Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વીરપુરમાં કમળાના 6 શંકાસ્પદ કેસ નોંધાયા:દૂષિત પાણીથી રોગચાળાની આશંકા, આરોગ્ય વિભાગ સતર્ક

    11 hours ago

    મહીસાગર જિલ્લાના વીરપુર શહેરમાં કમળાના શંકાસ્પદ કેસો નોંધાતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. વિભાગ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક માહિતી અનુસાર, વીરપુર શહેરના પ્રજાપતિ ફળિયા વિસ્તારમાં અંદાજે છ જેટલા લોકોને કમળો થયો હોવાનું સામે આવ્યું છે. સ્થાનિકો દૂષિત પાણીના કારણે રોગચાળો ફેલાયો હોવાની આશંકા વ્યક્ત કરી રહ્યા છે. આ ઘટનાની જાણ થતાં જ આરોગ્ય વિભાગની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. ટીમે વિસ્તારમાં સર્વેલન્સની કામગીરી શરૂ કરી છે. આ ઉપરાંત, ક્લોરિન ટેબ્લેટનું વિતરણ, ક્લોરિન ટેસ્ટ, આરોગ્ય જનજાગૃતિ કાર્યક્રમો, સિરમ કલેક્શન અને પાણીના સેમ્પલ લેવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે. હાલ સુધીમાં ચાર લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે. વધુ બે થી ત્રણ શંકાસ્પદ દર્દીઓ જણાતા તેમના સેમ્પલ પણ લેવાશે. આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર વિસ્તાર પર સતત નજર રાખવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ગુજરાત સરકારના કર્મચારી પર નિર્ભર ભાઈ-બહેનને પણ તબીબી સારવારનો લાભ:લાભાર્થી માટે ચોક્કસ શરતો નક્કી કરવામાં આવી, અત્યાર સુધી માતા-પિતા અને સંતાનોને જ લાભ મળતો
    Next Article
    રાજ્યપાલ દેવવ્રતજીએ પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લીધી:ગ્રીન કાર્ડ છોડી અમેરિકાથી આવેલા ખેડૂતના ખેતરે ગાય દોહી, પશુ આહારના મહત્વ વિશે માહિતી આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment