Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મનરેગાના કર્મીઓનું 6 માસનું વેતન બાકી:3 મહિનાથી શ્રમિકોને મજૂરી ન ચૂકવાયાનો કોંગ્રેસનો દાવો, કહ્યું મનરેગા યોજનાને સંપૂર્ણ નાશ કરવાનું પાપ ભાજપે કર્યું

    2 days ago

    દેશના ગ્રામ્ય વિસ્તારોમાં સ્થાનિક કક્ષાએ રોજગારી મળી રહે તે હેતુથી શરૂ કરાયેલી 'મનરેગા' (MGNREGA) યોજનાને ભાજપ અને મોદી સરકાર નબળી પાડી રહી હોવાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. કોંગ્રેસનો દાવો છે કે, આ યોજના હેઠળ કામ કરતા કર્મચારીઓને છેલ્લા 6 મહિનાથી વેતન ચૂકવવામાં આવ્યું નથી, જ્યારે શ્રમિકોને પણ 3 મહિનાથી મજૂરી મળી નથી. 2014 પછી મનરેગા કાયદાને નબળો પાડવામાં આવ્યો: ડૉ. મનીષ દોશી ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, સોનિયા ગાંધીના માર્ગદર્શન હેઠળ મનરેગા યોજનાની શરૂઆત કરવામાં આવી હતી, જે કોરોના કાળ દરમિયાન ગ્રામીણ જીવન માટે સંજીવની સમાન સાબિત થઈ હતી. આ યોજનાને કારણે શહેરો તરફ થતું સ્થળાંતર અટક્યું હતું. પરંતુ, 2014 પછી કેન્દ્ર અને ગુજરાતની ભાજપ સરકારે આ કાયદાને સતત નબળો પાડવાનું કામ કર્યું છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, મનરેગામાં નિયમ મુજબ 100 દિવસની રોજગારી આપવી ફરજિયાત છે, પરંતુ ગુજરાતમાં માત્ર 21થી 24 દિવસ જ રોજગારી આપવામાં આવી રહી છે. ભ્રષ્ટાચાર અને ગ્રામ્ય વિરોધી નીતિના આક્ષેપો ડૉ. દોશીએ મોદી સરકાર પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, મનરેગા યોજનામાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે અને સરકારની ગ્રામ્ય વિરોધી નીતિના કારણે આ યોજના કમજોર બની છે. ભાજપ સરકારે પહેલા યોજનાનું નામ બદલ્યું અને હવે તેને 'તાળું મારવાનું' (બંધ કરવાનું) કામ કરી રહી છે. ગુજરાતમાં હાલ 20.80 લાખ સક્રિય શ્રમિકો નોંધાયેલા છે. આશરે 10 લાખ ગ્રામીણ પરિવારો મનરેગા પર નિર્ભર છે. 20 લાખથી વધુ શ્રમિકોના હિત માટે માંગણી કરતા જણાવ્યું કે, જે કર્મચારીઓને 6 મહિનાથી વેતન નથી મળ્યું અને જે શ્રમિકોને 3 મહિનાની મજૂરી બાકી છે, તેમને તાત્કાલિક વળતર ચૂકવવામાં આવે. ભાજપ સરકાર શ્રમિકોને તેમના હક્કથી વંચિત રાખીને પાપ કરી રહી હોવાનું પણ તેમણે અંતમાં જણાવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    સગીરા સાથે દુષ્કર્મ કેસમા આરોપીને 20 વર્ષની શખ્ત કેદની સજા:રાજકોટમાં રાત્રે 3 વાગ્યે આરોપી સગીરાના ઘરમાં ઘુસી દુષ્કર્મ આચર્યું હતું, નિકાહ કરવાની લાલચ આપી ભગાડી જતા નોંધાઈ હતી ફરિયાદ
    Next Article
    ઢોસાથી બે બાળકીના મોત મામલે FSLનો રિપોર્ટ આવ્યો:'હવે રિપોર્ટ ડૉક્ટરને મોકલાશે' કહી પોલીસે હાથ ખંખેર્યા, લાઇ ડિટેક્ટર ટેસ્ટ થશે, 15 દિવસથી 'હાઈટેક' અમદાવાદ પોલીસ ફીફા ખાંડી રહી છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment