Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચૈત્રી આઠમે અંબાજી મંદિરે ભક્તોની ભારે ભીડ ઉમટી:સવારે 6 વાગ્યે મંગળા આરતી યોજાઈ, મંદિર ફૂલોથી શણગારાયું

    8 hours ago

    ચૈત્રી નવરાત્રીની આઠમના પવિત્ર દિવસે અંબાજી શક્તિપીઠ ખાતે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. માતાજીના દર્શન અને મંગળા આરતીનો લાભ લેવા માટે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ લાઈનમાં ઉભા રહ્યા હતા. આઠમ નિમિત્તે વહેલી સવારે 6 કલાકે માતાજીની મંગળા આરતી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ભાવપૂર્વક જોડાયા હતા. મંદિર પરિસરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું હતું, જેનાથી વાતાવરણ ભક્તિમય બન્યું હતું. હાલમાં અંબાજી મંદિરમાં ચૈત્રી નવરાત્રી પર્વ ચાલી રહ્યો છે. નવરાત્રીના એકમથી લઈને આઠમ સુધી મંદિરમાં બે મંગળા આરતી કરવામાં આવે છે. એક આરતી ગર્ભગૃહની અંદર થાય છે, જ્યારે બીજી આરતી ઘટ સ્થાપના પાસે કરવામાં આવે છે. જોકે, આવતીકાલથી અંબાજી મંદિરમાં સવારે એક જ મંગળા આરતી થશે. જગતજનની મા અંબાના આશીર્વાદ મેળવવા અને તેમની આરાધના કરવા માટે દૂર દૂરથી ભક્તો ચૈત્રી નવરાત્રી દરમિયાન શક્તિપીઠ અંબાજીની મુલાકાત લઈ રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    આંધ્ર પ્રદેશ: ડમ્પર સાથે અથડાઈને બસમાં આગ, 14 જીવતા ભડથું:23 ઘાયલ, ઘણા મુસાફરો અંદર ફસાઈ ગયા હતા; આગ પર કાબૂ મેળવાયો
    Next Article
    Iran Claims It Shot Down American F-18 Jet, Then A US Fact-Check

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment