Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવાપરામાં પથ્થરમારા બાદ બે રાઉન્ડ ફાયરિંગ કેસમાં 6ને દબોચ્યા:મુખ્ય આરોપી હલારી બંધુઓ ફરાર, ઇન્ડિયા હાઉસમાં પોલીસના સર્ચમાં ફોરેન મંકી મળતા શેખ બંધુઓની અટકાયત

    4 days ago

    ભાવનગરના નવાપરા વિસ્તારમાં જૂની અદાવતમાં પથ્થરમારા બાદ બે રાઉન્ડ ફાયરિંગ કરાયું હતું. આ સમગ્ર મામલે નીલમબાગ પોલીસ મથકે 8 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાંથી પોલીસે છ આરોપીને ઝડપી પાડ્યા છે, જ્યારે મુખ્ય બે આરોપી હલારી બંધુઓ હાલ ફરાર હોવાથી પોલીસ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પૂર્વે નવાપરા વિસ્તારના એક યુવાનને કેટલાક શખસોએ મોડી રાત્રે માર માર્યો હતો, જે બાબતની દાઝ રાખી ગતરાત્રે ફરી પથ્થરમારો અને ફાયરિંગ કરાયું હતું. આ અંગે જાણ થતા પોલીસ સ્થળ પર ધસી ગઈ હતી અને તપાસ દરમિયાન એક ખાલી કાર્ટિઝ સ્થળ પરથી કબજે કરી હતી. ઉબૈદ શેખના ઇન્ડિયા હાઉસમાં પોલીસનું સર્ચ ઓપરેશન નવાપરા ફાયરિંગ કેસમાં વલ્લી હલારીનું નામ સામે આવતા હાલારી બંધુઓને શોધવા ઇન્ડિયા હાઉસમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ભાવનગર એસપી, ડિવાયએસપી, એલસીબી, એસઓજી સહિતનો કાફલો ઇન્ડિયા હાઉસ પહોંચ્યો હતો. વલ્લી હલારીના મિત્ર ઉબૈદ શેખના ઇન્ડિયા હાઉસમાં તપાસ દરમિયાન પોલીસને આરોપી તો મળ્યા ન હતા, પરંતુ સર્ચ દરમિયાન ઉદૈદ શેખના ઇન્ડિયા હાઉસમાંથી પોલીસને ફોરેન પોકેટ મંકી (માર્મોસીસ મંકી) અને કાળીયાર હરણના ચાર શીંગડા મળી આવતા ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઉબૈદ શેખ અને ઇમદાદ શેખની અટકાયત કરી આ ઉપરાં પોલીસને ઉબૈદ શેખના ઇન્ડિયા હાઉસમાંથી 50 જીવતા કાર્ટિઝ, છરીઓ અને એક વિદેશી દારૂની બોટલ પણ મળી આવી છે. પોલીસની આ તપાસમાં વન વિભાગ જોડાતા અધિકારીઓ દ્વારા ફોરેન પોકેટ મંકી રાખવાની પરમિશન અંગે પૂછતા તે પ્રોસેસમાં હોવાનું જાણવા મળ્યું હતું. વન વિભાગ દ્વારા ફોરેન મંકી, કાળીયારના શીંગળા સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, ત્યારે ભાવનગર પોલીસે ઉબૈદ શેખ અને ઇમદાદ શેખની અટકાયત કરી છે. રમઝાન માસ દરમિયાન થયેલી માથાકૂટનો ખાર રાખી ઈદના દિવસે હુમલો કરાયો આ બનાવની પ્રાથમિક મળતી વિગતો અનુસાર ભાવનગરમા રમઝાન માસ દરમ્યાન 18માં રોઝાના દિવસે મોડી રાત્રે શહેરના નવાપરા વિસ્તારમાં મિત્ર સાથે બેસેલા જાહિદ ફારૂકભાઈ સાથે કેટલાક ઈસમોએ ઝઘડો કર્યો હતો. તેમજ બોલાચાલી બાદ જાહિદ નામના યુવાનને કેટલાક શખસોએ માર માર્યો હતો. જોકે પવિત્ર રમજાન માસ ચાલતો હોય આ બાબતે પરિવાર દ્વારા કોઈ ફરિયાદ કરવામાં આવી નહોતી. જે બાદ ગઈકાલે ઈદની ઉજવણી કરવામાં આવી રહી હતી અને બિરાદારો એકબીજાને ઈદની મુબારક પાઠવી રહ્યા હતા. જે દરમિયાન મોડીરાત્રે કેટલાક ઈસમો નવાપરા વિસ્તારમાં આવ્યા હતા. જે દરમિયાન જાહિદ ત્યાં બેસેલો હોય 'તું મારી સામે કાતર કેમ મારે છે', એવુ કહીને ઝઘડો કર્યો હતો. બોલાચાલી ઉગ્ર બનતા સામસામે પથ્થરમારો અને કાચની બોટલોના ઘા કરવામાં આવ્યા હતા, જે દરમિયાન લોકોના ટોળાં એકઠા થઈ જતા હુમલો કરનાર શખસો ત્યાંથી જતા રહ્યા હતા. જે બાદ રાત્રીના 4:30 વાગ્યાં આસપાસ 5 થી 6 જેટલાં શખસોએ નવાપરા વિસ્તારમાં રાજપૂત વાડી નજીક પહોંચી પ્રથમ એક રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યું હતુ અને ત્યાર બાદ બીજા રાઉન્ડનું ફાયરિંગ જાહિદ પર કરતા જાહિદ દોડીને ભાગી છૂટતા તેનો બચાવ થયો હતો. જે બાદ અસામાજિક તત્વો સ્થળ પરથી નાસી છૂટ્યા હતા. જાણ થતા એલસીબી, એસઓજી અને નીલમબાગ પોલીસ કાફલો નવાપરા વિસ્તારમાં ધસી ગયો હતો, પોલીસ તપાસ દરમ્યાન ફાયરિંગ કરાયેલું એક ખાલી કાર્ટિઝ પોલીસને મળી આવી છે, જે બાબત ને લઈને જાહિદ લોંડીયાએ નીલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. એક રાઉન્ડ હવામાં અને એક રાઉન્ડ ભોગ બનનાર પર ફાયરિંગ કરાયું- ડીવાયએસપી આ બનાવ અંગે સીટી DYSP આર.આર.સિંધાલે જણાવ્યું હતું કે, નીલમબાગ પોલીસ સ્ટેશનના નવાપરા વિસ્તારમાં, વહેલી સવારે 4:00 - 4:30ના અરસામાં ફાયરિંગની ઘટના બનેલી છે. જેની હકીકત એવી છે કે આ કામે ફરિયાદી જાહિદભાઈ તે તથા તેમના મિત્રો લતીફ, નદીમ અને આમીર વહેલી સવારે ત્યાં બેઠા હતા. આ બનાવમાં છ જેટલા આરોપીઓએ સંપ કરીને ત્યાં આવેલા, જેમાં અલી, ફારુક, કુલદીપ, રુદ્ર, ચેતન અને ફેઝાન હતા. તે આ લોકોને ધમકાવ્યા કે, તમે અહીં શા માટે બેસો છો? તેમ કહી ફાયરિંગ કરીને અને ‘આ તમારી સગી નહીં થાય’, તમારે અહીંયા બેસવું નહીં એ રીતની વાત કરી, અને ફાયરિંગ કરવામાં આવેલું છે. જેમાં 18માં રોઝાનો દિવસ હતો ત્યારે ફરિયાદી તેના મિત્ર સાથે બેઠા હતા ત્યારે પણ આરોપીઓ તેમણે અહીંયા નહીં બેસવા માટે જણાવ્યું, અને ત્યારે પણ તેમની સાથે ઝઘડો થયો હતો. આ લોકો ફરિયાદી અને તેના મિત્ર બેઠા હતા તેથી આરોપીઓ આવ્યા, અને ફાયરિંગની ઘટના બનેલી છે. પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે, હાલમાં FSLની ટીમ સાથે અહીં બનાવના સ્થળે હાજર છે, તપાસ ચાલુ છે. પોલીસને એક કારતૂસ બનાવના સ્થળેથી જ મળી છે અને તેના પંચનામાની વિગતે તેને કબજે કરવામાં આવનાર છે. હાલમાં ફરિયાદમાં છ જેટલા ઇસમો અને બીજા પણ જે છે તેની વિરુદ્ધ FIR નીલમબાગ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલી છે. આ બનાવ અંગે નિલમબાગ પોલીસે ફારૂક હુસેનભાઈ મન્સૂરી, કુલદીપ ધીરજભાઈ અગ્રાવત, ચેતન દયાલભાઈ, અસ્વીન ઉર્ફે અલી ગીરધરભાઈ વસાયા, રુદ્ર દયાનંદ પૂજારી, ફેઝાન ફિરોઝભાઈ બેલીમ, તોફિક જમાલભાઈ હાલારી, વલી જમાલભાઈ હાલારી તમામ ભાવનગરના રહેવાસીઓ સામે BNS એક્ટ 109(1), 61(2), 352, 351(2), 351(3), 190, 191(3), 189(4), 125(a), તેમજ હથિયાર ધારો કલમ 25(1)(a), 25(1) (b), 27(2) અને જીપી એક્ટ 135 મુજબ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
    Click here to Read More
    Previous Article
    23 માર્ચનું અંકફળ:અંક 4ના જાતકોને ભાગ્યનો સાથ મળશે, અંક 2 અને 7ના જાતકોના વેપારમાં પ્રગતિ થશે
    Next Article
    જૂના ઝઘડાનો ખાર રાખી સગીરને છરીના ઘા માર્યા:રાજકોટમાં મોટાભાઈ સાથેની માથાકૂટમાં નાના ભાઈ પર 2 શખસોનો હૂમલો, સજાના વોરંટનો આરોપી ઝડપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment