Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાલનપુરમાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ:પ્લાસ્ટિક અને કચરાના જથ્થાને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું, 6 ફાયર ફાઈટરો ઘટનાસ્થળે

    8 hours ago

    બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરના ચરોતર વિસ્તારમાં આજે એક ભંગારના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળતા સમગ્ર પંથકમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગોડાઉનમાં રહેલા પ્લાસ્ટિક અને કચરાના જથ્થાને કારણે આગે પળવારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું અનુમાન પ્રાથમિક વિગતો મુજબ, પાલનપુરના ચરોતર નજીક આવેલા આ ભંગારના ગોડાઉનમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવી રહ્યું છે. વીજ વાયરોમાં થયેલા સ્પાર્ક બાદ તણખલા નીચે પડતા આગની શરૂઆત થઈ હતી. ગોડાઉનમાં મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક, સૂકો કચરો અને ભંગારનો સામાન હોવાથી આગ ખૂબ જ ઝડપથી ફેલાઈ ગઈ હતી અને આકાશમાં ધુમાડાના કાળા ગોટા જોવા મળ્યા હતા. ચાર ફાયર ફાઈટરો ઘટનાસ્થળે ઘટનાની જાણ થતા જ પાલનપુર નગરપાલિકા અને ડીસા નગરપાલિકાની ફાયર ટીમો તાત્કાલિક એક્શનમાં આવી હતી. આગ પર કાબૂ મેળવવા માટે પાલનપુર નગરપાલિકાના ફાયર ફાઈટરો ઘટનાસ્થળે પહોંચ્યા. સ્થિતિની ગંભીરતા જોતા ડીસા નગરપાલિકાથી પણ મદદ લેવામાં આવી. પાલનપુર, ડીસાના ફાયર ફાઈટર પહોંચી ન વળતા સિદ્ધપુર અને પાટણથી ફાયર ફાઈટરો બોલાવવામાં આવ્યાં છે. કુલ 6થી વધુ ફાયર ફાઈટરો દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરવામાં આવ્યાં છે. જાનહાનિ ટળી આ દુર્ઘટનામાં સૌથી રાહતના સમાચાર એ છે કે કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. આગ લાગતા જ ગોડાઉન અને આસપાસના લોકો સાવચેત થઈ જતા મોટી હોનારત ટળી હતી. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ અને ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા. હાલમાં આગ સંપૂર્ણપણે કાબૂમાં છે અને કુલ કેટલું આર્થિક નુકસાન થયું છે તેની તપાસ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ભરત સોંદરવા હત્યા કેસમાં રી-પીએમ અને SITની માંગ:​ભરત સોંદરવા હત્યા કેસમાં ન્યાય માટે જૂનાગઢમાં અનુસૂચિત જાતિ સમાજે આઇજી ને પાઠવ્યું આવેદનપત્ર: 1 જૂનથી આઈ.જી. કચેરી સામે ઉપવાસ આંદોલનની ચીમકી
    Next Article
    Virender Sehwag Mistakenly Calls Jasprit Bumrah 'Chumrah', Leaves Social Media Fuming

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment