Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરના 27 આરોગ્ય કેન્દ્રોને મળ્યું નેશનલ ક્વોલિટી સર્ટિફિકેટ:રાજ્ય સરકારની આરોગ્ય સુવિધાઓમાં નોંધપાત્ર વધારો

    2 weeks ago

    સુરેન્દ્રનગર જિલ્લામાં રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્ય સુવિધાઓમાં નોંધપાત્ર વધારો કરવામાં આવી રહ્યો છે. છેલ્લા બે વર્ષમાં જિલ્લાના આરોગ્ય માળખામાં સુધારો થયો છે, જેના ભાગરૂપે 27 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (PHC) અને સબ સેન્ટરોને રાષ્ટ્રીય કક્ષાના 'નેશનલ ક્વોલિટી સર્ટિફિકેટ' મળ્યા છે. જિલ્લામાં હાલમાં 9 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોનું બાંધકામ પ્રગતિમાં છે, જેમાંથી 2 પૂર્ણ થઈ ચૂક્યા છે. આ ઉપરાંત, 25 સબ સેન્ટરોનું બાંધકામ પૂર્ણ થયું છે અને 46 સબ સેન્ટરોનું કાર્ય ચાલુ છે. આ તમામ સબ સેન્ટરો આગામી બે મહિનામાં પૂર્ણ થવાનો અંદાજ છે. આ નવા PHC અને સબ સેન્ટરો દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ, લેબોરેટરી સુવિધા, દવાઓ અને નિષ્ણાત ડોક્ટરની સારવાર ઉપલબ્ધ બનશે. આનાથી સ્થાનિક લોકોને પ્રાથમિક સારવાર માટે દૂરના શહેરોમાં જવાની જરૂર રહેશે નહીં. એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અંદાજિત 20,000ની વસ્તીને અને એક સબ સેન્ટર 5,000ની વસ્તીને આવરી લે છે. પરિણામે, દર મહિને સબ સેન્ટરમાં અંદાજે 500 અને PHCમાં 1200થી વધુ દર્દીઓ સ્થાનિક સ્તરે સારવાર મેળવી રહ્યા છે. દસાડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર માટે પણ કલેક્ટર દ્વારા જમીન ફાળવણીનો હુકમ થયો છે. આ કેન્દ્રનું બાંધકામ ટૂંક સમયમાં શરૂ થશે, જે દસાડા અને આસપાસના વિસ્તારોના લોકોને વધુ સારી આરોગ્ય સેવાઓ પૂરી પાડશે. આરોગ્ય વિભાગની ઉત્કૃષ્ટ કામગીરીના ભાગરૂપે, સુરેન્દ્રનગર જિલ્લાના 27 PHC અને સબ સેન્ટરોને રાષ્ટ્રીય કક્ષાના 'નેશનલ ક્વોલિટી સર્ટિફિકેટ' મળ્યા છે. અન્ય કેન્દ્રો માટે પણ આ પ્રક્રિયા ચાલુ છે. આરોગ્ય વિભાગ પ્રાથમિક અને સબ સેન્ટર કક્ષાએ ગુણવત્તાસભર સેવાઓ પૂરી પાડીને લોકોના આરોગ્ય અને સુખાકારીમાં સતત સુધારો લાવવા માટે પ્રયત્નશીલ છે.
    Click here to Read More
    Previous Article
    પાટણમાં ડબ્બા ટ્રેડિંગ રેકેટનો પર્દાફાશ:ખોટા શેર બ્રોકર બની લોકો સાથે છેતરપિંડી આચરતા, એકની ધરપકડ, બે ફરાર
    Next Article
    સાંઢીયા પુલના લોકાર્પણની તારીખ ટૂંકમાં જાહેર થશે:મનપાના પદાધિકારીઓએ સીએમ અને ડેપ્યુટી સીએમને આમંત્રણ આપ્યું, મનપાની સમિતિઓમાં ચેરમેન બનવા કોર્પોરેટરોનું લોબિંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment