

    12 hours ago

    રાજકોટ મહાપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ઉનાળાની સિઝન શરૂ થતા જ શહેરના ખાદ્યપદાર્થોના વિક્રેતાઓને ત્યાં તપાસ શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને ગરમીના કારણે ઠંડા પીણાં તેમજ આઈસ ગોલાનું ચલણ વધ્યું હોય, તંત્ર દ્વારા શહેરની જાણીતી પેઢી 'આઝાદ હિન્દ ગોલાવાલા'ની બે અલગ-અલગ બ્રાન્ચોમાં ચેકીંગ કરીને ખાદ્ય ચીજોના નમૂના લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ તપાસમાં ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ કુલ 6 જેટલા શંકાસ્પદ નમૂનાઓ લેવામાં આવ્યા હતા. તેમજ મોચીનગર મેઇન રોડ, બજરંગવાડી વિસ્તારમાં 19 વેપારીઓની તપાસ કરી 8ને લાયસન્સની નોટિસ આપવામાં આવી હતી. મનપાના ફૂડ વિભાગની ટીમે સૌપ્રથમ ત્રિકોણ બાગ પાસે આવેલ આઝાદ હિન્દ ગોલાવાલાને ત્યાં તપાસ હાથ ધરી હતી. અહીંથી આઈસ ગોલામાં વપરાતા કેડબરી ફ્લેવર સિરપ (લૂઝ), કાચી કેરી ફ્લેવર સિરપ (લૂઝ) અને માવા રબડી (લૂઝ)ના નમૂના લેવામાં આવ્યા હતા. ત્યારબાદ જ્યુબેલી શાક માર્કેટ પાસે આવેલી આ જ પેઢીની બીજી બ્રાન્ચમાં તપાસ કરતા ત્યાંથી આઈસ ગોલા માટેનું પાઈનેપલ ફ્લેવર સિરપ (લૂઝ), માવા બદામ ફ્લેવર સિરપ (લૂઝ) અને ગોલામાં ઉપરથી નાખવામાં આવતા ક્રીમ (લૂઝ)ના નમૂના લેવામાં આવ્યા હતા. આ તમામ 6 નમૂનાઓને સીલ કરી પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. જેના રિપોર્ટમાં ભેળસેળ હોવાનું સાબિત થશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જોકે આ નમુનાનો રિપોર્ટ ઉનાળો પૂરો થયા બાદ આવે તેવી શક્યતા છે. ફૂડ વિભાગે જણાવ્યા મુજબ ભેળસેળયુક્ત કે અખાદ્ય આઈસ ગોલાનું સેવન સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. ખાસ કરીને ગોલામાં વપરાતા સસ્તા અને પ્રતિબંધિત સિન્થેટિક કલર કે કેમિકલયુક્ત ફ્લેવર સિરપથી કિડની ઉપરાંત લીવરને ગંભીર નુકસાન થવાની સંભાવના રહે છે. આ સિવાય ગોલામાં વપરાતો બરફ શુદ્ધ પાણીનો ન હોય તો ટાઈફોઈડ, કોલેરા અને ઝાડા-ઉલટી જેવા પાણીજન્ય રોગોનો ખતરો વધી જાય છે. ગોલામાં વપરાતી આર્ટિફિશિયલ સ્વીટનર કે સેકરીન પણ લાંબા ગાળે પેટની સમસ્યા અને ગળામાં ઈન્ફેક્શન પેદા કરે છે, જે બાળકો અને વૃદ્ધો માટે વધુ ઘાતક નીવડી શકે છે. આ ઉપરાંત આજે ફૂડ વિભાગની ટીમ દ્વારા FSW વાન સાથે શહેરના મોચીનગર મેઇન રોડ અને બજરંગવાડી વિસ્તારમાં પણ આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ વિસ્તારમાં ખાદ્યચીજોનું વેચાણ કરતા કુલ 19 ધંધાર્થીઓની સ્થળ પર તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન 8 જેટલા ધંધાર્થીઓ પાસે જરૂરી ફૂડ લાયસન્સ ન હોવાનું સામે આવ્યું હતું, જે બદલ તંત્ર દ્વારા તેઓને તાત્કાલિક લાયસન્સ મેળવી લેવા માટે કડક સૂચના આપવામાં આવી હતી. તંત્ર દ્વારા જે વેપારીઓને લાયસન્સ બાબતે નોટિસ કે સૂચના આપવામાં આવી છે તેમાં ચામુંડા કિરાણા સ્ટોર, ગાયત્રી ડેરીફાર્મ, બાલાજી પાણીપુરી, શ્રીજી મેડિકલ સ્ટોર, બાઇટ બોક્સ, સુરેશ નમકીન, જલારામ જનરલ સ્ટોર અને મહાવીર ફરસાણનો સમાવેશ થાય છે. આ સાથે ખોડિયાર ડેરીફાર્મ, જે.કે. એન્ટરપ્રાઇઝ, સંજીવની મેડિસિન, જયશ્રી આશાપુરા માર્ટ, મીસરી સ્નેક્સ એન્ડ મોર, મહાદેવ પ્રોવિઝન સ્ટોર, રાજ જનરલ સ્ટોર, મારુતિ મેડિકલ સ્ટોર, કેવલ ફરસાણ, બાલાજી પાન એન્ડ કોલ્ડ્રિંક્સ અને ખોડિયાર પાન એન્ડ કોલ્ડ્રિંક્સમાં પણ ચકાસણી કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગની કાર્યવાહીથી અખાદ્ય ચીજોનું વેચાણ કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.
    Click here to Read More
    Previous Article
    તરસાલી અને વડદલાની મુસદ્દારૂપ ટીપી અંગે વાંધા સૂચન મંગાવાયા:નગર યોજના અંગેનું ગેઝેટ પ્રસિદ્ધ, એક મહિનામાં વાંધા રજૂ કરી શકાશે
    Next Article
    ગંભીરા બ્રિજ પરનો લિંક સ્પાન તૈયાર:અઠવાડિયામાં 80 મીટરનો લિંક સ્પાન ગોઠવાશે, વડોદરા-પાદરાને જોડતા બ્રિજ પર હળવા વાહનો પસાર થઈ શકશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment